অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પ્લગ ટ્રેમાં ધરૂઉછેર અને કયારાનું નિર્જીવીકરણ

પ્લગ ટ્રેમાં ધરૂઉછેર / પ્લગિંગ પદ્ધતિ:

સામાન્ય રીતે પરંપરાગત રીતે કરવામાં આવતા નર્સરી ઉદ્યોગોમાં ગાદી કયારા પદ્ધતિ કે પ્લાસ્ટિક થેલીમાં દિવેલીખોળ, લીંબોળી ખોળ કે અન્ય ખોળ, છાણિયું ખાતર, ડી.એ.પી., પોટાશ, યુરિયા કે એમોનિયમ સલ્ફટ વગેરે જેવા ખાતરો ઉમેરીને બીજ વાવીને અને ધરૂઉછેર કરવામાં આવે છે જ્યારે પ્લગિંગ પદ્ધતિમાં પ્લાસ્ટિકના કપના આકારના બીબાંવાળી ટ્રેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ટ્રેમાં છાણિયું ખાતર, વર્મિકમ્પોસ્ટ, કોકોપીટ, રેતી અને ખેતરની માટીનું સપ્રમાણ મિશ્રણ ઉપયોગમાં લેવામાં આવે છે. - આર્થિક ઉપાર્જન માટે અને રોજગારલક્ષી નર્સરી એકમ સ્થાપવામાં આવ્યો હોય તો આ સામગ્રીઓને ઓટોમેટિક મિશ્ર કરીને ટ્રેમાં ભરી શકાય તેવા ઓટોમેટિક રોટરી મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. ઉપર જણાવ્યા મુજબના મિશ્રણનો ઉપયોગથી છોડના મૂળનો વિકાસ સારો થાય છે અને ધરૂ રોપા ખૂબ જ તંદુરસ્ત મળે છે.

ઘણી સારી નર્સરીમાં આ મીડિયાને સ્ટીમ સ્ટરીલાઈઝડ મશીન દ્વારા જંતુનાશક કરવામાં આવે છે જેથી રોગ-જીવાત રહિત છોડ તૈયાર કરી શકાય.

પ્લગિંગ પદ્ધતિના ફાયદાઓ :

  • છોડ/ધરૂ મૂળનો વિકાસ સારો થાય છે અને રોગ જીવાત રહિત છોડ/ધરૂ મેળવી શકાય છે.
  • ટ્રે ને હેરફેર કરી શકાતી હોવાથી શિયાળુ, ઉનાળુ કે ચોમાસાની ઋતુમાં પસંદગી મુજબ વાતાવરણ આપી શકાય છે જેથી રોપ બગડવાની શક્યતાઓ નહિવત થઈ જાય છે.
  • પિયત આપવામાં આસાની રહે છે અને રોપ ઉછેર માટે મજૂરી ખર્ચમાં ઘટાડો થાય છે.
  • ટ્રેમાં વપરાતા મીડિયાને સ્ટરીલાઈજડ કરી શકાવાનો આવકાશતક રહે છે.
  • મશીનરી ઉપર પણ મીડિયા મિશ્રણ કરીને સ્વયં સંચાલિત ટૂ ભરીને ઓટોમેટિક બીજનું રોપણ થઈ શકે છે જેથી મજૂરી ખર્ચમાં સારો એવો બચાવ થાય છે.
  • બિયારણનો સ્ફુરણ દર ૯૫ ટકા કરતાં વધુ મેળવી શકાય છે તેમજ ધરૂને પ્રવાહી ખોરાક સહેલાઈથી અને સપ્રમાણમાં આપી શકાય છે.
  • ફકત એક મજૂરથી એક દિવસમાં ૨ લાખ થી વધુ ટ્રે ભરીને બીજ રોપી શકાય છે.
  • ખૂબ જ ઓછા સમયમાં ધરૂને ટ્રેમાંથી બહાર કાઢી ખેતરમાં લઈ જઈ શકાય.

પ્લગિંગ પદ્ધતિમાં વપરાતા સાધનો

  • પ્લગિંગ પદ્ધતિથી ધરૂઉછેર માટે વપરાતી પોર ટ્રે
  • ટ્રેમાં વપરાશમાં લેવાતા મટીરિયલને એકસરખું મિશ્રણ કરતું રોટરી મશીન
  • મીડિયાને સ્ટીલાઈઝેશન કરવા વપરાતું મશીન
  • બીજ રોપવા માટે વપરાતું ઓટોમેટિક મશીન
  • બીજ રોપણ બાદ ટ્રેને ટ્રાન્સપોર્ટ કરવા માટે વપરાતી ટ્રોલી
  • ધરૂછોડને ટ્રેમાંથી બહાર કાઢવા માટે વપરાતું પુશર

બ્લોક પદ્ધતિ:

પ્લગિંગ પદ્ધતિ જેવી જ સાદી બ્લોક પદ્ધતિ છે. બ્લોક પદ્ધતિમાં જે માટીનું મિશ્રણ તૈયાર કરવામાં આવે તેમાં માટીના પ્રકાર પ્રમાણે ચીકણી માટી ઉમેરવી પડશે. માટીનું મિશ્રણ તૈયાર કરવા પાણી ઉમેરી ગારો તૈયાર કરવામાં આવે છે. આવા બ્લોકમાં બીજ વાવવામાં આવે છે. જરૂરિયાત પ્રમાણેનું ધરૂ તૈયાર થયે ખેતરમાં ફેરરોપણી કરી શકાય છે. માટીના બ્લોક ખેતરની માટી સાથે એક રસ થઈને ધરૂનો વિકાસ થાય છે. આ માટીના બ્લોકમાં વેલાવાળા શાકભાજી પણ ઉછેરી શકાય અને ૧૫ દિવસ ખેતર તૈયાર કરવાની કામગીરી ચાલે ત્યાં સુધી આવા શાકભાજીના ધરૂના બ્લોક નર્સરીમાં તૈયાર હોય જેથી જમીન તૈયારીમાં જતો સમયગાળો બચાવી શકાય

નર્સરી મીડિયા માધ્યમ

કુંડાં કોથળીઓ ભરવા હવે મોટા ભાગના નર્સરીમેન માટી, રેતી અને ખાતરનું મિશ્રણ વાપરે છે પરંતુ તેનાથી વજન વધે છે, નીંદણ થાય છે અને રોગજીવાત આવે છે. આવા સંજોગોમાં હવે પીટ સોસ, કોકોનટ પીટ, વર્મિક્યુલેટ, પર્લૅટ અને રોક વૂલ જેવા મીડિયા વાપરવા માંડયા છે. આ મીડિયાથી આગળના પ્રશ્નો નિવારી શકાય છે સાથે સાથે છોડનો વિકાસ પણ સારો થાય છે. આ સિવાય સ્થાનિક મીડિયા તૈયાર થઈ શકે તે માટે લાકડાનો વેર, ડાંગરની ફોતરી, સૂકાં પાન તેમજ થોડા પ્રમાણમાં ખોળ વગેરે સંપૂર્ણ સડાવી તૈયાર કરેલ મીડિયાને નિર્જીવીકરણ કરી ઉપયોગ કરી શકાય છે.

આદર્શ મીડિયા રોગના સૂક્ષ્મ જીવાણુમુક્ત પોરોસિટી ૮૫ ટકા, પાણી સંગ્રહ શક્તિ ૨૦-૩૦ ટકા તથા પી.એચ. આંક ૫.૫-૬ ૫ હોય, આ ઉપરાંત દ્રાવ્ય ક્ષાર ૨૦૦ પીપીએમ અને સીઈસી ૧૦-૩૦ મી.ઈ કવી/૧૦૦ સૂકુ વજન આ ઉત્તમ પ્રકારના મીડિયમ છે.

  1. કૃષિ કચરામાંથી બનાવેલ માધ્યમો (પિટસ) : ઘણા પ્રકારના, પાણી સંગ્રહ ક્ષમતા સારી, ઓછો પી.એચ. સારી સીઈસી પરંતુ ગુણવત્તા દર વર્ષે બદલાઈ જાય છે.
  2. વૃક્ષોની છોલમાંથી બનાવેલ માધ્યમ : રેશિયો ૩૦૦ જેટલો, ઓછી સીઈસી
  3. લાકડાનું ભૂસુ કાર્બન : નાઈટ્રોજન રેશિયો ૧000 જેટલો, ઝડપી કોહવાણ, રેડવૂડ સારુ ગણાય.
  4. નાળિયેરીના છોતરા : હાડ્રોપોનિક ઉત્પાદન માટે સારુ માધ્યમ
  5. સેન્દ્રિયખાતર પાડ્યુરાઈઝેશન કરતા એમોનિયાની ઝેરી અસર થવાનો સંભવ, ઉચ્ચ સીઈસી, ૧૦થી ૧૫ %ના પ્રમાણમાં વાપરવું સારું.
  6. વર્મિક્યુલાઈટ: ઓછી કદ ઘનતા (બલ્ટ ડેન્સિટી), વધુ સીઈસી, જમીન વગરના માધ્યમો માટે સારું મિશ્રણ એજન્ટ
  7. રેતી : કદ ઘનતા ૧૪૦૦ થી ૧૬૫૦ કિ.ગ્રા/મીર, ધોવાયેલી હોવી જોઈએ (માટી સિલ્ટ અને સેન્દ્રિયતત્વોથી મુકત), દરિયાની રેતી કે રોડ બનાવવા માટે વપરાતી રેતીનો ઉપયોગ ન કરવો.
  8. પરલાઈટ : વોલકેનિક પત્થરમાંથી બનાવેલ અતિ ઓછા વજનનો સફેદ પદાર્થ. રેતીની જગ્યાએ સારુ માધ્યમ (૧૦૦ કિ.ગ્રા./મીર) ઓછી સીઈસી, મધ્યમ પી.એચ., રેતી કરતાં વધુ વિસ્તરે છે.
  9. પોલીસ્ટીરીન : વાપરવું હિતાવહ નથી.
  10. રોકવૂલ: હાઈડ્રોપોનિક કટ ફૂલોના ઉત્પાદન માટે સારું માધ્યમ.

ગ્રીનહાઉસમાં વધુ ઉત્પાદન લેવા માટે સાનુકૂળ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં ખાસ કરીને જમીન અને જમીન સિવાયના માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે.

આ બન્ને માધ્યમોની ટૂંકી વિગત અત્રે દર્શાવેલ છે :

જમીન : જમીન એ છોડ વૃદ્ધિ માટેનું એક અગત્યનું માધ્યમ છે. ગ્રીનહાઉસમાં ખેતી કરવા માટે યોગ્ય જમીનના ગુણધર્મો નીચે મુજબ હોવા જરૂરી છે.

  1. સારી ફળદ્રુપતા
  2. સેન્દ્રિય કાર્બનનું પુરતુ પ્રમાણ
  3. ભરભરી અને સારા નિતારવાળી

જમીન સિવાયના માધ્યમો : આ પ્રકારના માધ્યમોનો વપરાશ ખાસ કરીને હાઈકોસ્ટ ગ્રીનહાઉસમાં કરવામાં આવે છે.

આવા વપરાતા માધ્યમોની યાદી કોઠામાં દર્શાવેલ છે :

ક્રમ

માધ્યમ

ઘનતા (કિગ્રા.મી)

ઘન પદાર્થની ઘનતા (કિગ્રા.મી)

છીદ્રાળુતા (%)

રેતી

૧૬૦૦

ર૬પ૦

૪૦

રોકવૂલ

૮૦

ર૬પ૦

૯૭

પીટ

૧૫૦

૧૬૦૦

૯૧

સ્મેગનમ​

૮૦

૧૬૦૦

૯૫

કોકોપીટ

૩પ૦

૯૦

પરલાઈટ

૧00

૯૦

આ પ્રકારના માધ્યમોની ગ્રીનહાઉસમાં લેવાતા પાકોને સાનુકુળ થાય તેવું ભૌતિક અને રાસાયણિક બંધારણ જાળવી શકાય અને પાકોનું વધુ ઉત્પાદન મળી શકે છે.

આવા ઉત્તમ માધ્યમોના ગુણધર્મો નીચે મુજબ છે :

  1. પીએચ ૬.૫ થી ૭.૫
  2. વિદ્યુત વાહકતા ૦.૨ થી ૦.૪ (એમએસ/એમ)
  3. રોગ-જીવાત રહિત

જમીનનું નિર્જીવીકરણ :

જર્બેરા ખૂબ જ સેન્સીટીવ છોડ હોવાથી વાવતા પહેલા જમીનનું નિર્જીવીકરણ કરવું ખૂબ જ જરૂરી હોય છે જેના માટે વરાળ, સૂર્યપ્રકાશ અને રસાયણની પદ્ધતિ પૈકી કોઈપણ એક પદ્ધતિથી જમીનનું નિર્જીવીકરણ કરવામાં આવે છે. રાસાયણિક પદ્ધતિમાં ફોર્માલ્ડીહાઈડનું દ્રાવણ ઉપયોગમાં લેવાય છે.

જમીનનું નિર્જીવકરણ (જીવાણુ રહિતતા) કરવાની રીતો:

જર્બેરાના અથવા કોઈપણ છોડ રોપતાં પહેલાં જમીનને જીવાણુ મુક્ત કરવી ખૂબ જ જરૂરી છે. મુખ્યત્વે ફયુઝેરીયમ, ફાઈટોથોરા અને પીથિયમ નામની ફૂગથી જમીન મુક્ત હોવી જોઈએ. જુદી જુદી પદ્ધતિઓથી પણ જમીન જીવાણુ મુક્ત કરી શકાય છે.

  • ફોર્માલીન પ્રવાહી ૭.૫ થી ૧૦ લિ. ૧૦૦ ચો.મી. માટે તેનાથી દસ ગણા (૭૫-૧૦૦ લિટર) ચોખ્ખા પાણીમાં મેળવી જમીનમાં પ્રેચિંગ કરવું અથવા ગાદી કયારા પર જમીનમાં ઉતારવું.
  • ત્યારબાદ સાત દિવસ સુધી પ્લાસ્ટિકથી ઢાંકી રાખવું.
  • પ્લાસ્ટિક કવર ખૂલુ કર્યા બાદ ૧૦૦લિ. પાણી) ચો. મી. વિસ્તાર પ્રમાણે છોડને નુકસાનકારક રસાયણ જમીન મા નીચે ઉતાર​વા આપ​વુ
  • આ પ્રક્રિયા છોડ રોપવાના બે અઠવાડિયા પહેલાં કરવી જોઈએ.
  • ફોર્માલીન ન મળે તો અન્ય રસાયણો જેવા કે મિથાઈલ બ્રોમાઈડ : ૨૫-૩૦ ગ્રામ ચો.મી. અથવા બાસામીડ (ડાકોમેટ): ૩૦-૪૦ ગ્રામ ચો.મી. નો ઉપયોગ કરી શકાય છે.

 

 

 

 

પશુઓને કૃમિથી થતું નુકસાનઃ

  • કરમીયાને લીધે પશુના શરીરનો વિકાસવૃદ્ધિ અટકી જાય અથવા એકદમ ધીમો થઈ જાય.
  • દૂધ ઉત્પાદન ઘટી જાય અથવા બંધ થઈ જાય
  • બળદની કાર્ય ક્ષમતા ઘટી જાય.
  • ગમે તેટલું સારું ખવડાવો તો પણ લોહી ન લે તથા દિવસે દિવસે ગળતું જાય.
  • વેતરમાં ન આવે, જો આવે તો બંધાય નહીં
  • ઝાડા, કબજીયાત, ખાંસી, અપચો જેવા અન્ય ચિન્હો દેખાય .
  • કૃમિઓને કારણે પશુપાલકને ખૂબ જ આર્થિક નુકસાન વેઠવું પડે છે.
  • ચોમાસામાં કૃમિઓના જીવનચક્ર પુરું કરવા માટે વાતાવરણ ખૂબ જ અનુકૂળ રહે છે.

આ માટે પશુપાલકે શું કરવું જોઈએ?

ચોમાસા પહેલાં કૃમિનાશક દવાનો ડોઝ દરેક પશુને આપી દેવો જોઈએ. જો કોઈ ભૂલી ગયા હોય તો ચોમાસા દરમ્યાન પણ કૃમિનાશક દવા આપી શકાય છે. બચ્ચાને જન્મ બાદ પંદર દિવસમાં કૃમિનાશક દવા પીવડાવો. પશુને દર ચાર મહિને કૃમિનાશક દવા આપો. નજીકના પશુદવાખાને પશુચિકિત્સકનો સંપર્ક કરી અથવા પશુ પ્રાથમિક સરવાર કેન્દ્ર પરથી દવા મેળવી શકાય છે. કૃમિનાશક દવા આપવાથી દૂધ ઉત્પાદન પણ વધે છે.

સપ્ટેમ્બર-ર૦૧૮ વર્ષ : ૭૧ અંક : ૫ સળંગ અંક : ૮૪૫ કૃષિગોવિધા

કોલેજે ઓફ એગ્રીકલ્ચરલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate