অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ડાંગરના અગત્યના રોગો અને તેનું નિયંત્રણ

પાનાનો સુકારો/ઝાળ :

આ રોગ કેન્ચોમોનાસ ઓરાયઝી પી.વી રાયઝી નામના સૂક્ષ્મ જીવાણુંથી થાય છે. ગુજરાતમાં નહેર વિસ્તારમાં કે જયા ઉનાળુ ડાંગરની ખેતી કરવામાં આવે છે ત્યાં આ રોગ દર વર્ષે વત્તા ઓછા પ્રમાણમાં જોવા મળે છે.

રોગની ઓળખ અને નુકશાન :

આ રોગના લક્ષણો પાનની ટોચ પરથી શરૂ થાય છે. પાન ટોચની ભાગેથી ઊભી પટ્ટી આકારે નીચેની તરફ એક અથવા બન્ને ધારેથી બદામી રંગમાં ટોચથી નીચે તરફ ઉધા ચિપિયા આકારે સુકાતા નીચેની તરફ સુકાર આગળ વધે છે. રોગને અનુકુળ વાતાવરણમાં ! ઝાકળમાં રોગના જીવાણું પાનની સપાટી પર આવતાં મનુષ્ય કે પક્ષીના સંપર્કથી પરા ખેતરમાં ફેલાય છે. રોગ તીવ્ર હોય ત્યારે આખું ખેતર સળગાવેલ હોય તેવું ઝાળ લાગેલ દેખાય છે. છોડની વૃદ્ધિ અટકે અને સૂકાય છે. આવા રોગિષ્ટ છોડમાં દાણા પોચા રહે છે જેથી ઉત્પાદનમાં આર્થિક નુકશાન થાય છે. જે આ રોગ છોડની ફુટ અવસ્થામાં જ આવી જાય તો ખેડૂતને ખુબ જ આર્થિક નુકશાન થાય છે. ઘણીવાર તીવ્ર આક્રમણથી આખા ગૂમડા સુકાઈને બેસી જાય છે.

નિયંત્રણ:

  1. રોગમુક્ત વિસ્તારનું તંદુરસ્ત બિયારણ પસંદ કરવું.
  2. રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી જાતો જેવી કે આઈ. આર. ૨૮, રત્ના, મસુરી, નર્મદા, ગુર્જરી, જી.એ. આર-૧૩, જી.એ.આર-૧ જેવી વાવણી કરવાથી સુકારા રોગના નુકશાનથી બચી શકાય છે.
  3. બીજને માવજત અવશ્ય આપવી : ૨૫ કિલો બીજ માટે ૨૪ લિટર પાણીમાં ૬ ગ્રામ સ્ટ્રેટોસાલીન + ૧૨ આમ ભજીક પારાયુક્ત દવા એમિસાન-૬ વાળા દ્રાવણમાં ૮ થી ૧૦ કલાક બોળીને છાંયે સુકવી કોરી કરીને વાવવા.
  4. પાકમાં ભલામણ કરેલ જથ્થા મુજબ જ નાઈટ્રોજન યુક્ત ખાતરો ત્રણ કે ચાર હપ્તામાં આપવાં. ખેતરમાં સુકારાના રોગની શરૂઆતમાં દેખાય તો તરત જ ત્યાર પછી આપવાનો થતો નાઈટ્રોજનયુક્ત ખાતરનો હપ્ત રોગ કાબૂમાં આવ્યા પછી જ આપવાની વ્યવસ્થા કરવી,
  5. રોગની શરૂઆત જણાય કે તરત જ શક્ય હોય તો રોગિષ્ટ પાન - છોડને ઉખાડી, બાળીને નાશ કરવો.
  6. રોગવાળા  ખેતરનું પાણી આજુબાજુના રોગ વગરના ખેતરમાં જાય નહિ તેની કાળજી રાખવી.
  7. રોપાણ ડાંગરમાં રોગ દેખાય કે તરત જ અથવા ફુટ અવસ્થા પુરી થવાના સમયે અને કંટી નીકળવાના સમયે ૨૦ લિટર પાણીમાં ૧ ગ્રામ સ્ટ્રેટોસાથ કલીન + ૧૦ ગ્રામ તાંબાયુક્ત દવાનું (કપર ઓક્સીક્લોરાઈડ) મિશ્ર ધાવણ બનાવી વીઘા દીઠ ૧૦૦ થી ૧૨૦ લિટર મુજબ છાંટવાથી ( આખા છોડ ભીંજાઈ જાય તે રીતે) રોગને કાબૂમાં લઈ શકાય છે. દવાનો છંટકાવ વરસાદ વગરના કોરા સમયમાં કરવો.
  8. ખેતરના શેઢાપાળા નીંદણમુક્ત અને સાફ રાખવા.

કરમોડી/ખડખડીયો :

આ રોગ પીરીક્યુલેરીયા ગ્રીસ નામની દુગથી થાય છે. લગભગ ડાંગર ઉગાડતા બધા જ વિસ્તારમાં વત્તા ઓછા પ્રમાણમાં આ રોગ જોવા મળે છે.

રોગની ઓળખ અને નુકશાન :

  • પાનનો ક્રમોડી : શરૂઆતમાં પાન પર ટાંકણીના માથા જેવા નાના ઘાટા અથવા આછા બદામી ટપકાં જેવા મળે છે જે મોટા થતાં આંખ (ત્રાક) આકારના બન્ને બાજુ અણીવાળા જે ૧ સે.મી. લંબાઈના અને તપખિરીયા રંગના વચ્ચેથી ભૂખરા સફેદ દેખાય છે. રોગ તીવ્ર સ્વરૂપમાં હોય ત્યારે લગભગ આખા પાન પર આવાં ટપકાં થાય છે જેથી પાન ચીમળાઈને સુકાઈ જાય છે. છોડનો વિકાસ અટકે છે.
  • ગાંઠનો કરમોડી : છોડના થડની નીચેની ગાંઠો. રોગના આક્રમણથી સડીને ભૂખરા રંગની થાય છે. છોડને ઉપરથી પકડીને ખેંચતા ગાંઠમાંથી સહેલાઈથી ભાંગીને તૂટી જાય છે. કંટીમાં દાણા ભરાતાં છોડના વજનથી. ગાંઠમાંથી ભાગી પડે છે.
  • કંટીનો કરમોડી : છોડની કંટીનો પહેલા સાંધાનો ભાગ ફુગના આક્રમણાથી કાળાશ પડતા ભૂખરા રંગના થઈ જાય છે તેમજ કંટીની બીજી નાની શાખાઓના સાંધા પણ કાળા કે ભૂખરા રંગના થાય છે જેથી દાણાને પોષણ મળતુ નથી. દાણા ઉપર પણ પાન જેવા જ નાના બદામી ટપકાં જોવા મળે છે જેથી ગુણવત્તા બગડે છે. કેટલીકવાર રોગ ગ્રાહ્ય જતોમાં આ રોગથી ૯૦% સુધીનુ નુકશાન થાય છે.

નિયંત્રણ :

  1. ધરૂ નાખતા પહેલા બીજને ૧૦ કિલો દીઠ ૩ ગ્રામ થાયરમ કે કાર્બેન્ડાઝિમ દવાનો પટ આપવો.
  2. ધરૂવાડીયામાં રોગ દેખાય કે તરત જ ૧૦ લિટર પાણીમાં ૬ ગ્રામ ટ્રાયસાયકલાઝોલ-૭પ વે.પા. અથવા ૧૦ ગ્રામ કાર્બેન્ડાઝીમ - પ0%  ભીંજક દાણાદાર દવા/વે.પા. અથવા ૧૦ ગ્રામ ઘાયોફેનેટ મથાઈલ - 99 ટકા વે.પા. અથવા ૧૦ મિ.લિ. એ.ડીફેનફોસ ૨૦ ઈ.સી. દવાનું દ્રાવણ બનાવી વીઘા દીઠ ૧૦૦ ૧૨૦ લિ. મુજબ છંટકાવ કરવો.
  3. રોપાણ ડાંગરમાં જીવ પડવાના સમયે ગાભાડાડા વખતે અને કંટી નીકળવાના સમયે એમ બે વખત આગળ જણાવેલ દવાઓ પૈકી કોઈપણ એક દવાનો છંટકાવ કરવો.
  4. પાકમાં ભલામણ કરતાં વધારે નાઈટ્રોજન યુક્ત ખાતરો વાપરવા નહીં.
  5. રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી જાતો જેવી કે આઈ.આર.-૨૮, જી.આર.-૬, જી.આર.-૭, રત્ના, નવાગામ-૧૯, જી.એ.આર.૧૦૧, જી.આર.-૧૦૨, જી.આર.-૧૦૪, જી.આર.-૧૨, જી.એ.આર-૧૩, જી.એ. આર.-૧, નર્મદા, આઈ.આર.-૩૬ વગેરે જતોનું વાવેતર કરવું.
  6. ખેતરની આજુબાજુના શેઢાપાળા પરનું ઘાસ કાઢીને ચોખ્ખા રાખવા.

ભૂખરી કંટી :

ડાંગરની કંટી નીકળે અને દાણા ભરાય તે ગાળામાં સતત ઝરમર - ઝરમર વરસાદ તથા ગરમ અને ભેજવાળુ વાતાવરણ હોય ત્યારે રોગ વ્યાપક પ્રમાણમાં આવે છે. ખાસ કરીને જયા અને ગુર્જરી જાતમાં અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં જયાં વરસાદ પડે છે ત્યાં રોગ વધુ આવે છે.

રોગની ઓળખ અને નુક્સાન : ઘણીવાર દાણાની દુધીયા અવસ્થા વખતે દાણામાં કોઈ ચૂસિયાં પ્રકારની જીવાતોથી ઈજા થવાથી દૂધ બહાર આવવાથી પરોપજીવી ફૂગનું આક્રમણ થવાથી દાણા પર ભૂખરાં બદામી ટપકાં/ડાઘ પડે છે. આવા ટપકાંવાળા દાણા પર સમય જતા ફૂગની બીજા પેશીઓનો ઉગાવો જોવા મળે છે. આવા રોગિષ્ટ દાણાથી ઉત્પાદનની ગુણવત્તા બગડે છે જેથી બજાર ર્કિંમત ઓછી અંકાય છે.

નિયંત્રણ :

(૧) રોગમુક્ત વિસ્તારનું તંદુરસ્ત અને પ્રમાણિત બિયારણ પસંદ કરવું.

(૨) આગળ કરમોડી રોગમાં દર્શાવ્યા મુજબ બીજને માવજત આપ્યા બાદ જ વાવણી કરવી.

(૩) કંટી નીકળવાની અવસ્થાથી શરૂ કરીને ૧૦ દિવસના અંતરે ૦.૨૨૫% મેન્કોઝેબ – ૭૫% વે.પા. (૧૦ લિટર પાણીમાં ૩૦ ગ્રામ) દવાના ત્રણ છંટકાવ કરવા.

ગલત અંગારિયો :

આ રોગ યુસ્ટીલેગીનોઈડી વાઈરેન્સ નામની ફુગથી થાય છે. કંટી નીકળવાના સમયે વધારે પડતો વરસાદ, વાદળછાયું અને ગરમ ભેજવાળુ વાતાવરણ હોય ત્યારે આ રોગ વધારે પ્રમાણમાં ફેલાય છે અને ઉત્પાદન પર માઠી અસર થાય છે.

રોગની ઓળખ અને નુકશાન :

આ રોગની ફૂગનું આક્રમણ કટી નીકળે ત્યારે થાય છે પરંતુ સમયાંતરે ફૂગની વૃદ્ધિ થઈ દાણા પાકવા આવે ત્યારે અંગારિયાની ગાંઠો દેખાય છે. કેટીમાં દાણાની દુધિયા અવસ્થાએ આ. રોગને ઉપદ્રવ જોવા મળે છે. શરૂઆતમાં કંટીમાં અમુક દાણામાં પીળાશ પડતા લીલા રંગની ફૂગનો જથ્થો જેવા મળે છે. તેની વૃદ્ધિ થતાં ધીમે ધીમે કાબુલી ચણા જેવા મખમલીયા ઘણા દેખાય છે જેમાંથી લીલાશ પડતાં કાળા રેગના પાઉડરના રૂપમાં ફુગના બીજાણુઓ બહાર ઉડે છે જે પવનથી ખેતરમાં ફેલાય છે. આમ, દાણાની જગ્યાએ બીજાણુંનો જથ્થો (ગાંઠ) થવાથી ઉત્પાદન ઉપર અસર થાય છે.

નિયંત્રણ :

(૧) રોગમુક્ત વિસ્તારનું તંદુરસ્ત બિયારણ પસંદ કરવું.

(ર) બીજને વાવતાં પહેલા ૨ ટકા મીઠાના દ્રાવણમાં બોળી ઉપર તરતા હલકા અને અંગારિયાવાળા રોગિષ્ટ બીજ દૂર કરી નાશ કરવો અને ૧ કિલો દીઠ ૩ ગ્રામ પ્રમાણે થાયરમ કે કાર્બેન્ડાઝિમ દવાનો પટ આપવો.

(૩) ભલામણ કરતાં વધારે નાઈટ્રોજન યુક્ત ખાતરો આપવા નહિ.

(૪) જયાં દર વર્ષે આ રોગ આવતો હોય ત્યાં કંટી નીકળવાની તૈયારી હોય ત્યારે વરસાદના ઝાપટાં પડતાં હોય તો ૧૦ લિટર પાણીમાં ૨૫ ગ્રામ મેન્કોઝેબ અથવા ૧૦ ગ્રામ કાર્બેન્ડાઝીમ પ0 વિ.પા. અથવા ૧૦ ગ્રામ કલોરોથેલોનીલ-૨૫ ઈ.સી. અથવા ૧૦ મિ.લિ. પ્રોપીકોનાઝોલ-૨૫ ઈ.સી. ના દ્રાવણનો વીઘા દીઠ ૮૦ થી ૧૦ લિટર દાવાનો ૧૦ દિવસના અંતરે બે છંટકાવ કરવા.

(૫) ઉનાળામાં ઊંડી ખેડ કરીને જમીનને ખૂબ તપવા દેવી.

(૫) પર્ણચ્છેદનો ફ્લોવારો :

આ રોગ સરીતલેડીયમ ઓરાયજી નામની ફૂગથી થાય છે. ખાસ કરીને ગુર્જરી, જયા, હાઈબ્રિડ ડાંગરની જતોમાં આ રોગ સારા પ્રમાણમાં જોવા મળે છે.

રોગની ઓળખ અને નુકશાન :

આ રોગનું આક્રમણ ખાસ કરીને ડોડા અવસ્થાના અંતના ભાગમાં સૌથી ઉપરના પાનના પર્ણદ (શીથ/થડને વિંટળાયેલો પાનનો ભાગ) ઉપર થાય છે. શરૂઆતમાં લંબગોળ કે અનિયમિત આકારના અડધા થી દોઢ સે.મી.ના બદામી કે લાલાશ પડતી કિનારી અને વચ્ચેથી રાખોડી રંગના અથવા રાખોડી બદામી રંગના ટપકાં થાય છે. ટપકાં મોટા થઈ એકબીજા સાથે મળી આખા પચ્છેદમાં કહોવારાના રૂપમાં ફેલાતા છીંકણી કે લાલ થઈ જાય છે. તીવ્ર આક્રમણ હોય તો કંટી અધુરી નીકળે છે જેમાં દાણા અધકચરા ભરાય છે અથવા લાલ થઈ જાય છે. વધુ તીવ્ર આક્રમણી કંટી નીકળતી જ નથી અને ડોડામાં જ કહોવાઈ જાય છે.

નિયંત્રણ :

(૧) મસુરી, નર્મદા, દાંડી, જી.આર-૧૨, જી.આર-૧૦૪, આઈ.આર-૬૪ જેવી રોગ સામે ટક્કર ઝીલે તેવી જાતો વાવવી.

(૨) શેઢા પાળાનું ઘાસ કાપીને હંમેશા સાફ રાખવા.

(૩) નાઈટ્રોજન યુક્ત ખાતરો ભલામણ કરતાં વધુ ન વાપરવા અને પિયતનું પાણી માફકસર જ ભરવું.

(૪) ડોડા અવસ્થામાં પાનના થડને વિટળાયેલા ભાગ પર લાલ કે બદામી ડાયા થઈ રોગની શરૂઆત જણાય અને વરસાદ કે ભેજવાળું વાતાવરણ હોય તો ૧૦ લિટર પાણીમાં ૧૦ મિ.લિ. પ્રોપીકોનાઝોલ ૨૫ ઈ.સી. અથવા ૨૫ ગ્રામ મેન્કોઝેબ ૭પ વે.પા. અથવા ૧૦ ગ્રામ કાર્બેન્ડાઝીમ પ0 વે.પા. અથવા ૧૦ મિ.લિ. એડીનફોસ અથવા ૧૦ મિ.લિ. વેલીડામાયસીન-૩ એસએલ વીઘા દીઠ ૮૦ થી ૧૦ લિટર મુજબ છંટકાવ કરવો. જરૂર પડયે ૧૦ દિવસ બાદ બીજે છંટકાવ કરવો.

ગુજરાત રાજયમાં ડાંગરનો પાક પોતાનું આગવું સ્થાન ધરાવે છે. દિન-પ્રતિદિન એગ્રો પ્રોડકશન ટેકનોલોજી અને વધુ ઉત્પાદન આપતી સુધારેલ જાતો ખેતીમાં આવતાં ડાંગરની ખેતી માટેનો અભિગમ ઉત્તરોત્તર વધતો જ રહ્યો અને સાથે સાથે ઉત્પાદન પર વધ્યું છે. પરંતુ સાથે સાથે રાસાયણિક ખાતરો અને પાણીના આડેધડ વપરાશને કારણે ડાંગરમાં રોગનું પ્રમાણ વાતાવરણની અનુકુળતા પ્રમાણો કેટલાક વિસ્તારોમાં વત્તા-ઓછા પ્રમાણમાં જોવા મળે છે. તંદુરસ્ત બીજ એ - ડાંગરની ખેતીની પાયાની જરૂરિયાત છે.

સ્ત્રોત : ડૉ કે.એસ. પ્રજાપતિ શ્રી આર. સી. પટેલ મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર, આ.કૃ.યુ., નવાગામ  તા. માતરે જી. ખેડા

કૃષિ ગોવિદ્યા , જુલાઇ - ૨૦૧૫ વર્ષ : ૬૮ અંક : ૮ સળંગ અંક : ૮૦૭

કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate