অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ટંકણખાર ચૂર્ણ

કષ્ટપ્રસૂતિ, આંચકી, સસણી અને શ્વાસ માટે શ્રેષ્ઠ

યોજના

ટંકણખારને તાવડી કે લોઢી પર ગરમી આપી ફુલાવી નાખવાથી શુધ્ધ થઈ જાય છે. તેના સફેદ પોલા પાવડરને બારીક પીસી કાચની બાટલીમાં ભરી રાખવો.

સેવનવિધિ

૧ થી ૩ ગ્રામ ટંકણખાર મધ કે પાણીમાં મેળવીને લઈ શકાય.

ઉપયોગ

  1. મૂઢગર્ભ – પ્રસવકાળે તકલીફ થવાથી પ્રસૂતિ ન થતી હોય ત્યારે ૨ થી ૪ ગ્રામ ટંકણખાર વાંસપત્રના ઉકાળામાં, મધમાં કે પાણીમાં મેળવીને પાવું. જરૂર જણાય તો અર્ધા અર્ધા કલાકે બેત્રણ વાર આપવાથી પ્રાયઃ પ્રસવ થઈ જાય છે.
  2. આંચકી -  બાળકોને આંચકી આવતી હોય ત્યારે ૧-૧ ટંકણખાર મધમાં, દૂધમાં કે પાણીમાં આપતા રહેવું.
  3. સસણી – ચપટી બાલચાતુર્ભદ્ર ચૂર્ણ અથવા જેઠીમધ મેળવીને કે સ્વતંત્ર ૧-૧ ગ્રામ ચૂર્ણ મધ દૂધ કે પાણીમાં ત્રણ વખત પાવું.
  4. શ્વાસ – ૧ થી ૨ ગ્રામ ચૂર્ણ સવારે, સાંજે અને રાત્રે મધમાં ચાટવું.
  5. કુનખ – ખરાબ થઈ ગયેલા નખ ઉપર અને અંદર ચૂર્ણ ભભરાવવું અથવા પાણી કે લીંબોળીના તેલમાં મેળવીને લગાડયા કરવું.
  6. કર્ણશૂળ – કાનમાં ટંકણ ચૂર્ણ નાખી ઉપર સરસિયાં તેલના ટીપાં પાડવાં.
  7. બહુમૂત્રતા –વારંવાર પેશાબ કરવા જવું પડતું હોય તો ૧ થી ૨ ગ્રામ ચૂર્ણ પાણીમાં સવારે – સાંજે લેતાં રહેવું.
  8. ઊલટી – મધમાં, દૂધમાં કે લીંબુના શરબતમાં ૧ થી ૨ ગ્રામ શુધ્ધ ટંકણખાર બે-બે કલાકે આપતાં રહેવું.
  9. મુખપાક – મોં આવી ગયું હોય તો ઠંડા પાણીમાં શુધ્ધ ટંકણખાર મેળવીને કોગળા કરવા.

વધુ માહિતી માટે

વૈદ્ય નિકુલ પટેલ
આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.)
અમદાવાદ
ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ)
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર
૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ,
ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા,
મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮
સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર)
Email : info@lifecareayurveda.com
ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો
http://www.jsdl.in/DT-1111QEBKV7
નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે
Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR
Like on https://www.facebook.com/askayurveda
Follow on https://www.twitter.com/atharvaherbal
આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ
http://www.lifecareayurveda.com
http://www.qa.lifecareayurveda.com
http://www.hindi.lifecareayurveda.com
http://www.qa.hindi.lifecareayurveda.com
http://www.gujarati.lifecareayurveda.com
http://www.qa.gujarati.lifecareayurveda.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate