অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ખોરાક ની વાનગીઓ અને તેમાં પોષણનું પ્રમાણ

ખોરાક ની વાનગીઓ અને તેમાં પોષણનું પ્રમાણ

કેળુ – હંમેશા પસંદગી પામેલુ અને પોસાય તેવું ફળ

કેળુ સદીઓથી પસંદગી પામેલુ ફળ રહ્યુ છે. તેમા ઘણી રક્ષણાત્મક લાક્ષણિકતાઓ રહેલી છે. આ ફળ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં પ્રાપ્ય છે અને દરેક વર્ગને પોસાય તેવું છે. દરેક પ્રકારના કેળા એક કે બીજી રીતે ઉપયોગી છે.
કેળુ પુરતી તાકાત આપે છે અને ખૂબ જ પ્રમાણમાં રેસા અને કુદરતી ખાંડ જેવી કે સકરોઝ, ફ્રુક્ટોસ અને ગ્લુકોઝ ધરાવે છે.

કેળા ઘણીબધી બીમારીઓથી બચવામાં અને મટાડવામાં ઉપયોગી છે.

  • ડિપ્રેશનઃ કેળામાં એક એવા પ્રકારનું પ્રોટિન છે જેને શરીર સેરોટોનિનમાં રૂપાંતર કરે છે, જે વ્યક્તિને આરામ આપે છે અને ખુશીનો અહેસાસ કરાવે છે.
  • પ્રિ મેનસ્ટ્રુઅલ સિન્ડ્રોમ (પીએમએસ): કેળામાં રહેલું વિટામીન બી6 લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ અંકુશમાં રાખે છે જે વ્યક્તિના મિજાજ પર અસર કરે છે.
  • એનિમિયાઃ સારા પ્રમાણમાં આયર્ન ધરાવતા કેળા, લોહીમાં હિમોગ્લોબીન બનવાની પ્રક્રિયાને વેગવંતી બનાવે છે જે એનિમિયાના કિસ્સામાં પણ મદદરૂપ થાય છે.
  • લોહીનું દબાણઃ કેળામાં પોટેશિયમનું ઊંચુ પ્રમાણ અને મીઠાનું ઓછું પ્રમાણ હોય છે, જે લોહીના દબાણને કાબૂમાં રાખવા માટે મદદરૂપ છે.
  • મગજની શક્તિઃ સંશોધનમાં માલૂમ પડ્યુ છે કે પોટેશિયમ ધરાવતા ફળો બાળકની શીખવામાં ઝડપમાં મદદરૂપ થાય છે અને બાળકો વધુ સતર્ક થાય છે.
  • કબજિયાતઃકેળામાં રેસાઓનું પ્રમાણ વધુ રહેલું છે જે પાચનમાં મદદરૂપ થાય છે, જે કબજિયાતમાં મદદરૂપ થાય છે.
  • હ્રદયમાં બળતરાઃ કેળામાં કુદરતી એન્ટીએસિડ છે, જે હ્રદયમાં બળતરાને રાહત આપે છે.
  • ચાંદાઃ કેળાનો વપરાશ આંતરડાની તકલીફમાં કરવામાં આવે છે કારણ કે તે પોચું હોય છે. તે એસિડિટીમાં મદદરૂપ થાય છે અને તે પેટની સપાટીમાં થતી બળતરાને પણ ઓછી કરે છે.
  • સ્ટ્રોકઃ કેળાને પોતાના ખોરાકમાં નિયમિત રીતે લેવાથી સ્ટ્રોક દ્વારા મૃત્યુની શક્યતા 40% સુધી ઓછી કરી શકાય છે.

ઓટ

  • ઓટમાં ચરબી અને મીઠું ઓછું હોય છે, અને તે કુદરતી આયર્નનો સારો સ્રોત છે. કેલ્શિયમના સારા સ્રોત સાથેસાથે, તે હ્રદય, હાડકા અને નખ માટે ઉત્તમ છે.
  • તે સોલ્યુબલ ફાઇબરનો શ્રેષ્ઠ સ્રોત છે. ઓટ (અડધો કપ, રાંધેલા) હોય તેમાં 4 ગ્રામ વિસ્કસ સોલ્યુબલ ફાઇબર (બિટા ગ્લુકોન) હોય છે. આ ફાઇબર શરીરમાં લો બ્લડ એલબીએલ કોલેસ્ટ્રોલને નીચું રાખવામાં મદદ કરે છે. જે ખરાબ કોલેસ્ટ્રોલ ગણવામાં આવે છે.
  • ઓટ વધારાની ચરબીને શોષી લે છે અને તેને શરીરની બહાર ધકેલે છે. આથી ઉચ્ચ સોલ્યુબલ ફાઇબરને કારણે તે કબજિયાત દૂર કરે છે અને ગેસ્ટ્રો-ઇન્ટેસ્ટાઇનલ પ્રક્રિયાઓમાં મદદરૂપ થાય છે.
  • ઓટમાં સારો હોય તેવો ખોરાક લેવાથી લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ જળવાઇ રહે છે.
  • ઓટ નર્વસ ડિસઓર્ડરમાં મદદરૂપ થાય છે.
  • ઓટ અંડાશય અને ગર્ભાશયને લગતી તકલીફો, જે મોટેભાગે મેનોપોઝ દરમિયાન થાય છે તેમાં મદદરૂપ થાય છે.
  • ઓટમાં કેટલાક દુર્લભ ફેટી એસિડ અને એન્ટિઓક્સિડન્ટ છે જે વિટામીન ઈ સાથે સેલને નુકસાન થતું અટકાવે છે અને જે કેન્સરનું જોખમ ઘટાડે છે.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/30/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate