অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જામફળનું પ્રોસેસીંગ અને મુલ્યવર્ધન

જામફળએ બાગાયતી પાકોમાં મહત્વનું પાંચમું સ્થાન ધરાવે છે. જામફળનો પાક ઉષ્ણ અને સમશીતોષણ કટિબંધ વિસ્તારમાં –સારો થાય છે. અનુકૂળ વાતાવરણમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ફળ મળે છે. મુખ્યત્વે જામફળની ખેતી ભારતમાં ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વધુ થાય છે. ગુજરાતમાં મુખ્યત્વે ભાવનગર, ધોળકા, મહેસાણા, ખેડા અને ભરૂચ જિલ્લામાં ખુબ પ્રમાણમાં થાય છે. મુલ્યવૃધ્ધિ એટલે ફળોનું ઉત્પાદન લીધા પછીની માવજતો જેવી કે ફળો સ્વચ્છ કરવા, ફળોનાં કદ, વજન અને રંગ પ્રમાણે વર્ગીકરણ કરી આકર્ષક પેકેજીંગ ધ્વારા વધુ મુલ્ય મેળવી શકાય છે. ફળોનું યોગ્ય તાપમાન અને ભેજમાં સંગ્રહ કરવાથી ફળોની આવરદામાં વધારો કરી શકાય છે. જામફળનાં ફળમાંથી પ્રસંસ્કરણ કરીને વિવિધ બનાવટો બનાવી શકાય છે અને આ બનાવટોથી નફામાં ચોકકસપણે વધારો કરી શકાય છે. જામફળમાંથી નીચે પ્રમાણે વિવિધ બનાવટો બનાવી મુલ્યવૃધ્ધિ કરી શકાય છે.

 

જામફળનાં તાજા ફળો વિટામીન–સી પેકટીન, કેલ્શિયમ અને ફોસ્ફરસનું ખુબ જ સારૂ સ્ત્રોત છે. જામફળનાં બીમાં પ.૧૩% તેલ રહેલ હોય છે જેમાં પ્રચુર માત્રામાં એસેન્સીયલ એસીડ હોય છે. જામફળમાં હાર્વેસ્ટીંંગ વખતે તેમજ સ્થાળાંતર કરતી વખતે સાવધાની પૂર્વક વહન કરવાની જરૂરિયાત રહે છે કે જેથી ફળોમાં બગાડ ન થાય  લાંબા અંતરે જો ફળ લઈ જવાના હોય તો રેફ્રીજરેટે વાહનમાં સ્થાળાંતર કરવું ખુબ જ જરૂરી છે. તાજા ફળોની ખુબ જ ઓછી આવરદા હોવાથી તેનું સાઈઝ, વજન અને રંગના આધારે વર્ગીકરણ કરી યોગ્ય તાપમાન અને ભેજમાં સંગ્રહ કરવાથી આવરદા વધારી શકાય છે અને ફળોમાં થતો બગાડ અટકાવી શકાય છે.ફળોનું યોગ્ય પેકીંગ કરીને તેમજ જરૂર જણાય તો કુશનિંગ મટીરીયલ રાખીને તેમાં થતો બગાડ અટકાવી શકાય છે. કોરૂગેટેડ બોક્ષ પેકિંગ વખતે તેમાં હવાની અવર–જવર રહે તેની વ્યવસ્થા કરવામાં આવે છે.

જામફળનાં ફળની યોગ્ય સાઈઝની ચીરીઓ કરીને સુર્યતાપ / ડીઝીટલ ટ્રે ડ્રાયર / વેકયુમ ડ્રાયરમાં સુકવીને તેમાંથી પાઉડર બનાવી શકાય છે. જામફળમાંથી પલ્પ / પ્યુરી કાઢી તેમાંથી સારી ગુણવત્તાનું રેડી–ટુ–સર્વ જયુસ, સ્કવોસ, કોર્ડિયલ જેવા પીણાં તેમજ જામ, જૈલી,  સોશ, આઈસ્ક્રીમ, કેકસ અને પુડિંગસ વગરે બનાવી શકાય છે. ફળનાં યોગ્ય સાઈઝનાં ટુકડા કરીને તેની ડબ્બાબંધી કરીને નિર્યાત કરી શકાય છે. પાકા ફળોનાં જયુશ તેમજ પલ્પનો ઉપયોગ આલ્કોહોલીક પીણા બનાવવામાં પણ થાય છે. મેકસિકોમાં જામફળના ફળોનો ઉપયોગ આલ્કોહોલીક પીણામાં મહત્વપૂર્ણ ઈન્ગ્રેડિયન્ટ તરીકે ગણના થાય છે. અને તેનું બ્લેન્ડ ખુબજ લોકપ્રિય છે. જામફળનો લાલ–જાંબલી રંગ અને સ્વાદ ખુબજ સારો હોવાથી સારી ગુણવત્તાવાળાનાં સલાડમાં તેનો ઉપયોગ થાય છે. જામફળનાં પાંદડા પણ આર્યુવેદિક ગુણધર્મો ધરાવે છે તે ડાયરીઆ અને ડાયાબિટીઝમાં ખુબજ ઉપયોગી છે. કુમળા પાનની રહા તાવ અને ઝાડામાં રાહત આપે છે. સંશોધન કર્તાઓનાં મંત્વય મુજબ તો સફરજન અને જામફળનાં પાંદડામાં એકસટ્રેકટ કેન્સર, બેકટેરીયલ ઈન્ફેકશન અને દુખાવામાં રાહત આપવાનાં દાવા કરે છે.

જામફળમાંથી પ્યુરી બનાવાની પધ્ધતિ :

જામફળમાંથી પલ્પ / પ્યુરી બનાવવા માટે સારી જાતનાં સંપૂર્ણ પાકેલ જામફળ પસંદ કરવા. જામફળનાં સરખા મધ્યમ સાઈઝનાં ટુકડા કરીને રપ૦ એમ.એલ./કીલો પાણી ઉમેરી પલ્પર અથવા તો મીક્ષર ગ્રાઈન્ડરમાંથી પલ્પ કાઢી સારી રીતે ગાળી લેવું એમાંથી પલ્પ મળે તેનું ૯૦૦ સે. તાપમાને ૬૦ સેકન્ડ માટે પાશ્ચ્યુરાઈઝેશન કરવું આ પલ્પને નિર્જલીકરણ કરેલ બોટલ/જારમાં લેબલ કરીને સંગ્રહ કરવું. પલ્પ બનાવવા માટે ફલોચાર્ટ નીચે મુજબ છે.

જામફળ પ્યુરીમાં ફોમીંગ એન્જટ ઓગાળીને (ગ્લીસરોલ મોનોસ્ટીરેડ, ગુવારગમ કાર્બોક્ષીલ મીથાઈલ સેલ્યુલોઝી વાયરવિંગ વાળા મિક્ષરથી ફોમીંગ કરી વેકયુમ સેલ્ફ ડ્રાયરમાં સુકવીને પાઉડર ફોર્મમાં પેકીંગ કરવામાં આવે છે.

જામફળની ચીરીઓની સુકવણી :

નોંધ : સુકવેલ જામફળની ચીરીઓનું પલ્વરાઈઝરનો ઉપયોગ કરી પાઉડર સ્વરૂપે પણ સંગ્રહ કરી શકાય છે. જેનો ઉપયોગ જયુસ અને રેડી ટુ સર્વ પીણાંમાં કરી શકાય છે.

જામફળ પ્યુરી પાઉડર :

જામફળનું કેનીંગ :

જામફળ ફુટબાર :

નેકટાર :

ફ્રેશ અથવા સંગ્રહ કરેલ જામફળનાં પલ્પમાંથી રેડી ટુ સર્વ બિવરેજીજ બનાવી શકાય છે અને ર૦ ગ્રામ સાઈટ્રીક એસીડ ઉમેરીને અલ્ટ્રાસોનિક હોમોઝીનાઈઝરમાં હોમોઝીનાઈઝ કરવું અને પાશ્ચયુરાઈઝેશન કરીને ઠંડુ કરીને ઉપયોગમાં લઈ શકાય છે. કોમર્સીયલ નેકટાર ૯૦સે. તાપમાને ૪પ સેકન્ડ માટે ગરમ કરવું અને ૮૬સે. તાપમાને એસીડ રજીસ્ટન્ટ સેનેટરી કેનમાં સીલીંગ કરવું તેમાં પાણીનો સ્પ્રે કરી તરત ૪૦સે. તાપમાને લાવવું અને પછી કેન રૂમ તાપમાને મુકી ઠંડુ પડવા દેવું જેથી ૬ મહિના સુધી સંગ્રહ કરી શકાય.

જામફળની જેલી :

સાધનો : કિચન માસ્ટર, થાળી, તપેલી, સ્ટવ, બોટલ વિગેરે

સામગ્રી:

જામફળ         ૧.૦૦૦

ખાંડ            ૦.પ૦૦

સાયટ્રીક એસીડ  : ૦–૦૧૬

પધ્ધતિ :

  • સહેજ કચાસ પડતા પાકા પૂર્ણ વિકસિત જામફળ જેલી માટે પસંદ કરો.
  • તેને સ્વચ્છ પાણીમાં ધોઈને ઝીણા ટુકડા કરો. આ ટુકડાના વજનથી દોઢ થી બે ગણું પાણી તેમાં ઉમેરો. અને સાઈટ્રીક એસીડ કુલ વજનના દર કીલોગ્રામે ૮ ગ્રામ મુજબ ઉમેરી ટુકડાને ગરમી પર ઉકળવા મુકો.
  • ટુકડા અડધા જેવા ચઢી જાય એટલે ગરમી પરથી ઉતારી આ મિશ્રણને ત્રણ થી ચાર કલાક ઠંડુ પડવાદો.
  • ત્યારબાદ મિશ્રણને એક સ્વચ્છ કપડાથી એવી રીતે ગાળો કે જેથી તેમાંથી નિતર્યુ ઉપરનું પાણી જ આવે.
  • આ ગાળી લીધેલા પાણીને પેક ટિન એકસ્ટ્રકટ કહે છે આ પેકટીન એકસ્ટ્રેકટરમાંથી એક ચમચી ડીશમાં લો અને બે ચમચી મેથીલેટેડ સ્પિરિટ તેમાં ઉમેરો. ધીમેથી હલાવો. સરખી રીતે મળી જાય એટલે જો ડીશમાં એકજ મોટા કલોટ (ગઠો) બાઝી જાય અને આજુ બાજુ સ્પિરિટ છુટુ પડે તો પેકટિનની માત્રા ભરપુર છે તેમાં અરટીફીસીયલ પેકટીન ઉમેરવાની જરૂર રહેતી નથી અને પેકટીન એઝાટ્રેકના વજન જેટલી જ અયવાતા સવા ગણીખાંડ ઉમેરી ગરમ કરો.
  • જો ડીશમાં બે કે તેથી વધુ કલો પડે તો પેકટિન એકસ્ટ્રેકટના વજનથી ૩/૪ ગણી ખાંડ લો અને જો આ રીતે કરતાં ડીશમાં જો રેસા જેવુ બને તો આ પેકટિન એકસ્ટે્રકટમાં બહારથી પેકટીન ઉમેરવું પડશે.
  • ટુકમાં પેકટીન એકસ્ટ્રેકટમાં રહેલો પેકટિનના પ્રમાણ મુજબ ખાંડ પેકટીન એકસ્ટ્રકટમાં ભેળવીને મિશ્રણને ફીરી થી ગરમી પર મુકો. ખાંડ ઓગળી જાય એટલે મિશ્રણને ગરમી પરથી ઉતારી ગાળીલો.
  • ત્યારબાદ આ ગાળી લીધેલા મિશ્રણને ફરી થી ગરમી પર મુકો. અને શીટ ટેસ્ટ આવે ત્યાં સુધી ઉકાળો. શીટ ટેસ્ટ આવે એટલે જેલીને ગરમી પરથી ઉતારી જીવાણું રહિત કરેલ બોટલમાં ભરી લો.
  • ત્રણ ચાર કલાક પછી ઠરી જાય એટલે ખાવાના ઉપયોગમાં લઈ શકાશે. પરિરક્ષિત કરવાની બોટલને મીણથી સીલ કરી હવાચુસ્ત બંધ કરવી.

આર. એલ. રાજપુત , આર આર ગજેરા, એન.આઈ.શાહ
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate