અનુ |
વિગતો |
|
૧ |
યોજનાનું નામ / પ્રકાર |
શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ |
૨ |
યોજનાના લાભાર્થીની પાત્રતાના માપદંડ |
· નવજાત શિશુથી ૧૪ વર્ષના તમામ બાળકો · પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ૧૮ વર્ષ સુધીના વિધાર્થીઓ, મદ્દેસા અને ચિલ્ડ્રનહોમના બાળકો. |
૩
|
યોજના અંતર્ગત એન.આર.એચ.એમ. અંતર્ગત સહાય / લાભ |
(૧) આરોગ્ય તપાસ. અને સારવાર |
(ર) સંદર્ભ સેવા |
||
(૩) વિના મૂલ્યે ચશ્મા વિતરણ |
||
(૪) કેન્સર, હ્રદય તેમજ કિડની જેવા ગંભીર રોગની કિડની પ્રત્યારોપણ સહિતની સારવાર |
||
(પ) લીવર ટ્રાન્સપ્લાન્ટ, કોકંલીપર ઇમ્પ્લાન્ટ અને કલબફૂટની સારવાર. |
||
૪ |
યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ |
શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય તપાસ અને સારવાર આરોગ્ય ટીમ ધ્વારા કરવામાં આવે છે. વધુ સારવારની જરૂર જણાય તો સી.એચ.સી./હોસ્પિટલમાં સંદર્ભ સેવા આપવામાં આવે છે. જેનું સંદર્ભકાર્ડ તબીબી અધિકારી ધ્વારા ભરી આપવામાં આવે છે. હદય, કિડની જેવી ગંભીર બિમારીવાળા બાળકોને રાજયની એપેક્ષ હોસ્પિટલમાં વિના મૂલ્યે સારવાર આપવામાં આવે છે. |
૫ |
યોજનાનો લાભ કયાંથી મળશે. |
નજીકના સરકારી દવાખાના, પ્રા.આ.કેન્દ્ર, સા.આ.કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર અને જનરલ હોસ્પિટલ. |
શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ૨૦૧૫-૧૬ અંતર્ગત અમરેલી જિલ્લાની ખાનગી તથા સરકારી ૯૮૪ પ્રાથમિક શાળાઓ, ૨૬૪ માધ્યમિક શાળાઓ અને ૧,૬૨૫ આંગણવાડી કેન્દ્રો તથા ૨ આશ્રમ શાળા, કસ્તુરબા આશ્રમ શાળા, ૩ વિકલાંગ અંધજન શાળા તથા ૧ ચિલ્ડ્રન હોમ, ૪ મદરેસા અને ૧ નવોદય વિદ્યાલય સહિત ૧૨ શાળાઓ સહિત કુલ ૨,૫૦૪ શાળાઓ અને શાળાએ ન જતા હોય તેવા ૩૫૮ બાળકો સહિત ૩,૬૫,૬૭૦ બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવશે. તા.૧ ડિસેમ્બર-૨૦૧૫ થી શરૂ થયેલ કાર્યક્રમ તા.૫ ફેબ્રુઆરી-૨૦૧૬ ૪૫ દિવસો સુધી રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકોની તપાસ કરવામાં આવશે. શાળામાં સ્વચ્છતા અભિયાનની સાથોસાથ હેલ્થ વર્કર દ્વારા બાળકોની તપાસ કરવામાં આવશે.
સ્ત્રોત: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020