অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આયર્નનું ઉચિત સ્તર જાળવવા દર વર્ષે રક્તદાન કરવું જરૂરી

આયર્નનું ઉચિત સ્તર જાળવવા દર વર્ષે રક્તદાન કરવું જરૂરી

રક્તદાન કરવાનો લોકોનો મુખ્ય ઉદ્દેશ અન્ય વ્યક્તિઓનું જીવન બચાવવાનો છે. કોઈ પણ વ્યક્તિને લોહીનાં એક યુનિટનું દાન કરીને આસપાસની ચાર વ્યક્તિઓનું જીવન બચાવવાનો સંતોષ મળી શકે છે. એક વ્યક્તિએ દાન કરેલા લોહીમાંથી રેડ બ્લડ કોર્પસલ્સ (આરબીસી), વ્હાઇટ બ્લડ કોર્પસલ્સ (ડબલ્યુબીસી), પ્લાઝમા અને પ્લેટલેટ્સ મેળવી શકાશે અને આ ચાર અલગ-અલગ જરૂરિયાતમંદ દર્દીઓને આપી શકાશે. જોકે અભ્યાસો દર્શાવે છે કે રક્તદાનથી કોઈ પણ વ્યક્તિનું જીવન બચાવવા ઉપરાંત આપણાં શરીરમાં આવશ્યક પોષક દ્રવ્યોનું નિયમન કરવામાં મદદ મળી શકે છે, જેમાં આયર્ન એક છે.

આયર્ન રક્તદાન પ્રક્રિયાઓમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે ખનીજ પોષક દ્રવ્ય છે, જેની આપણા શરીરમાં સામાન્ય કામગીરી માટે જરૂરિયાત છે. તે હિમોગ્લોબિનનો આવશ્યક ભાગ છે. રક્તદાન લાલ કોષોને દૂર કરે છે, જે હિમોગ્લોબિન અને આયર્ન ધરાવે છે. આયર્નનો સારો એવો જથ્થો અને પાચન થતું આયર્ન, હિમોગ્લોબિન અને આયર્નને મોટા ભાગનાં કિસ્સાઓમાં આગામી દાન અગાઉ પુનઃસ્થાપિત કરી શકાશે. આપણું શરીર ખાદ્ય પદાર્થોમાંથી આયર્ન મેળવે છે, દરરોજ આશરે 1થી 2 મિલિગ્રામ આયર્નનું શોષણ કરે છે. લાલ કોષો તૂટતાં આયર્ન મુક્ત થાય છે, જેનો પુનઃઉપયોગ કરવા શરીર સારી કામગીરી કરે છે.

આયર્નનો ઉપયોગ મુખ્યત્વે નવા લાલ કોષો બનાવવા માટે થાય છે. બાકીનાં આયર્નનો સંગ્રહ થાય છે અને જ્યારે વિકાસપ્રક્રિયામાં, ગર્ભાવસ્થામાં કે શરીરમાંથી લોહી ગુમાવવા જેવા કિસ્સાઓમાં આયર્ન માટે જરૂરિયાત વધે છે ત્યારે સંગ્રહ થયેલા આયર્નનો ઉપયોગ થાય છે. જ્યારે સંગ્રહ થયેલા આયર્નનો ઉપયોગ થાય છે, ત્યારે શરીરમાં આયર્નની ઊણપ છે એવું કહેવાય છે. આયર્નની ઊણપનાં ચિહ્નો હંમેશા દેખાય એવું નથી અને ઘણી વખત તેનું નિદાન થતું નથી. ઉદાહરણ તરીકે, ઘણી વખત તમારાં શરીરમાં લાલ કોષોમાં હિમોગ્લોબિનનું સાધારણ સ્તર જાળવવા આયર્નનો પર્યાપ્ત પુરવઠો ઓછો હોય છે.

આયર્નની સતત ઊણપથી હિમોગ્લોબિનનાં નિર્માણને અસર થશે. જો હિમોગ્લોબિનનું સ્તર સામાન્ય રેન્જથી ઓછું થઈ જાય, તો તેને એનિમિયા કહેવાય છે. આયર્નથી સમૃદ્ધ ભોજન લેવાથી અને તેનાં પર અવારનવાર નજર નાંખવાથી આ સ્તરને સુધારી શકાશે.

રક્તદાન આયર્નનું ઓછું સ્તર ચકાસવાની રીત હોવાની સાથે હિમોક્રોમેટોસિસ તરીકે ઓળખાતાં શરીરમાં વધારે આયર્નનું પ્રમાણ ધરાવતી સમસ્યાનું સમાધાન કરવાની રીત પણ છે. જ્યારે આપણાં શરીરનાં પગમાંથી આયર્નનું વધારે પ્રમાણ મેળવવામાં આવે છે, ત્યારે હિમોક્રોમેટોસિસ થાય છે. આયર્નનાં વધુ પ્રમાણનો સંગ્રહ આપણાં શરીરનાં અંગોમાં થાય છે, ખાસ કરીને યકૃત, હૃદય અને સ્વાદુપિંડમાં.

આયર્નનું વધુ પ્રમાણ યકૃતનાં રોગ, હૃદય સાથે સંબંધિત બીમારીઓ અને ડાયાબિટીસ જેવી જીવલેણ સ્થિતિ તરફ દોરી શકે છે. હિમોક્રોમેટોસિસનાં જનીન આનુવંશિક છે, પણ આ જનીન ધરાવતાં બહુ ઓછાં લોકોમાં આ ગંભીર સમસ્યા વિકસે છે. વધારે પડતું આયર્ન થેલેસેમિયાનથી પીડિત દર્દીઓમાં પણ જોવા મળે છે, જેમને દર બેથી ચાર અઠવાડિયામાં લોહી ચઢાવવાની જરૂર પડે છે, જેનો આધારે વ્યક્તિનાં શરીરમાં દાખલ કરવામાં આવેલા કોષો પર છે. થેલેસેમિયાનાં દર્દીઓને અસ્તિત્વ ટકાવવા માટે ચઢાવવામાં આવતું લોહી લાલ કોષ પ્રદાન કરે છે. એક વખત આ રક્તકોષો તૂટી જાય પછી શરીરમાં વધારે આયર્ન રહેતું નથી.

સ્ત્રોત: નવગુજરાત સમય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/18/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate