অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

રેશન કાર્ડ ટુંકી પ્રશ્નોત્તરી

રેશન કાર્ડ ટુંકી પ્રશ્નોત્તરી

મારું રેશનકાર્ડ ફાટી, ખોવાઈ, બળી ગયુ હોયતો ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટે શું કરવું?

રેશનકાર્ડ ફાટી, ખોવાઈ, બળી ગયુ હોયતો ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટે અરજી ફોર્મ નમુનો નં. ૯ ભરી તાલુકાના એ.ટી.વી.ટી. (ATVT) સેન્ટરમાં અથવા શહેરી વિસ્તારમાં ઝોનલ કચેરીએ રજુ કરવાનું રહેશે.

અરજી પત્રક નમુનો -૯ (નવ) ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો

મને બારકોર્ડેડ રેશનકાર્ડ દ્વારા શું મળી શકે અને ક્યાંથી મળી શકે?

રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોને તેમનું માન્ય રેશનકાર્ડ જે વાજબી ભાવની દુકાન સાથે જોડાયેલ હોય તે દુકાન પરથી રેશનકાર્ડની કેટેગરી પ્રમાણે મળશે. વધુમાં ચાલુ માસ દરમ્યાન મળવા પાત્ર આવશ્યયક ચીજવસ્તુ ઓની તથા ભાવની માહિતી મેળવવા અહી ક્લીક કરો.

નવું બારકોર્ડેડ રેશનકાર્ડ કેવી રીતે મળી શકે?

નવું બારકોડેડ રેશનકાર્ડ મેળવવા નમુના-ર (બે) માં અરજી કરવી તથા રેશનકાર્ડ માટેના ફોર્મ ભરવામાં આપને દર્શાવ્યા મુજબની વિગતોની જરૂર પડશે, જેથી ફોર્મ ભરતા પહેલા તે હાથવગી રાખવી.

અરજી પત્રક નમુના -૨ (બે) ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.

ફોર્મ ભરતી વખતે જરુરી વિગતો સાથે રાખવાની માહિતી માંટે અહી ક્લીક કરો.

નવું બારકોર્ડેડ રેશનકાર્ડ મેળવવા માટે કયા પુરાવાની જરુરીયાત રહેશે?

નવું બારકોડેડ રેશનકાર્ડ મેળવવું

  • જે લોકો પાસે હાલના રહેઠાણના સ્‍થ્‍ળે કોઇપણ પ્રકારના રેશનકાર્ડ નથી અને જે લોકો ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં વસવાટ કરે છે, પરંતુ રેશનકાર્ડ ધરાવતા નથી, હવે જો તેમને રેશનકાર્ડની જરૂર હોય તો તે નમુના-ર (બે) માં અરજી કરી શકે છે.
  • નવા રેશનકાર્ડ માટેના ફોર્મ ભરવામાં આપને નીચે મુજબની વિગતોની જરૂર પડશે, જેથી ફોર્મ ભરતા પહેલા તે હાથવગી રાખવી.
    • હયાત રેશનકાર્ડ (હોય તો) અથવા અન્‍ય જિલ્‍લાના રેશનકાર્ડમાં નામ કમી કરાવ્‍યાનો દાખલો
    • વિજળી બીલ
    • ઇન્‍કમટેક્ષ પાનકાર્ડ
    • ગ્રામ પંચાયત/ન.પા./મ.પા./ના મિલ્‍કતના વેરાના બીલ
    • ડ્રાયવીંગ લાયસન્‍સ
    • ટેલીફોન મોબાઇલ બીલ
    • ચુંટણી ઓળખપત્ર (જે સભ્‍યોએ ઓળખપત્રો મેળવેલા છે તે તમામ)
    • રાંધણગેસની પાસબુક
    • પી.એન.જી. ગેસ વપરાશનું છેલ્‍લું બીલ
    • ખેડૂત ખાતાવહી અથવા ગામ નમુના નં-૮-અ
    • નરેગાનું જોબકાર્ડ
    • બેંકની પાસબુક
    • કિસાન ક્રેડીટકાર્ડ
  • ફોર્મમાં માંગેલ વિગતો જેવી કે નામ, સરનામું, જાતિ, કુટુંબની અન્‍ય વ્‍યકિતના નામ અને તેમની સાથેનો સંબંધ, અભ્‍યાસ, ધંધો, આવક અને અન્‍ય માહિતી આપેલી સુચના પ્રમાણે સ્‍પષ્‍ટ અને સુવાચ્‍ય અક્ષરોમાં લખવાની રહેશે. અને તેના સંબંધિત પુરાવાઓ જોડવા પડશે.
  • અરજદાર જો ભાડે રહેતા હોય તો તેમને ભાડાચિઠ્ઠી / ભાડા પહોંચનો આધાર રજુ કરવાનો રહેશે. જ્યારે મકાન પોતાની માલિકીનું હોય તેમણે મિલકતનો નંબર અને વીજ કનેકશન નંબર અચુક લખવાનો રહેશે અને છેલ્‍લા બીલની ઝેરોક્ષ જોડવાની રહેશે.
  • રાંધણ ગેસ કનેકશન અને પાઇપ લાઇનથી ગેસ મેળવતા ગ્રાહકોએ તેની વિગત આપવાની રહેશે.
  • જે સભ્‍ય ૧૮ વર્ષથી ઉપરનો હોય અને ચુટણીનું ઓળખકાર્ડ ધરાવતો હોય તો તેનો નંબર લખવાનો રહેશે. (આ વિગત આપવી ફરજીયાત છે.)
  • જો આપ કોઇપણ પ્રકારના રેશનકાર્ડ ધરાવતા ના હોય અને રેશનકાર્ડ મેળવવા માટે અરજી કરી હોય ત્‍યારે આપને ઓળખતા હોય તેવા હાલમાં રેશનકાર્ડ ધરાવતા હોય તેવા વ્‍યક્તિની ઓળખ તથા તેમની સહી, ચુંટણી ઓળખકાર્ડ અને ડ્રાયવીંગ લાયસન્‍સની ઝેરોક્ષ રજુ કરવાની રહેશે. તે વગર આપને નવું કાર્ડ આપવામાં આવશે નહિ.
  • કુટુંબના જે સભ્‍યોની ઉંમર ૧૫ વર્ષ કે તેથી વધુ હોય તેઓ બંને હાથની આંગળીઓના નિશાન (બાયોમેટ્રીક) આપી શકશે, તથા તેમનો ફોટો પડાવી શકશે.
  • નવા રેશનકાર્ડ માટેનું અરજી ફોર્મ આપ જમા કરાવો ત્‍યારે તેની પહોંચ મેળવી સાચવવી જરૂરી પછીથી આ પહોંચ રજુ કર્યેથી નવું રેશનકાર્ડ મેળવી શકશો.છે.
આપને ફોર્મ ભરવાને લગતી કોઈ મુશ્‍કેલી હોય તો ટોલ ફ્રી નંબર :- ૧૮૦૦ ૨૩૩ પપ૦૦ પર જણાવી શકશો.

અરજી ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો

ચાલુ કૌટુંબિક રેશનકાર્ડમાં નામ ઉમેરવા શું કરવું?

ચાલુ કૌટુંબિક રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટે અરજી ફોર્મ નમુનો નં. ૩ ભરવાનું રહેશે.

અરજી પત્રક નમુનો -૩ (ત્રણ) ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.

જુના હયાત રેશનકાર્ડ કે જેમણે ફોર્મ નં. ૧ ભરેલ છે પરંતુ હજુ સુધી નવું બારકોડેડ રેશનકાર્ડ મળેલ નથી અને તે રેશનકાર્ડ ધારકોને તેમના કાર્ડમાં કુટુંબના સભ્યોના નામ ઉમેરવા કે રદ કરવા માટે શું કરવું.

જે કાર્ડધારકો નવું બારકોડેડ રેશનકાર્ડ ધરાવે છે અથવા તો જેમણે નવા બારકોડેડ રેશનકાર્ડનું ફોર્મ નં. ૧ ભરેલ છે. પરંતુ હજુ સુધી નવું બારકોડેડ રેશનકાર્ડ મળેલ નથી તેવા તમામ રેશનકાર્ડ ધારકોએ તેમના નવા બારકોડેડ રેશનકાર્ડમાં કુટુંબના સભ્યોીના નામ ઉમેરવા તેમજ કમી કરવા માટે પુરતી વિગતો સાથે અનુક્રમે નમુના નં. ૩ અને નમુના નં. ૪ મુજબની અરજી જનસુવિધા કેન્દ્ર પરથી ATVT ઓપરેટરને સુપ્રત કરવાની રહેશે.

અરજી પત્રક નમુનો -૩ (ત્રણ) ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.

અરજી પત્રક નમુનો -૪ (ચાર) ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.

વધુમાં નવા બારકોડેડ રેશનકાર્ડમાં નામ ઉમેરવા તેમજ નામ કમી કરવા બાબતનો પરિપત્ર જોવા માટે અહીં ક્લીક કરો.

ચાલુ કૌટુંબિક રેશનકાર્ડમાંથી નામ કમી કરાવવા શું કરવું?

ચાલુ રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માટે અરજી ફોર્મ નમુનો નં. ૪ ભરવાનું રહેશે.

અરજી પત્રક નમુનો -૪ (ચાર) ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો

મારું રેશનકાર્ડ ટ્રાન્સફર કરાવવું છે તો મારે શું કરવું?

સરકારશ્રીની નવી યોજના પ્રમાણે બાર્કોડેડ રેશન કાર્ડ ધારકને કાર્ડ બદલવાની જરુર નથી પરંતુ માત્ર સરનામું અને તે વિસ્તાેરના દુકાનદારનું નામ સુધરાવવાનું રહેશે.

બારકોર્ડેડ રેશનકાર્ડમાં કેટલી શ્રેણીઓ ઉપલબ્ધ છે?

રેશનકાર્ડમાં ઉપલબ્ધ શ્રેણીઓની વિગત મેળવવા માટે અહીં ક્લીક કરો.

નવું બારકોડેડ રેશનકાર્ડ કઈ રીતે વિભાજનથી મેળવી શકાય?

નવું બારકોડેડ રેશનકાર્ડ વિભાજનથી મેળવવા માટે અરજી ફોર્મ નમુનો નં. પ ભરવાનું રહેશે.

અરજી પત્રક નમુનો -૫ (પાંચ) ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.

જુના હયાત રેશનકાર્ડ કે જેમણે ફોર્મ નં. ૧ ભરેલ છે પરંતુ હજુ સુધી નવું બારકોડેડ રેશનકાર્ડ મળેલ નથી અને તે રેશનકાર્ડ ધારકોને તેમનું કાર્ડ વિભાજનથી મેળવવા શું કરવું.

જુના હયાત રેશનકાર્ડ ધારકો કે જેમણે ફોર્મ નં. ૧ ભરેલ છે. પરંતુ હજુ સુધી નવુ બારકોડેડ રેશનકાર્ડ મળેલ નથી તેવા રેશનકાર્ડ ધારકો તરફથી કુટુંબનું વિભાજન થવાને કારણે કાર્ડ વિભાજન કરી નવુ બારકોડેડ રેશનકાર્ડ મળે તે માટે તાલુકામાં મામલતદાર કચેરી હેઠળ ના જનસેવા કેન્દ્રોડ અને શહેર વિસ્તાનરમાં ઝોનલ કચેરી દ્વારા નીચે મુજબની કાર્યવાહી કરવાની રહે છે.

એક રેશનકાર્ડમાંથી વિભાજન કરી અલગ બારકોડેડ રેશનકાર્ડ મેળવવા માટે નિયત કરેલ નમૂના નં. પ ના ફોર્મ માં સંપૂર્ણ વિગતો અને જરૂરી પુરાવાઓના બીડાણ સહિતની અરજી જનસુવિધા કેન્દ્રન પર એટીવીટી ઓપરેટરને સુપ્રત કરવાની રહેશે.

અરજી પત્રક નમુનો -૫ (પાંચ) ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.

વધુમાં રેશનકાર્ડ વિભાજનથી મેળવવા બાબતનો પરિપત્ર જોવા માટે અહીં ક્લીક કરો.

મારે જાણવું છે કે કેટલા રેશનકાર્ડ મારી દુકાને જોડાયેલ છે?

તમારી દુકાને જોડાયેલા રેશનકાર્ડની વિગત માટે અહીં ક્લીક કરો.

મારા રેશનકાર્ડની વિગતોની ખાતરી ઈન્ટરનેટની મદદથી ઓનલાઈન કેવી રીતે કરી શકાય?

આપના રેશનકાર્ડની વિગતોની ઈન્ટરનેટની મદદથી ઓનલાઈન ખાતરી કરવા અહીં ક્લીક કરો.

સ્ત્રોત: અન્ન અને નાગરીક પુરવઠા.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/23/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate