આ જીવાત મુખ્યત્વે પહેલાં તેમજ બીજા ધાય વરસાદ બાદ દેખા આપે છે. મુખ્યત્વે જુલાઈ થી સપ્ટેમ્બર મહિના દરમ્યાન આ જીવાતનો ઉપદ્રવ જોવા મળે છે. શિયાળામાં આ જીવાતના પુખ અવસ્થામાં જતા રહે છે અને બીજા વર્ષે સારો વરસાદ થતા આ પુર્ણ કરી બહાર આવે છે. માદા ચાંચવું આછા પીળા રંગના તથા લંબગોળ આકારના ૩૦૦-૩પ૦ ઈંડા જમીનમાં જુન તથા જુલાઈ માસમાં મૂકે છે. આ ઈંડામાંથી નીકળેલ કડાનું જીવનકાળ ૧ થી ર મહિના સુધીનું હોય છે. જે દરમ્યાન તે કપાસના નવા ઉગતા છોડના મૂળ ખાય છે. ત્યારબાદ આ કીડો તેની કોશેટા અવસ્થામાં જમીનની અંદર જ રૂપાંતરણ પામે છે. કોશેટો પીળાશ પડતાં સફેદ રંગનો હોય છે જેમાંથી પુષ્ક અઠવાડિયા બાદ બહાર નીકળે છે. પુe (ચાંચવું) ભૂખરા રંગનું તથા ૪ થી પ મિ.મી. લાંબી હોય છે. તથા તેની વસુ બાજુએ કાળી પટ્ટીઓ તથા કાળા ધાબાઓ જોવા મળે છે. પુણના મુખગો પાન ચાવી શકે તેવા હોય છે. આ જીવાતનું જીવનચક્ર મુખ્યત્વે ૬ થી ૮ અઠવાડિયાનું હોય છે. આપણા વાતાવરણમાં આ જીવાત ખાસ કરીને જુલાઈ થી નવેમ્બરમાં જ જોવા મળે છે.
આ જીવાતનો કીડો ઈંડામાંથી નીકળ્યા બાદ મુખ્યત્વે છોડમાંથી નવા નીકળતા મૂળને ખાય છે. ઘણી વખત આ નુકસાન ખૂબ જ નજીવું હોવાથી ધ્યાનમાં આવતુ નથી પરંતુ એક નોંધણી મુજબ માત્ર એક જ કીડો નવ જેટલા છોડના મૂળ ખાઈ શકે છે જેનાથી છો. જોઈએ તેવો વિકાસ પામતો નથી અને છોડની વૃદ્ધિ અટકે છે.
આ જીવાતની પુષ્ય અવસ્થા પણ પાકને દેખીતુ નુકશાન કરે છે. તેના મુખાંગો ચાવીને ખાવાના હોવાથી તે પાનની કિનારીઓ ચાવીને ખાઈ જાય છે. કોઈક વાર પાનમાં ગોળાકાર છિદ્રો જોવા મળે છે જે આ જીવાતનું નુકસાન છે તથા કોઈક વાર પાનની આખી કિનારી ખવાઈ જાય છે. આ જીવાતનો ઉપદ્રવ વધારે હોય ત્યારે ફૂલની કળી, ફૂલ તથા કપાસના કુમળા જીડવા પર નુકસાન નોંધાયેલ છે.
બીટી કપાસ આવ્યા પછી ગુજરાતમાં તેની | માંગ અને ભાવ વધતાં આ પાકના વાવણીનો વિસ્તાર વધતો જીય છે. કપાસની ખેતીમાં બદલાતા જતાં પરિબળો જેવા કે વાતાવરણીય, નવી 1 જીતોની વાવણી તેમજ જંતુનાશકોનો વપરાશના લીધે નવી જીવાતો અને રોગો જોવા મળે છે. ' આવા બદલાવોના કારણે છેલ્લા બે વર્ષથી ભુખરૂં ચાંચવું કે જે પહેલા ગૌણ જીવાત હતી તે મુખ્ય જીવાતમાં પરિવર્તિત થઈ રહી છે. આ જીવાતના લીધે પાકના ઉત્પાદનમાં મોટી અસર થવા સંભવ છે. કપાસ તેમજ બીજા અન્ય પાકો જેવા કે રીંગણા, ગુવાર, ભીંડા, બાજરી, મકાઈ, જુવાર, જામફળ, તુવેર, સોયાબીન તથા મગફળી વગેરેમાં પણ આ જીવાત નોંધાયેલ છે. આ ખેડૂતોને આ જીવાત | ઓળખી તેના યોગ્ય નિયંત્રણના પગલાં લેવાની સલાહ આપવામાં આવે છે.
સ્ત્રોત : શ્રી સી.બી. ધોબી, શ્રી આર. ડી. મહીડા, ડો. ટી.એમ. ભ૨પોડા, ડો. પી.કે. બોર્ડ કીટકશાસ્ત્ર વિભાગ, બં.અ. કૃષિ મહાવિદ્યાલય, આશંદ કૃષિ યુનિવર્સિટી,
કૃષિ ગોવિદ્યા , જુલાઇ - ૨૦૧૫ વર્ષ : ૬૮ અંક : ૮ સળંગ અંક : ૮૦૭
કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020