ડાંગરમાં એફીલેન્ડ્રોઈડસ બેસીઆઈ નામના કૃમિથી થતો પાનની સફેદ ટોચનો રોગ અગત્યનો છે. આ રોગ ડાંગર ઉગાડતા દુનિયાના મોટા ભાગના દેશોમાં જોવા મળે છે. ભારતમાં મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, ગુજરાત, ઓરિસ્સા તથા કોટક રાજ્યોમાં જોવા મળેલ છે. ગુજરાતમાં આ રોગ સૌ પ્રથમ ૧૯૮૪માં આણંદના આજુબાજુના વિસ્તારમાં જોવા મળેલ. તેનો ફેલાવો મુખ્યત્વે કૃમિવાળા બીજથી તથા પિયતના પાણી દ્વારા આજુબાજુના ખેતરમાં થતો હોય છે. ડાંગરના પાકમાં આ કૃમિના ઉપદ્રવ થી ૧૭ થી પ૪ ટકા જટેલા ઉત્પાદનમાં ઘટાડો નોંધાયેલ છે.
કૃમિથી થતા નુકશાનના ચિન્હો ડાંગરના ધરૂવાડીયામાં તેમજ ફેરરોપણી કરેલ ખેતરમાં પણ જોવા મળે છે. ધરૂવાડીયમાં કૃમિવાળા બીજનો ઉગાવો મોડો થાય છે. કૃમિથી ઉપદ્રવિત ધરૂના પાનની ટોચનો ૩ થી ૫ સે.મી.નો ભાગ શરૂઆતમાં પીળો પડી છેવટે સફેદ થઈ સુકાઈ જાય છે અને નીચેની બાજુ નમી પડે છે. આવા ચિન્હો “ધરૂવાડીયમાં થોડા સમય પુરતા જ જોવા મળે છે. ફેરરોપણી કરેલ ખેતરમાં છોડના સૌથી ઉપરના પાનને વળ ચડી જાય છે અને લંબાઈમાં પ્રમાણમાં ટૂંફ હોય છે. આથી કંટી નીકળવામાં મુશ્કેલી પડે છે. કૃમિથી ઉપદ્રવિત છોડ ઠીંગણા, જુસ્સા વગરના તથા ટૂંકી કંટીવાળા હોય છે. આવા છોડની કંટીમાં દાણા બેસતા નથી અને કદાચ બેસે તો પોચા રહે છે.
ડાંગરના પાકને નુકશાન કરતો મેલોડોગાયની ગ્રામિનીકોલ અગત્યનો કૃમિ છે. ડાંગર ઉગાડતા લગભગ દરેક દેશોમાં તે જોવા મળે છે. ભારતના પૂર્વોત્તર રાજ્યો, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, બિહાર, છત્તીસગઢ, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, કેરળ, ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગ અને મધ્યપ્રદેશના કેટલાક ભાગમાં જોવા મળે છે. છેલ્લા ત્રણ વર્ષથી આ કુમિ ગુજરાતમાં પણ જોવા મળે છે. એક ગ્રામ માટીમાં આ કૃમિની સંખ્યા ચાર હોય તો ઓરણ ડાંગરમાં ૭૧૪ તથા રોપાણ ડાંગરમાં ર૯૮નુ નુકશાન થાય છે. સામાન્ય રીતે ઓછા પાણી થી થતી ડાંગરમાં આ કૃમિનું પ્રમાણ વધારે હોય છે. શ્રી પધ્ધતિથી થતી ડાંગરમાં પાણીની જરૂરીયાત ઓછી રહેતી હોવાથી કૃમિનો ઉપદ્રવ વધવાની શક્યતા રહે છે.
ધાન્ય વર્ગના પાકો જેવા કે ડાંગર, ઘઉં, જવ, ઓટ તથા અન્ય ધાન્ય વર્ગના નીંદણો.
ઈંડામાંથી નીકળેલ કૃમિ મૂળના આગળના વધતા ભાગમાં દાખલ થઈ ગાંઠ બનાવે છે. અનુકૂળ વાતાવરણમાં ૨૫ થી ૨૮ દિવસમાં કૃમિ તેનું જીવનચક પૂર્ણ કરે છે.
ધરૂવાડીયામાં અને ખેતરમાં યલામાં છોડ પીળા વડે, આવા છોડની વૃદ્ધિ ન થતા છોડ ઠીંગણા રહે છે. આવા ટાલા દૂરથી જોઈ શકાય છે. ટાલાવાળા ભાગમાં પાક વહેલો સુકાઈ જાય છે. ખેતરમાં કૃમિની અસર પામેલા છોડના પાન કેદમાં નાના રહે છે, ફૂટની સંખ્યા ઓછી રહે છે અને કંટી નીકળવામાં વાર લાગે છે. જે કૃમિનું પ્રમાણ વધારે હોય તો છોડમાંથી કંટી બહાર નીકળતી નથી અને જે નીકળે તો દાણો પૂરેપૂરા ભરાતા નથી. વધુ પડતો ઉપદ્રવ હોય તો ઘણી વખત દાણા ભરાતા જ નથી. કૃમિ લાગેલ છોડના મૂળની વૃદ્ધિ થતી નથી અને ટૂંકા રહે છે. મૂળના છેડાનો ભાગ ફૂલીને અંકોડાની જેમ વાંકો વળી જાય છે.
ડાંગરના પાકને જુદા જુદા ૩ર કુમિનુકસાન કરતા હોવાનું નોંધાયેલ છે, પરંતુ ગુજરાત રાજ્યમાં ડાંગરના પાકને નુકસાન કરતા અગત્યના બે કૃમિ છે જેની વિગત અત્રેના લેખમાં આપેલ છે.
સ્ત્રોત :ડૉ. એ. ડી. પટેલ, ડો. બી. એ. પટેલ,
કૃમિશાસ્ત્ર વિભાગ, બં. આ. કૃષિ મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી આણંદ
કૃષિ ગોવિદ્યા , જુલાઇ - ૨૦૧૫ વર્ષ : ૬૮ અંક : ૮ સળંગ અંક : ૮૦૭
કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020