ગુજરાતીમાં કહેવત છે કે, “પહેલું સુખ તે જાતે નર્યા.” માનવીએ પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહી રોગ-પ્રતિકારક શક્તિ વધારવી જોઈએ. સ્વાસ્થ્યની ખરી કિંમત તો તેની ગેરહાજરીમાં જ સમજાય. માનવ અસ્તિત્વ માટે સ્વાસ્થ્ય અને તેની જાળવણી ખાસ મહત્વની છે.
Health શબ્દ એ જૂના જર્મન અને એન્ગલો સેક્સન (Saxon) શબ્દ ‘Hale’ પરથી ઊતરી આવેલ છે. જેનો અર્થ ‘Wholeness’- ‘સમગ્ર’, ‘સ્વસ્થ્ય’ અને ‘પવિત્ર’ એવો થાય છે. ગ્રીક વૈદ્ય ગેલનના મતે, ‘સ્વાસ્થ્ય કે સ્વસ્થતા ત્યારે જ ઉદ્દભવે છે જયારે શરીરના ગરમ, ઠંડા, સૂકા, ભીના અંગભૂત તત્વો વચ્ચે સમતુલન સધાય છે. સ્વાસ્થ્યને આરોગ્ય કે તંદુરસ્તી પણ કહે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થા (WHO) એ 1946માં રજૂ કરેલ વ્યાખ્યા મુજબ “સ્વાસ્થ્ય એટલે શારીરિક, માનસિક અને સામાજિક આધ્યાત્મિક ક્ષેમકુશળતા (સુખાકારી)ની સંપૂર્ણ અવસ્થા અને ફક્ત રોગોની ગેરહાજરી કે દૌર્બલ્ય નહીં.” આરોગ્યની આ વ્યાખ્યાનો હેતુ આરોગ્ય એ માત્ર રોગોની ગેરહાજરી જ નહીં પરંતુ આરોગ્યની ક્ષેમકુશળતાની સિદ્ધિ છે એ સમજાવવાનો છે. આરોગ્ય એ વ્યક્તિના જીવન માટે જરૂરી અને કિંમતી મૂડી છે. વ્યક્તિનું કૌટુંબિક, સામાજિક જીવન ઉત્તમ બને તે માટે સૌથી પહેલા તેનું સ્વાસ્થ્ય સારું રહે તે ખૂબ મહત્વનું છે.
ભારત સહિત વિકસતા દેશોમાં આરોગ્ય નીતિઓ એ વસ્તીવૃદ્ધિ, સામાન્ય રોગો, કુપોષણ, અપંગતા, એઈડ્ઝ જેવા નવા ઉભરતા રોગો, વ્યવસાયિક રોગો, માનસિક રોગો અને તેને સંબંધિત મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ભારતમાં વર્તમાનસમયમાં 121.02 કરોડ વસ્તી છે. તેથી ભારતમાં ઘણાં રાજ્યોમાં વસ્તીવૃદ્ધિ દર ઘટાડવા માટે ઊંચા પ્રજોત્પત્તિ દરને ઘટાડવું એ આરોગ્ય ક્ષેત્ર માટે મહત્વનું લક્ષ્ય બની રહ્યું છે. મલેરિયા, ક્ષય, પાણીજન્ય રોગો, શ્વસન રોગો અને કુપોષણ જેવા રોગોએ વસ્તી માટે મુશ્કેલી ઊભી કરી છે જેમ કે, મહિલાઓ, બાળકો અને ગરીબ લોકો માટે પોષક તત્વોની ખામી. ખાસ કરીને કેટલાક પોષક તત્વોની ખામી જેવા કે મૂળભૂત ખનીજો, કેટલાક વિટામીનો અને પ્રોટીન એ સ્ત્રીઓ અને બાળકોના અટકેલા કે અધૂરા વિકાસ માટે મુખ્યત્વે જવાબદાર છે. વર્તમાનમાં એઈડ્ઝ જેવી કેટલીક નવી આરોગ્ય સમસ્યાઓ, પર્યાવરણીય પ્રદૂષણ અને ઝેરી પદાર્થોનો ઉદ્દભવ રોજિંદા જીવનમાં નવા પડકારો છે. વધતા શહેરીકરણે ગાઢ વસવાટો નવી આરોગ્ય સુવિધાઓ માટે સમસ્યાઓ ઊભી કરી છે. આ નવા પડકારો ઝીલવા માટે અગાઉની આરોગ્ય કાર્યસૂચીમાં વધારે ધ્યાન અને ફેરફારો જરૂરી છે.
સારું આરોગ્ય એ વૈશ્વિક જીવનરીતિઓ તરફ લઈ જાય છે(1995,UNDP) એટલે જ ભારતમાં એક કહેવત પ્રચલિત છે કે “Health is Wealth” એટલે કે “સ્વાસ્થ્ય એ જ સંપત્તિ છે.”
1978માં અલ્મા-અતા કોન્ફરન્સ ખાતે WHOના જનરલ ડાયરેક્ટર અને યુનિસેફના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટરે સંયુક્ત અહેવાલમાં જણાવ્યું હતું કે,....સામાજિક અને આર્થિક વિકાસની મુખ્ય ધારાઓમાં આરોગ્ય પદ્ધતિઓ વારંવાર બધાને આરોગ્ય સંભાળ માટે પ્રતિબંધિત કરે છે, તેમ છતાં ઔદ્યોગિકરણ અને પર્યાવરણમાં ઈરાદાપૂર્વકના ફેરફારોએ આરોગ્ય સમસ્યાઓ ઊભી કરી છે. જેનું કાયમી નિયંત્રણ તબીબી સારવારથી જ દૂર થઈ શકે છે. આ ધ્યાનમાં રાખીને જ આ સંશોધનલેખમાં ગુજરાતમાં આરોગ્યની સ્થિતિની ચર્ચા કરેલ છે.
આરોગ્ય પરિસ્થિતિ એ ઘણાં બધાં પરિબળોનું પરિણામ છે જેમ કે,
1. ગરીબી, ખાદ્ય સુરક્ષા, ખોરાકની કિંમત અને કુપોષણ.
2. પર્યાવરણીય પ્રદૂષણ અને જીવન ધોરણ ગુણવત્તામાં ઘટાડો.
3. વ્યવસાયિક આરોગ્ય સમસ્યાઓ.
4. પ્રજનન ક્ષમતાને લગતી આરોગ્ય સમસ્યાઓ.
5. કૌટુંબિક અર્થતંત્ર અને વેતનો.
6. માથાદીઠ આવક, શહેરીકરણ અને ઔદ્યોગિકરણ દ્વારા રજૂ થયેલ આર્થિક વિકાસ.
7. સામાજિક વિકાસ, ખાસ કરીને સાક્ષરતા દર.
8. ખાનગી આરોગ્ય સંભાળ પદ્ધતિની કિંમતો.
9. જાહેર આરોગ્ય સંભાળ : પ્રજનન પદ્ધતિઓ
આર્થિક અને પર્યાવરણીય ફેરફારો સમાજમાં ખાદ્ય સુરક્ષા, આરોગ્ય અને આહારને અસર કરે છે. જયારે પોષણ સ્થિતિ સંપૂર્ણ આરોગ્ય પરિસ્થિતિ, સંભવિત કામ કરવાની શક્તિ અને સમગ્ર લોકોના કોઇપણ જૂથના સંભવિત આર્થિક વિકાસ પર અસર કરે છે.ગુજરાત એ ભારતનું આર્થિક રીતે વિકસિત રાજ્ય છે. ગુજરાતની કુલ વસ્તી વર્ષ 2011 મુજબ 6.03 કરોડ છે. ગુજરાતની વસ્તીમાં વર્તમાન દસકા (2001-2011)માં છેલ્લા દસકા (1991-2001)ની તુલનામાં 19.17% વધારો થયેલ છે. વર્ષ 2010-11માં માથાદીઠ આવક ભારતમાં અને ગુજરાતમાં અનુક્રમે રૂ.54,151 અને રૂ.78,802 હતી. જયારે વર્ષ 2011-12માં માથાદીઠ આવક ભારતમાં અને ગુજરાતમાં અનુક્રમે રૂ.61,564 અને રૂ.89,668 છે જે આર્થિક રીતે ગુજરાતની સારી પરિસ્થિતિ રજૂ કરે છે. વર્તમાન સમયમાં ગુજરાતમાં સાક્ષરતા દર 79.31 છે અને પુરુષોમાં તે 87.23 અને સ્ત્રીઓમાં 70.73 છે. આમ, ભારતના સાક્ષરતા દર 74.04ની તુલનામાં ગુજરાતમાં સાક્ષરતા દરનું પ્રમાણ વધારે છે. આ સંશોધનલેખમાં ગુજરાતની ઉપરોક્ત સ્થિતિના સંદર્ભમાં વર્તમાનમાં ગુજરાતની આરોગ્યની પરિસ્થિતિની ચર્ચા કરવામાં આવેલ છે. જેના માટે આરોગ્યની સ્થિતિના નિર્દેશકોનો ઉપયોગ કરેલ છે.
ગુજરાત અને ભારતમાં આરોગ્યની સ્થિતિ
|
ગુજરાત |
ભારત |
||
2001 |
2011 |
2001 |
2011 |
|
(1) કુલ જન્મદર |
24.9 |
22.6 |
25.4 |
21.0 |
(2) કુલ મૃત્યુદર |
7.8 |
6.9 |
8.4 |
7.5 |
(3) માતૃત્વ મૃત્યુદર |
3.89 |
14.8 |
4.58 |
21.2 |
(4) બાળ મૃત્યુદર |
60 |
50 |
66 |
47.57 |
(5) શિશુ મૃત્યુદર |
85.1 |
44 |
94.9 |
62.70 |
(6) સરેરાશ અપેક્ષિત આયુષ્ય (LEB) |
62.15 |
64 |
62.87 |
66.8 |
(7) કુલ પ્રજોત્પત્તિ દર |
3.0 |
2.5 |
3.2 |
2.62 |
જન્મદર એટલે દર 1,000ની વસ્તીએ વર્ષ દરમ્યાન થતાં જન્મ. ગુજરાતમાં વર્ષ 2011માં વર્ષ 2001ની તુલનામાં જન્મદરમાં 10.44% જેટલો ઘટાડો નોંધાયો છે. જયારે આ જ સમય દરમ્યાન ભારતમાં જન્મદરમાં 17.32% જેટલો ઘટાડો થયો છે. ગુજરાતમાં ભારતની તુલનામાં જન્મદરમાં થયેલો ઘટાડો ઓછો છે. ગુજરાત અને ભારતમાં જન્મદરમાં થયેલો ઘટાડો વસ્તી નિયંત્રણના પ્રયાસોને આભારી છે. તથા સાક્ષરતા દરમાં થયેલા વધારાને પરિણામે વસ્તી નિયંત્રણની નીતિ કેટલાંક અંશે સફળ થઈ રહેલી દેખાય છે.
ગુજરાત સરકારે અઢી વર્ષમાં રૂ.1000 કરોડથી વધુ ખર્ચ કુપોષણના નામે કર્યો છે. ફોર્ટીફાઈટ આટો, ન્યુટ્રીશનના પ્રિમિક્ષ પેકેટો બનાવડાવ્યા છે તથા મહિલા અને બાળ કલ્યાણ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા લગભગ રૂ.120 કરોડથી વધુનો ખર્ચ માત્ર જનજાગૃતિ પાછળ કરવામાં આવ્યો છે. તેમ છતાં ગુજરાતમાં ગરીબ પરિવારના 12.59લાખ બાળકો કુપોષણનો શિકાર છે. રાજ્યમાં કુપોષણથી પીડાતા 58,31,837 બાળકો, કિશોરીઓ, સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓ છે. દેશના પ્રમાણમાં ગુજરાતમાં 55% મહિલાઓ અને 80% બાળકો વર્તમાનમાં કુપોષણથી પીડાય છે. ગુજરાતમાં બાળકના જન્મ બાદ પહેલા એક કલાકમાં સ્તનપાન કરાવનાર મહિલાઓની સંખ્યા 50% થી પણ ઓછી નોંધાઈ છે. જયારે 56% બાળકોમાં યોગ્ય પ્રમાણમાં પ્રોટીન અને કેલરીનો અભાવ જોવા મળ્યો છે તથા 56% બાળકોમાં વિટામીન ‘A’ ની ઉણપ હોવાનું સર્વેક્ષણમાં બહાર આવ્યું છે. 6માસ થી 3વર્ષના 20,43,210 બાળકોમાંથી 13,09,454 ને જ ફોર્ટીફાઈટ આટો મળ્યો છે. 3 થી 6વર્ષના 17,49,409 નોંધાયેલા બાળકોમાંથી 12,97,556ને જ પોષણક્ષમ આહાર મળ્યો છે. કુપોષણથી પીડાતી 12,29,055 ગરીબ કિશોરીઓમાંથી માત્ર 8,00,540ને જ ન્યુટ્રીશન પેકેટો મળ્યાં છે.18લાખ મહિલાઓ અને બાળકોને પોષણક્ષમ આહાર પૂરો પાડી શકાયો નથી. એટલે કે 58.31લાખમાંથી 40.29 લાખ લાભાર્થીઓને જ ફોર્ટીફાઈટ આટો, ન્યુટ્રીશન કેન્ડી, સુખડી, શીરો અને ઉપમાના પ્રિમિક્ષ પેકેટો પહોંચાડી શકાયા છે. રાજ્યમાં 5વર્ષ સુધીના 45% બાળકોનું વજન ઓછું છે. ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ દ્વારા પ્રસિદ્ધ કોફી ટેબલ બુક્સ, મિશન ન્યુટ્રીશનના ફિયાસ્કા થયાં છે. સરકારના પ્રયત્નો દર્શાવતા દાવાઓ, પ્રેઝેન્ટેશન વચ્ચે પણ ગુજરાતના 26 પૈકી 13 જિલ્લાઓમાં 6મહિના થી લઈને 5વર્ષ સુધીના બાળકો કુપોષણનો શિકાર છે.
ગુજરાતમાં કુપોષણના શિકાર બાળકોની સ્થિતિ
|
કુલ બાળકો |
કુપોષિત બાળકો |
જિલ્લો |
કુલ બાળકો |
કુપોષિત બાળકો |
અમદાવાદ |
2.91 લાખ |
90,939 |
મહેસાણા |
1.35 લાખ |
22,547 |
અમરેલી |
1.48 લાખ |
35,096 |
પાટણ |
1 લાખ |
42,514 |
બનાસકાંઠા |
2.60 લાખ |
1.03 લાખ |
પંચમહાલ |
2.15 લાખ |
81,852 |
વડોદરા |
2.18 લાખ |
83,498 |
દાહોદ |
2.66 લાખ |
99,548 |
ભરૂચ |
1.03 લાખ |
42,554 |
રાજકોટ |
1.79 લાખ |
52,076 |
નર્મદા |
50,360 |
23,599 |
સુરેન્દ્રનગર |
1.20 લાખ |
45,625 |
ભાવનગર |
2.34 લાખ |
72,857 |
ગાંધીનગર |
82,187 |
31,004 |
ડાંગ |
32,585 |
15,544 |
ખેડા |
1.86 લાખ |
46,903 |
જામનગર |
1.50 લાખ |
33,876 |
આણંદ |
1.70 લાખ |
34,161 |
જુનાગઢ |
2.06 લાખ |
27,127 |
વલસાડ |
1.21 લાખ |
40,296 |
પોરબંદર |
37,953 |
3,074 |
નવસારી |
69,758 |
20,648 |
કચ્છ |
1.60 લાખ |
43,749 |
તાપી |
55,621 |
23,312 |
ગુજરાતમાં આરોગ્યની સંસ્થાઓ તેમના તાલુકા અને જિલ્લા કક્ષાએ લોકોના આરોગ્ય બચાવ-રક્ષણ માટેના લક્ષ્ય સુધી પહોંચવા સતત પ્રયત્ન કરી રહી છે. અહીં દર્દીઓને નિષ્ણાંત ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફની મદદથી કાળજીપૂર્વક સારવાર આપવામાં આવે છે. ગુજરાતમાં 5વર્ષ દરમ્યાનની આંકડાકીય માહિતી અને તેમની કામગીરી નીચેના ટેબલમાં દર્શાવેલ છે.
ક્રમ |
બાબત |
2007-08 |
2008-09 |
2009-10 |
2010-11 |
2011-12 |
1 |
કુલ હોસ્પિટલની સંખ્યા |
59 |
59 |
63 |
63 |
62 |
2 |
કુલ પથારીઓની સંખ્યા |
6648 |
6648 |
6972 |
6972 |
7936 |
3 |
ચકાસાયેલા O.P.Dદર્દીઓ |
24242 |
23293 |
23380 |
24416 |
23755 |
4 |
ચકાસાયેલા I.P.D. દર્દીઓ |
4393 |
4485 |
4554 |
4991 |
5235 |
5 |
મોટા ઓપરેશનોની સંખ્યા |
73272 |
79816 |
87649 |
98131 |
95574 |
6 |
નાના ઓપરેશનોની સંખ્યા |
83158 |
92310 |
97776 |
104687 |
93763 |
7 |
X-rays ની સંખ્યા |
292739 |
351661 |
364412 |
382046 |
359525 |
8 |
લેવામાં આવેલ ECGની સંખ્યા |
44831 |
52695 |
63112 |
68157 |
68396 |
9 |
લેબોરેટરી ટેસ્ટ |
3743418 |
4581759 |
5155537 |
5526588 |
5890477 |
10 |
લોહી ચઢાવ્યું |
20980 |
24372 |
27203 |
27238 |
21960 |
11 |
તબીબી કાનૂની કેસો |
71472 |
82074 |
872002 |
85523 |
90096 |
12 |
પોસ્ટમોર્ટમની સંખ્યા |
6916 |
7430 |
7528 |
8111 |
8505 |
13 |
એમ્બ્યુલન્સ કોલ એટેન્ડ |
29706 |
37675 |
41061 |
40225 |
41882 |
14 |
સોનોગ્રાફી ટેસ્ટ |
52628 |
58867 |
65830 |
66233 |
69345 |
15 |
ડીલીવરી |
28026 |
38084 |
41295 |
41787 |
45406 |
1. ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા: ગુજરાતમાં EMRIના સહયોગથી તત્કાલીન તબીબી સેવાઓ પૂરી પાડવા માટે 108-ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરવામાં આવેલ છે. હાલમાં 108-એમ્બ્યુલન્સની સંખ્યા વધારે વિસ્તૃત કરવામાં આવી રહી છે. આશરે 607 જેટલી 108-એમ્બ્યુલન્સ ગુજરાતમાં તત્કાલીન તબીબી સેવાઓ પૂરી પાડી રહી છે.
2. સલામત માતૃત્વ માટે થયેલ કામગીરી: ગુજરાતમાં સલામત માતૃત્વ માટે મમતા અભિયાન સુદ્રઢ કરવામાં આવ્યું છે. જેમાં ઔદ્યોગિક એકમોમાં કામ કરતાં કામદારો સહિત તમામ વિસ્તારો આવરી લેવામાં આવ્યાં છે. મમતા અભિયાનમાં સગર્ભા બહેનોની પૂર્વ તપાસ, પૂર્વ પ્રસૂતિ તપાસ કરવામાં આવે છે. તેમજ ધનૂર વિરોધી રસી આપવામાં આવે છે. તથા સગર્ભા અને ધાત્રી માતાઓને આયોડીનયુક્ત મીઠું તેમજ માર્ગદર્શન આપવામાં આવે છે. સગર્ભા બહેનોને કોઈ મુશ્કેલ પરિસ્થિતિ હોય તો તેમનું વહેલું નિદાન કરી સલામત પ્રસૂતિ માટે સંદર્ભ સેવા પૂરી પાડવામાં આવે છે.
3. સંસ્થાકીય પ્રસૂતિની માત્રા વધારવા માટે ગુજરાતમાં વિવિધ પગલાં લેવામાં આવ્યાં છે જેમ કે, કોમ્પ્રીહેન્સીવ ઈમરજન્સી ઓબસ્ટેરટીક કેસ અને ઈમરજન્સી ઓપરેશન કેરની તાલીમ, લાઈફ સેવિંગ્સ સ્કીલ, એનેસ્થેસિયા ઈન પ્રેગનન્સીની તાલીમ તબીબો/પેરા મેડિકલ સ્ટાફને આપવામાં આવી છે.
4. બાળ સંભાળ માટે થયેલ કામગીરી:
5 એનેમીયાથી બાળકો અને મહિલાઓને રક્ષણ આપવા માટે એનેમિયા પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલ છે.
6 હૃદય, કિડની અને કેન્સર જેવી ગંભીર બિમારી ધરાવતાં બાળકોને સુપર સ્પેશીયાલીસ્ટ હોસ્પિટલમાં વિના મૂલ્યે સઘન સારવાર આપવામાં આવે છે.
7 મોબાઈલ હેલ્થ યુનિટ મારફતે અગરિયા વિસ્તારમાં મોતિયાના ઓપરેશનો કરી આપવામાં આવે છે.
8 બાલસખા, ચિરંજીવી સ્કીમ, નિરોગી બાળ વર્ષ, મમતા કીટ વગેરેનું આયોજન કરવામાં આવેલ છે.
9 તાજેતરમાં જ ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે – ‘મુખ્યમંત્રી અમૃતમ મા યોજના’ શરૂ કરવામાં આવેલ છે. આ યોજના દ્વારા પશ્ચિમના દેશોની જેમ હવે ગુજરાતમાં પણ સરકારી ખર્ચે હેલ્થકાર્ડ દ્વારા મફત તબીબી સેવાઓ ઉપલબ્ધ બનશે. રૂ. 200 કરોડની આ યોજનામાં ગરીબમાં ગરીબ કુટુંબ અને માતા-બાળકને ગંભીરમાં ગંભીર રોગમાં 2 લાખ સુધીની તબીબી સારવારનો, દવાઓનો ખર્ચો સરકાર પોતે ઉપાડશે. આ માટે પ્રત્યેક ગરીબ પરિવારના નાગરિકોને ખાસ હેલ્થકાર્ડ આપવામાં આવશે. રાજ્યના તમામ સરકારી દવાખાનાઓમાં જીવનરક્ષણ દવાઓ સરળતાથી ઉપલબ્ધ થઈ રહેશે. આ માટે ‘ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન’ની રચના કરવામાં આવી છે.
10 ક્ષય રોગ : ગુજરાતમાં W.H.O. દ્વારા R.N.T.C.P.-સુધારેલ રાષ્ટ્રીય ક્ષય નિવારણ કેન્દ્ર અંતર્ગત દર્દીની ગળફાની તપાસ, X-rays સારવાર વગેરે મફત કરી આપવામાં આવે છે. તથા ડોટ્સ દ્વારા સારવાર આપવામાં આવે છે. જે ડોટ્સ પ્રોવાઈડર દ્વારા સીધા નિરીક્ષણ હેઠળની સારવાર છે.
11 મલેરિયા: ગુજરાતમાં મલેરિયાના નિવારણ માટે N.V.B.D.C.P.-રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અમલમાં છે. જેની સારવાર કોઇપણ સરકારી દવાખાનામાં મફત આપવામાં આવે છે.
12 થેલેસેમિયા : ગુજરાતમાં ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી દ્વારા સગર્ભા મહિલાઓને થેલેસેમિયાની મફત સારવાર આપવામાં આવે છે.
13 એઈડ્ઝ (HIV) : ગુજરાતમાં એઈડ્ઝ કંટ્રોલ પ્રોગ્રામ I.C.T.C.P.-સંકલિત સમજણ તપાસ કાઉન્સીલીંગ કાર્યક્રમ દ્વારા એઈડ્ઝની મફત સારવાર આપવામાં આવે છે.
14 રક્તપિત્ત : ગુજરાતમાં લેપ્રોસ્કોપી કંટ્રોલ પ્રોગ્રામ દ્વારા રક્તપિત્તની મફત સારવાર આપવામાં આવે છે.
15 રસીકરણ : ગુજરાતમાં સગર્ભા મહિલાઓને ધનૂરની રસી, બાળકોને પોલીયો, બી.સી.જી., ત્રિગુણી રસી, વિટામીન-A માટેની રસી, ઓરીની રસી વગેરે જેવી રસી સરકારી દવાખાનાઓમાં મફત આપવામાં આવે છે.
લેખક :
Miss. Jignasha R. VaghelaAssistant professor,Department of EconomicsArts, Science & Commerce College, Pilvai.jignasha_vaghela@yahoo.ઈન
સ્ત્રોત: કેસીજી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/15/2020