- શહેરી વિસ્તારમાં ખુલ્લામાં થતી શૌચક્રીયા નાબુદ કરવા તથા જ્યાં વ્યક્તિગત શૌચાલય બાંધી શકાય તેમ નથી તે માટે પે એન્ડ યુઝ ટોયલેટ યોજના અમલમાં મુકેલ છે.
- શહેરી વિકાસ વર્ષ ૨૦૦૫ થી શહેરી વિસ્તારમાં અગત્યના સ્થળોએ મોટી સંખ્યામાં પે એન્ડ યુઝ ટોયલેટ બાંધવાનું શરૂ કરવામાં આવેલ છે.
- રાજય સરકારશ્રી દ્ધારા ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડની નોડલ એજન્સી તરીકે નિયુક્તિ કરવામાં આવેલ છે.
- સુધારેલ ગાઇડ લાઇન્સ મુજબ સરકારશ્રી દ્ધારા પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોક માટે મહતમ રૂ. ૭.૧૦ લાખની સહાય આપવામાં આવે છે.
- અગાઉ આ યોજના હેઠળ કુલ ૧૧૫૧ પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોક બાંધવાની કામગીરી પૂર્ણ કરેલ છે. જે ઉપયોગ હેઠળ છે.
- નવી યોજના હેઠળ તા. ૨૫-૦૭-૨૦૧૪ ની સ્થિતિએ ૯૨ પે એન્ડ યુઝ ટોયલેટ બ્લોકસ બનાવવા માટે રૂ. ૨.૬૪ કરોડની સહાયની મંજુરી આપવામાં આવેલ છે.
- મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વ-ભંડોળ / એમ.પી./ એમ.એલ.એ. ગ્રાંટ / અન્ય યોજના હેઠળ કુલ ૭૧૫ પે એન્ડ યુઝ ટોયલેટ બનાવીને તેની નિભાવણી કરવામાં આવે છે.
- સ્લમ વિસ્તારના સુવિધાથી વંચિત કુટુંબોને માસિક રૂ.૧૦-૧૫ના નજીવા દરથી કુંટુંબ પાસ હેઠળ ઉપયોગની સુવિધા આપવામાં આવે છે.
- ૧૨ વર્ષ સુધીના નાના બાળકો, મહિલા અને વૃધ્ધો / અશ્કતોને વિના મુલ્યે સુવિધા આપવામાં આવે છે.
સ્ત્રોત: મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન સ્વચ્છ ભારત અભિયાન
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/25/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.