অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ઘર અને ખેતરમાં પાણી બચાવો

વિશ્વના દરેક સજીવો માટે પાણી એ કુદરતી અમુલ્ય ભેટ છે. પાછલાં કેટલાંક વર્ષોમાં પાણીના અનિયંત્રિત ઉપયોગ થવાને કારણે તેની ઉપલબ્ધતામાં ઘટાડો થતો થાય છે. જે સ્થળોએ વરસાદ ઓછો પડે ત્યાં જળસ્ત્રોતોમાં પાણી ઘટતું જાય છે. આ પરિસ્થિતિમાં ઘર અને ખેતરમાંના ઉપલબ્ધ પાણીને કેવી રીતે બચાવવું તે એક અગત્યની બાબત છે આ માટે શું પગલા લઈ શકાય તે અત્રે દર્શાવેલ છે.

ઘર :

પાણીના વપરાશ બાબતે જેટલી જન જાગૃતિ આજે સામુહિક સ્તર પર સભાઓ, વ્યાખ્યાનો, સંમેલનો, વિચાર ગોષ્ઠી વર્કશોપ વગેરે વિચાર-વિમર્શ અને ગહન ચર્ચાઓ થઈ રહી છે પરંતુ વ્યકિત રીતે પાણીના ઉપયોગ અંગે સાવચેતી રાખવી જરૂરી છે અને આ માટે જે કંઈ કરીએ તેટલું ઓછું છે. ઉદાહરણ તરીકે નીચે દર્શાવેલ પ્રશ્નોના ઉત્તરો આપ આપના અંતરાત્માને પુછીને આપશો તો સ્વયં તેનું મુલ્યાંકન કરી શકાશે.

  1. શુ આપણે સાર્વજનિક નળ પરથી વહેતા પાણીને જોઈ અજણ્યા બનીએ છીએ ?
  2. શું આ વહેતા પાણીને બંધ કરવા કે તેને બુચ લગાવવા માટે કોઈ પહેલ કરીએ છીએ ખરા ?
  3. પાઈપલાઈનમાં લિકેજને કારણે રસ્તા કે ખાડામાં પાણી ભરાય તો તેની જાણે સંબંધિત વિભાગને કરીએ છીએ ?
  4. શું આપણા ઘરમાં વોશ બેઝિનનો ઉપયોગ બંધ કરી તેના બદલે લોટાનો ઉપયોગ કરીએ છીએ ? ( વોશ બેઝીનના ઉપયોગ કરવાથી વધુ જથ્થામાં પાણીનો બગાડ થાય છે.)
  5. આપણને અડધા ગ્લાસ પાણી લઈએ છીએ કે આખો ગ્લાસ ભરેલું પાણી પી જઈ વધેલું પાણી ફેંકી દઈએ છીએ ?
  6. કપડાં – વાસણ ધોયા બાદ મળતા પાણીનો ઉપયોગ આસપાસ કે પોતાના બગીચામાં વૃક્ષ / છોડવાઓને આપીએ છીએ ખરા ?
  7. જો બોરમાં પાણી પુરતી માત્રામાં હોય અથવા નળમાં પાણી પુરતી માત્રામાં ન આવતુ હોય તો તે વખતે પાણીનો કરકસરપુર્વક ઉપયોગ કરીએ છીએ ખરા ?

ખેતર :

ગ્રામ્ય વિસ્તારોમાં પણ મોટા ભાગના જળસ્ત્રોતોમાં પાણી ઘટી ગયું છે કે સુકાઈ ગયું છે જે બોર હજુ પણ પાણી આપી રહ્યા છે તેનો ઉપયોગ પાકમાં પાણી રેલાવીને એટલે કે ચીલાચાલુ પદ્ધતિ વડે આપવામાં આવતાં પાકની જરૂરીયાત કરતા અઢી થી પાંચ ગણા વધુ પાણીનો વપરાશ થાય છે. આ પદ્ધતિમાં આખી જમીન પાણીથી તરબતર થાય છે અને પાકના મુળથી પણ ઊંડે સુધી જાય છે. આથી તેમાં પાણીનો વધુ બગાડ થાય છે. પાકના હારની વચ્ચેની જમીન પરનું પાની બાષ્પીભવન થઈને ઊડી જાય છે કે જે છોડના કોઈ ઉપયોગમાં આવતું નથી.

આમ આ પાણી રેલાવીને આપવાની ચીલાચાલુ પદ્ધતિ કરતા ફુવારા પિયત પદ્ધતિમાં ઓછ પાણીની જરૂર પડે છે. જે તે પાકને અનુરૂપ જો ટપક પિયત પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે તો તેનાથી પાણીની વધુ બચત થઈ શકે છે. આમ આ બન્ને પિયત પદ્ધતિઓ પાણીની બચત કરવા માટે વધુ અસરકારક સાબિત થઈ છે.

જે વિસ્તારોમાં પાણીની અછત છે તે વિસ્તારોમાં જુના વૃક્ષો જીવન બચાવવા માટે આ પદ્ધતિઓ વધુમાં વધુ અસરકારક બની શકે છે.

ફુવારા પિયત અને ટપક પિયત પદ્ધતિ કેટલી લાભદાયી છે તે અંગે વિવિધ પાકો ઉપર થયેલ સંશોધનના પરિણામોની વિગત કોઠામાં દર્શાવેલ છે.

વિવિધ પિયત પદ્ધતિઓ દ્ધારા પાકનુ મળતુ પાક ઉત્પાદન

પાક

પિયત પદ્ધતિ

પિયતના પાણીનું પ્રમાણ મિ.મી/હેકટર

ઉત્પાદન કિ.ગ્રા/હેકટર

ઉનાળુ રીંગણ

ચીલાચલાચાલુ

૫૪૦

૧૮૩૦૦

 

ટપક પદ્ધતિ

૩૩૦

૨૮૯૦૦

ચોમાસુ મરચી

ચીલાચલાચાલુ

૪૮૦

૨૨૦૦૦

 

ટપક પદ્ધતિ

૩૭૦

૩૧૦૦૦

ઉનાળુ ડુંગળી

ચીલાચલાચાલુ

૧૦૮૦

૩૬૦૦૦

 

ટપક પદ્ધતિ

૫૦૦

૪૧૩૦૦

ચોમાસુ ભીંડા

ચીલાચલાચાલુ

૬૨૦

૧૫૮૦૦

 

ટપક પદ્ધતિ

૩૨૦

૧૭૭૦૦

ચોમાસુ કારેલ

ચીલાચલાચાલુ

૭૮૦

૧૮૩૦૦

 

ટપક પદ્ધતિ

૧૨૦

૨૪૯૦૦

સ્ત્રોત :ડૉ. કે.ડી. મેવાડા ,ડૉ. એમ. વી. પટેલ , ડૉ. એન. વી. સોની – એગ્રોનોમી વિભાગ , બં, અ. કૃષિ મહાવિદ્યાલય , આણંદ કૃષિ યુનિવર્ષિટી આણંદ

સુક્ષ્મ પિયત પદ્ધતિ , માર્ચ – ૨૦૧૬

કૉલેજ ઓફ એગ્રિકલ્ચરલ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી , આણંદ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate