অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

અન્ય રોગો વિશેની યોજનાઓ

વિભાગે તેની પોતાની કેડર મારફતે બંધ, આડબંધ, નહેર અને પાણી નિકાલ સહિતની લગભગ તમામ સવલતોના સંચાલન, નિભાવ અને મરામત કરે છે. જેથી આ સવલતોના રાજયના મૂડીરોકાણને રક્ષણ આપે તે રીતે સંચાલન અને નિભાવ સુનિશ્ચિત થાય. તેમાં તમામ માળખાંઓની ચકાસણી અને જરૂર હોય તો તેના મરામત/સુધારણાનો સમાવેશ થાય છે. જે નાની નહેરો પર પાણી પિયત મંડળીઓને કબજો આપેલ છે તેના પર તેઓ દ્વારા આવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. અન્ય તમામ નહેરોની બાબતમાં સંબંધિત વિભાગનો કર્મચારી વર્ગ આ કાર્યક્રમ હેઠળ પ્રવૃત્તિઓ હાથ ધરે છે.
તમામ નહેરોના માળખાંના નિરીક્ષણ અને તપાસણી માટેનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ઇજનેરોએ પગપાળા નિરીક્ષણ કર્યું હતું અને ખામીઓ નોંધી હતી અને આવા માળખાઓની સુધારાણા/પુનઃસજાવટ માટે સમય બધ્ધ કાર્યક્રમ ઘડવામાં આવ્યો હતો, જે અમલ હેઠળ છે. સંબંધિત સિંચાઇ યોજનાઓ માટે કૃષિ નિષ્ણાતો અને સલાહકાર સમિતિઓ સાથે પરામર્શ કરીને રોટેશન પધ્ધતિથી સિંચાઇ માટેનું પાણી આપવાનું નક્કી કરાયું છે.

  • ભુલકણાપણુ.
  • એકાગ્રતા ગુમાવવી.
  • અપેક્ષા નહી કરેલ તેવો વજનમાં ઘટડો.
  • ચાલવામાં સૌમ્ય મુશ્કેલીઓ.
  • થાક.
  • વ્યથા.
  • ઉદાસિનતા.
  • માંદગી.
  • જોવામાં અથવા સાંભળવામાં હાની.

એક Alzheimer'sના રોગીના જીવનનો ગાળો સાધારણપણે ઓછો થઈ જાય છે, તે છતા એક દરદી તેનુ નિદાન થયા પછી ૩ થી ૨૦ વર્ષ સુધી જીવે છે. રોગનો અંતિમ તબક્કો કદાચ થોડા મહિનાથી કેટલાક વર્ષો સુધી ચાલે છે, અને આ સમય દરમ્યાન દરદી સ્થિર અને બેકાર થઈ જાય છે.

ગાંડપણ મગજના વિકારનો એક સામાન્ય શબ્દ છે, જે ગંભીરતાથી એક વ્યક્તિની રોજની પ્રવૃતિઓ કરવા માટે પ્રભાવિત કરે છે. વરિષ્ઠ લોકોમાં Alzheimer નો રોગ ગાંડપણનો સૌથી સાધારણ પ્રકાર છે. આ મગજને નિયંત્રિત કરવા માટે વિચાર, યાદશક્તિ અને ભાષાના કેટલાક ભાગોનો સમાવેશ છે. Alzheimerના રોગના કારણો હજી સુધી અજાણ્યા છે અને તેનો કોઇ ઇલાજ નથી. આ રોગ સાધારણ પણે ૬૦ વર્ષની ઉમર પછી શરૂ થાય છે અને ઉમરની સાથે તેનુ જોખમ વધતુ જાય છે. વૈજ્ઞાનિકોએ આ પણ શોધી કાઢ્યુ છે કે Alzheimerના રોગવાળા લોકોના મગજમાં બીજા ફેરફાર થાય છે. મગજના ભાગોમાં મજ્જતંતુના કોષોનુ નુકશાન થાય છે, જે યાદશક્તિ અને બીજી માનસિક આવડત માટે આવશ્યક છે અને મગજમાં રાસાયણિક્ના ઓછા સ્તર છે, જે જટિલ સંદેશા મજ્જતંતુના કોષોની આગળ અને પાછળ લઈ જાય છે. Alzheimer નો રોગ કદાચ સામાન્ય વિચાર અને યાદશક્તિને જુદા પાડે છે અને સંદેશાને મજ્જતંતુના કોષોની વચ્ચે વિઘ્ન લાવે છે.


 

Alzheimer ધીમેથી શરૂ થાય છે. સૌથી પહેલા ફક્ત લક્ષણો કદાચ હલકુ ભુલકણાપણુ, તાજેતારમાં બનેલી ઘટનાઓને યાદ રાખવા થતી મુશ્કેલી, પ્રવૃતિઓ અથવા પરિચિત લોકોના નામ અથવા વસ્તુઓને યાદ રાખવા મુશ્કેલી થાય છે. સાદી ગણીતની સમસ્યાઓનો જવાબ આપવામાં મુશ્કેલી થાય છે. આ ત્રાસદાયક થઈ જાય છે, પણ સામાન્યત: આ ગંભીર ચેતવણીનુ કારણ નથી.

આ ફક્ત એક રોગ જ્યારે ધીમેધીમે આગળ વધીને વધારે બગડી જાય છે અને વધારે સરળતાથી તેના લક્ષણો નજરમાં આવે છે, ત્યારે ચિકિત્સા માટે મદદ ગંભીર થઈ જાય છે. Alzheimerના રોગની સાથેના લોકો તેના છેલ્લા ચરણોમાં કદાચ સરળ કામ કેવી રીતે કરવુ તે પણ ભુલી જાય છે, જેવુ કે દાત સાફ કરવા અથવા વાળ ઓળવા. તેઓ હવે સ્પષ્ટ રીતે વિચારી શકતા નથી. બોલવામાં, સમજવામાં, વાંચવામાં અથવા લખવામાં તકલીફ થાય છે. ત્યારે પછી Alzheimerના રોગવાળા લોકો કદાચ વધારે અસ્વસ્થ અથવા આક્રમક થઈ જાય છે અથવા ઘરથી દુર ભટકી જાય છે. છેવટે દરદીઓની દેખભાળ અને ધ્યાન રાખવાની જરૂર છે.

એક વ્હેલા બરોબર રીતે કરેલુ  રોગનુ નિદાન દરદીઓ અને તેના કુંટુંબને ભવિષ્યમાં યોજના બનાવવા મદદ કરે છે. આ તેમને દેખભાળના વિકલ્પ ઉપર ચર્ચા કરવા માટે સમય આપે છે, જ્યારે દરદી હજી પણ નિર્ણય લેવા માટે ભાગ લઈ શકે છે. વ્હેલુ નિદાન પણ રોગના લક્ષણોનો ઉપચાર કરવા સૌથી સારી તક આપે છે. ડૉકટરો "સંભવિત" અથવા "બનવાજોગ" Alzheimerના રોગના વિશિષ્ટ કેન્દ્રો ઉપર કેટલીક પ્રક્રિયાઓના માધ્યમથી એક નિદાન કરે છે. એક સંપુર્ણ વૈદ્યકીય ઇતિહાસ વ્યક્તિના સામાન્ય સ્વાસ્થય, પહેલાની વૈદ્યકીય સમસ્યાઓ, રોજની પ્રવૃતિઓ કરવા દરમ્યાન આવતી તકલીફ વિષેની જાણકારીનો સમાવેશ છે. વૈદ્યકીય ચકાસણી જેવી કે લોહી, પેશાબ અથવા કરોડના પ્રવાહીની ચકાસણી. માનસિકતાને સબંધિત મગજની તપાસણી - સ્મરણશક્તી, સમસ્યાઓનો ઉકેલ, ધ્યાન, ગણતરી અને ભાષાનુ પરિમાણ કરે છે. મગજનુ પૃથક્કરણ એ જોવા માટે કે તેમાં કોઇ અસાધારણતા છે. ડૉકટર બીજા સંભવિત કારણો એક વ્યક્તિના લક્ષણો, તેનો વૈદ્યકીય ઇતિહાસ અને ચકાસણીના પરિણામ રદબાતલ કરે છે. ઉદાહરણ માટે કંઠગ્રંથીની સમસ્યાઓ, દવાની પ્રતિક્રિયા, ઉદાસિનતા, મગજમાં ગુમડુ અને મગજમાં લોહીની વાહિનીનો રોગ, Alzheimerના રોગ જેવા લક્ષણોનુ કારણ બને છે. બીજા લક્ષણોનો પણ સફળતાથી ઉપચાર થઈ શકે છે. Alzheimer એક પ્રગતિશીલ બીમારી છે, લક્ષણો સમયની સાથે વધારે ખરાબ થઈ જાય છે. તેમ છતા તે પરિવર્તનશિલ રોગ પણ છે. લક્ષણો જુદાજુદા દર ઉપર અને જુદીજુદી જાત પ્રમાણે પ્રગતિ કરે છે. ઉપસ્થિતી અને લક્ષણોની પ્રગતિ આગળના દરેક વ્યક્તિ માટે બદલતી રહે છે.

કેટલાક સામાન્ય લક્ષણો છે

  • ચિંતા, વહેમ, શક્કીપણુ, આંદોલન.
  • વ્યક્તિત્વ અને નિર્ણય લેવામાં પરિવર્તન.
  • ગૂંચવડો અને સ્મરણશક્તિની હાનિ.
  • રોજના જીવન માટે પ્રવૃતિઓમાં મુશ્કેલી, જેવી કે ખવડાવવુ અને નાહવુ.
  • કુંટુંબ અને મિત્રોને ઓળખવામાં મુશ્કેલી.
  • આત્મવિસ્મૃતિ.
  • પરિચિત વાતાવરણમાં ખોવાઈ જવુ.
  • મતિભ્રમ અને ભ્રમણા.
  • ભુખ નહી લાગવી.
  • વજનમાં કમી.
  • મુત્રાશાય અને આતરડાની હાનિ.
  • ભાષણની હાનિ.
  • નિયમિત કાર્યોની સાથે સમસ્યાઓ.
  • બોલવાનુ અથવા પ્રક્રિયાનુ પુનરાવર્તન.
  • નિંદ્રામાં અશાંતી.
  • દેખભાળ રાખવાવાળા ઉપર સંપુર્ણ નિર્ભરતા.
  • રખડવુ, આગળ પાછળ ચાલવુ.

પહેલાના તબક્કામાં ઉપચાર
દરદીને કહીને:જો Alzheimer'sના રોગીને સચ્ચાઈ જાણવાની ઇચ્છા હોય તો તેને/તેણીને બતાવવી જોઇએ. બંને દેખભાળ રાખનાર અને દરદી પછી આ રોગને નિયંત્રણમાં લાવવા સહાયતા સમુદાય અને નશીલી દવાનુ સંશોધન કરે છે.

મિજાજ અને ભાવનાત્મક વ્યવહાર:Alzheimer'sના દરદીઓ અચાનક મિજાજના ઉતરચડમાંથી પસાર થઈને આક્રમક થાય છે અને ગુસ્સો કરે છે. આ વર્તણુક મગજમાં રાસાયણિક બદલાવને લીધે થાય છે. આ મહત્વનુ છે કે દેખભાળ રાખનારે વાતાવરણને નિયંત્રણમાં લાવવા અને ઘ્યાનમાં વિક્ષેપ અને ઘોંઘાટ સૌથી ઓછો કરવા અને સ્પષ્ટ પણે બોલવા માટે છે. આ સુચવવામાં આવ્યુ છે કે Alzheimer'sના દરદીઓ સારી રીતે પ્રતિક્રીયા કરે છે અને વાક્યો જલ્દી બોલે છે. કેટલાક ઘટકો જે ધમકી અનુભવે છે (લોકો ઓરડાની બહાર વાતો કરે છે) અને ઉશ્કેરાટ અને આક્રમણ પૈદા કરે છે. ચીસો પાડીને અથવા બીજી કોઇ વિધ્વંસક વર્તણુકના જવાબમાં એક ખાધ્ય પદાર્થ અથવા મોટરમાં સવારી આપીને બેધ્યાનપણાને કદાચ મદદરૂપ બને છે. તેમ હોવા છતા, વધારે ધ્યાન નકારાત્મક ભાવનાઓ Alzheimer'sના દરદીઓને અપાય છે, તેમાંથી કેટલાક અત્યંત કોમળ થઈ જાય છે અને પોતાની ઉપર હસવા માટેની ક્ષમતા રાખે છે.

દેખાવ અને સ્વસ્છતા:Alzheimer'sના દરદીઓ નહાવાનો અથવા સ્નાન કરવાનો વિરોધ કરે છે. ઘણીવાર Alzheimer'sના દરદીઓ રંગ અને સંયોજનની ભાવના ગુમાવી બેસે છે અને વિચિત્ર અથવા નહી બંધ બેસે એવા કપડા પસંદ કરે છે. આ કદાચ બહુ નિરાશજનક હોય છે અને તમે જેને પ્રેમ કરો છો તેના માટે શર્મજનક હોય છે. 

ગાડી ચલાવવી:જેટલુ બને તેટલુ જલ્દી Alzheimer'sના રોગનુ નિદાન થાય એટલે દરદીએ મોટર ગાડી નહી ચલાવવી જોઇએ કારણકે તેઓ રખડવા મંડે છે. જો તેઓ ઘરની અંદર રહેતા હોય તો દરવાજાને બહારથી તાળુ મારવુ જોઇએ જે દરદી ઉઘાડી ન શકે પણ બીજા ઉઘાડી શકે.
લૈંગિકતા:Alzheimer'sના દરદીઓ કદાચ લૈંગિક સબંધ રાખવામાં રસ ગુમાવે છે. જો લૈંગિક સબંધ રાખવામાં સમસ્યા હોય તો, તેની તમારે ચિકિત્સક સાથે ખુલ્લી રીતે ચર્ચા કરવી જોઇએ.

અશાંત ઉંઘ:પછીના તબક્કા દરમ્યાન ઉપચાર

પેશાબ રોકવાની અસમર્થતા:પેશાબ રોકવાની અસમર્થતા (પેશાબને કાબુમાં લાવવાની અસમર્થતા) કદાચ થોડા સમય માટે નિયંત્રિત કરી શકાય છે, સમયનુ ધ્યાન રાખીને કે પ્રવાહી તમે કેટલી વાર પીધુ, કેટલી વાર ખાધુ અને કેટલી વાર પેશાબ કર્યો. એક વાર કાર્યક્રમ સ્થાપિત થયા પછી સંભાળ રાખનાર કદાચ અસંયમી ઘટનાઓ થવાની આશા રાખી શકે છે અને દરદીને તે આવે તે પહેલા જ શૌચાલયમાં લઈ જવાય છે.

સ્થિરતા અને દર્દ:જેમ રોગ આગળ વધે છે Alzheimer'sના દરદીઓ સ્થગિત થઈ જાય છે. સાચે સાચ કેવી રીતે હાલવુ તે પણ ભુલી જાય છે અને છેવટે તે પૈડાવાળી ખુરશીને આધિન થઈ જાય છે અથવા પથારીવશ થઈ જાય છે. પીઠમાં ધારા પડવા તે એક પ્રમુખ સમસ્યા બની શકે છે. ચાદરો સાફ, કોરી અને ખોરાકથી દુર રાખવી જોઇએ. દરદીની ચામડી વારંવાર ધોવી જોઇએ, કોરૂ રાખીને moisturizers લગાડવુ જોઇએ. દરેક બે કલાકે દરદીને હલાવવો જોઇએ અને તેના પગ ઓશીકા અને ગાદી રાખીને ઉંચા રાખવા જોઇએ. પગને અને બાહુને વ્યાયામ, તેમને લચીત રહેવા માટે શરૂ કરવો જોઇએ.

ખાવાની સમસ્યાઓ:વજન ઓછુ થવુ અને ધીમેધીમે ગળામાં ખોરાક ઉતારવાની અસમર્થતા તે બે પ્રમુખ સબંધિત સમસ્યાઓ છે. દરદી માટે એક પીચકારી વાપરીને ખોરાક આપી શકાય છે અથવા તેનુ ધ્યાન રાખનાર ખોરાક ચાવીને ધીમેથી હડપચીમાં છેવટ સુધી ધકેલીને અને તેના હોઠ ઉપર આપીને પ્રોત્સાહીત કરે છે. શરીરમાં પાણી સુકાઈ જવુ તે એક સમસ્યા બની છે, દરરોજ ૮ પ્યાલા પાણી પીવુ જરૂરી છે. એ ધ્યાનમાં રાખવુ જોઇએ કે કોફી અને ચા મૂત્રવર્ધક દવા છે, જે પ્રવાહીને ઓછુ કરે છે, એટલે તેનાથી દુર રહેવુ જોઇએ.


વરિષ્ઠોમાં તાપમાનની તકલીફો
જેમ લોકો વયોવૃદ્ધ થતા જાય છે, તેમ થંડી અને ગરમ રૂતુ અને શરીરનુ તાપમાન વધારે પડતુ સહન કરવુ તે ચુનૌતીપુર્ણ બની જાય છે. દવાનો ઉપચાર કરવો, જુની બિમારીઓ અને ખરાબ આદતો, ગરમીનો વિકાર (અતિ અનુક્રિયા) અને ઠંડીનો વિકાર (અતિ અનુક્રિયા)નુ વધતુ જતુ જોખમ માટે યોગદાન આપે છે. શારિરીક પરિવર્તનના ઉપરાંત, આજીવન ટેવો અને નાણાની જોગવાઈ સમસ્યાઓમાં વધારો કરે છે. દા.ત. ઘણા વરિષ્ઠોને બારી ઉઘાડી રાખવાથી સુરક્ષિત નથી લાગતુ અને વાતુનુકુલ અથવા ગરમ કરવાનુ સાધાન વાપરવા માટે અચકાઈ જાય છે, કારણકે વિજળીની કિમત વધારે છે. વરિષ્ઠો પણ લાંબા બાઈવાળા,કાળા, સિન્થેટીક કપડા પહેરે છે, જે ગરમીને પકડી રાખે છે અને શ્વાસ નથી લઈ શકતા.

શરીરના તાપમાનનુ વિનિયમન:શરીર મુખ્ય પરસેવાના માધ્યમથી થંડુ થાય છે. જેમ ચામડી ઉપરના ભેજનુ બાષ્પીભવન થાય છે, તેમ શરીર થંડુ થાય છે. અંદરનુ તાપમાન સ્થિર રહે છે, જ્યા સુધી પ્રવાહી અને મીઠુ ફરીથી ભરાઈ જાય છે. પણ જો નિર્જલીકરણ થાય તો શરીર પરસેવાને બંધ કરીને પ્રવાહીની ખોટ ટકાવવા માટે કોશિશ કરે છે. પરસેવો થવા માટે શરીરમાં પાણી હોવુ બહુ જરૂરી છે. પણ વૃદ્ધ લોકો તરસની ભાવના ગુમાવે છે. જ્યા સુધીમાં વૃદ્ધ વ્યક્તિને તરસની ભાવના થાય છે ત્યા સુધીમાં તેના શરીરમાં પાણી સુકાઈ ગયુ હોય છે.

ઘણા વૃદ્ધ લોકોમાં તાપમાનને સંબંધિત વિકારો તાપમાનમાં થતી સંવેદનાના બદલાવને લીધે થાય છે. આ કદાચ ચામડી બદલાવ, ફક્ત એક પાતળો ચરબીનો થર, ચામડીના ઉપરના ભાગમાં અથવા ખરી સંવેદનામાં ગરમી અથવા ઠંડીને લીધે પરિવર્તન થાય છે. ઠંડા તાપમાનમાં, શરીર ટાઢ દ્વારા ગરમ રહેવાનો પ્રયાસ કરે છે. કંઠગ્રંથીની પરિસ્થિતી, ફેલાવાની બીમારી, ગાંડપણનો હુમલો, ગતિશીલતામાં ઘટાડો, દવા અને દારૂ આ બધી વસ્તુઓ વૃદ્ધ માણસને ગરમ રાખવાની ક્ષમતામાં અડચણ લાવે છે.

બીજા કેટલાક ઘટકો શરીરના તાપમાનને નિયંત્રિત કરવા મુશ્કેલ કરી નાખે છે

  • ભેજ ઠંડા કરવાની પ્રક્રિયાની આડે આવે છે, કારણકે પરસેવો જલ્દીથી સુકાતો નથી.
  • પરિસ્થિતીઓ જે લોહીના પરિભ્રમણને બદલાવે છે, જેવી કે ઉંચુ લોહીનુ દબાણ અને પરસેવાની અસમર્થ ગ્રંથીઓ તાપમાનના નિયંત્રણ ઉપર પ્રભાવ કરે છે, જેમ પરિસ્થિતીઓની ખોટ કરે છે.
  • શામક અને શાંત કરવાની દવા કદાચ શરીરને ઠંડુ કરવાની શક્તિને ઓછી કરે છે.
  • મુત્રવર્ધક દવા અથવા પાણીની ગોળીઓ શરીરમાં પાણી સુકાઈ જવાનુ જોખમ વધારે છે.

ગરમી સંબંધિત બિમારીઓ :શરીરનુ ઠંડુ પડી જવુ તે વૈદ્યકીય કટોકટી બનાવે છે.
ગરમીથી થાક :ઉચા તાપમાનની સામે ખુલ્લા થવાથી થતી નબળાઈનો અહેસાસ. લોકો ઠંડા થઈને બેભાન થવાનો, ભેજવાળી ચામડી અને કમજોર નાડીનો અનુભવ કરે છે.
ગરમીથી બેહોશી :સાધારણ પણે તે ગરમીમાં કસરત કર્યા પછી થાય છે. વ્યક્તિને અચાનક ચક્કર આવે છે. તેની ચામડી પીળી, ભેજવાળી અને ઠંડી પડી જાય છે, તેની નાડી નબળી પડીને ઝડપી થઈ જાય છે.
ગરમીને લીધે ગોટલા ચડી જવા:ઘણી મહેનતવાળી પ્રવૃતિ કરીને દર્દનાક સ્નાયુઓનુ સંકોચન, ગરમીને લીધે થાક લાગવાનો સંકેત છે.
ગરમીને લીધે થાક :તે ત્યારે થાય છે, જ્યારે શરીર બહુ ગરમ થઈ જાય છે. તરસ, નબળાઈ, થાક, ઉબકો અને પુષ્કળ પરસેવો આવવો આ બધી ચેતવણી આપે છે. જો ઉપચાર કરવામાં મોડુ થાય તો ગરમીનો થાક જીવલેણ બની જાય છે અને ગરમીનો હુમલો આવવામાં આગળ વધે છે. 
ગરમીનો હુમલો :જે ૧૦ થી ૧૫ મિનિટની વચ્ચે થાય છે. શરીરના તાપમાનમાં સંભવિત જીવલેણ વધારાના લક્ષણો ઘણુ કરીને ગૂચવડો, વિચિત્ર વર્તણુકો, એક મજબુત ઝડપથી ચાલતી નાડી, સુકી પરસેવા વીનાની લાલ ચોળ ચામડી, માથાનો દુખાવો અથવા ઉબકાનો સમાવેશ છે. ગરમી સબંધિત બિમારીઓ માટે પ્રાથમિક ઉપચારમાં એક શાંત, છાયાવાળી થંડા પીણા આપતી જગ્યા, જો ગળી શકો તો બર્ફમાં બાંધેલી, જો શક્ય હોય તો અને વૈદ્યકીય સહાયતા માટે બોલાવવુ વગેરેનો સમાવેશ છે.
ગરમીની બિમારીઓની રોકથામ:ઘણી જોવા મળતી નિષ્ક્રીય પ્રક્રિયાઓ આ ગરમીને લીધે થતી કટોકટીને રોકી શકે છે.
પીણાઓ :વરિષ્ઠ લોકોએ પાણી અથવા ફળોનો રસ નિયમિત સમય ઉપર પીવા જોઇએ નહી કે જ્યારે તરસ લાગે ત્યારે. પીણા જેમાં દારૂ અને caffeine હોય તેવાથી દુર રહેવુ જોઇએ, જે મૂત્રવર્ધક (દવા)ની જેમ કામ કરે છે અને જોઇતા પ્રવાહીને ઘટાડે છે. તમારા ડૉકટરે નિર્દેશિત કર્યા વીના મીઠાની ગોળીઓ નહી લ્યો.
વાતાનુકૂલન:જેઓને વાતાનુકૂલનથી થંડી હવાનો સપાટો નથી ગમતો, તેઓએ એક ઓરડામાં તે ભાગને વધારે સાધારણ તાપમાનમાં સેટ કરીને રાખવુ જોઇએ અથવા ઉકળતી ગરમીથી બચવા માટે એક ઓરડાને ઠંડો રાખવો જોઇએ.
બીજા અટકાવનારા ઉપાયો.:

  • સફેદ, ટુકી બાયવાળા, ઢીલા, પ્રાકૃતિક રેસાવાળા કપડા પહેરો.
  • બહાર જતી વખતે એક પહોળી કોરવાળી ટોપી તડકાથી બચવા માટે પહેરો.
  • ઠંડા પાણીથી સ્નાન કરો.
  • ગરમ ઓવન અથવા સ્ટોવ કરતા માઇક્રોવેવથી રાંધો.
  • જો તમારી પાસે વાતાનુકૂલનનુ યંત્ર ન હોય તો, સુરજના કિરણોથી બચવા બારીઓમાં પડદા નાખો અને વાતાનુકૂલનના પુસ્તકાલયની મુલાકાત લયો અથવા મોલમાં જાવ.
  • દિવસના સૌથી ગરમ સમયના ગાળામાં બહાર નહી જાવ.
  • તમારી પ્રવૃતિઓ વચ્ચે અંતર રાખો.
  • દિવસમાં બે વાર તમારા મિત્રને અથવા સગાને તમારી ચકાસણી કરવાનુ કહો.

તીવ્ર ઠંડીના જોખમો:

નિષ્ક્રિય વરિષ્ઠના શરીરમાં ઓછી ગરમી પેદા કરે છે અને શરીરનુ તાપમાન સરળતાથી ઓછુ કરી શકે છે. અતિ અનુક્રિયાથી મરતા લોકો વિષે વધારે જાહેરાત થાય છે. hypothermic નુ મૃત્યુ હદયની નિષ્ફળતા અથવા અકસ્માત જેવુ દેખાય છે. વરિષ્ઠ લોકો પોતાના ઘરમાં ૬૦ની માત્રા સુધી હોય છે અને તે છતા તેઓ આફતમાં હોય છે.

ઘરમાં બહુવિધ પડવાળા કપડા પહેરો અને વધારે કામળાઓ ઓઢો. અને બહાર જાવ ત્યારે તમે કોકડુ વળી જાવ છો. મોજા પહેરો, એક ટોપી અને બહુવિધ પડવાળા કપડા પહેરો. શરદીના અને હવાવાળા દિવસો દરમ્યાન અંદર રહો. હવા જલ્દીથી થંડુ પાડે છે. શરીરનુ અંદરનુ તાપમાન ઓછુ થવુ તે મારી શકે છે. લક્ષણોમાં સમાવેશ છે ગુંચવડો, ઉંઘના ઝોકા આવવા, ધીમેથી અસ્પષ્ટ ઉચ્ચાર કરીને ભાષણ આપવુ, એક નબળી ધીમી નાડી, મોટા જોખમ સાથે અકડ્ડતા અને ધીમી પ્રતિક્રિયાઓ, ધ્રુજવુ કદાચ હોય શકે અથવા ન હોય શકે. તમારા શરીરનુ તાપમાન ઉષ્ણતામાપક સાધનથી તપાસો. જો તે ૯૬ ડિગ્રી કરતા ઓછુ હોય તો તે વાંચી શકતુ નથી અથવા તમને શંકા હોય તો વૈદ્યકીય મદદ લયો. કોઇને પણ hypothermia હોય તો તેને મદદ કરવા, કટોકટીની સહાય આવે ત્યાં સુધી તેને/તેણીને વધારાના ધાબળાઓથી ઢાંકીને રાખો અથવા તમારા શરીરને ગરમ રાખો. જો તે/તેણી ગળી શકે તો તેને ગરમ પાણી આપો પણ દારૂ નહી, જે લોહીની ઉપરની નસોને ફુલાવે છે અને તેને લીધે શરીરની ગરમી જેની તમારા શરીરને જરૂર છે, તે ભગાવે છે. વ્યક્તિની ચામડી ઘસો નહી.

Raynaud’sની ઘટનાઓ
કેટલાક વરિષ્ઠ લોકો સંધિવા, સ્નાયુઓની, અથવા પરિભ્રમણની પરિસ્થિતી જેવી જે સંધિવા અથવા ઘોરી નસોનુ કઠણ થવુ, Raynaud’sની ઘટનાઓથી પીડિત છે. ધ્રુમપાન અને કેટલીક દવાઓ હદયની સ્થિતીનો ઉપચાર કરવા વપરાય છે અથવા મગજનો વિકાર પણ આ સ્થિતીને નિમિત્ત છે, જે hypothermiaને સબંધિત નથી. જ્યારે ઠંડીની સામે ઉઘાડ થાય ત્યારે હાથની અને પગની લોહીની નાની નસો સંકોચાઈ જાય છે, જેને લીધે લોહીના પ્રવાહમાં બાધા આવે છે. ચામડી સફેદ થઈને ભુરી થાય છે અને પછી પરિભ્રમણમાં પાછી આવતી વખતે લાલ થઈ જાય છે. આ ક્ષેત્ર સંવેદનાશુન્ય અથવા કાટેદાર લાગે છે. ડૉકટરો ભલામણ આપે છે કે Raynaud’sની સાથેના લોકોએ બહાર અને અંદર ગરમ રહેવુ જોઇએ, મોજા, ઘણા બધા હાથ મોજાના પડ અને સ્કાર્ફ પહેરવા જોઇએ. જ્યારે રેફ્રિજરેટરમાંથી ખોરાક બહાર કાઢવાનો હોય ત્યારે હાથમોજા પહેરો - પીડિતોએ તેમની ચામડીને ઇજા ન પહોચે તેના માટે સુરક્ષિત રહેવુ જોઇએ અને ધ્રુમપાન બંધ કરવુ જોઇએ.

વરિષ્ઠોમાં પેશાબને રોકવાની અસમર્થતા
પેશાબને રોકવાની અસમર્થતા એટલે મુત્રાશયમાંથી મુત્ર લીક થવુ. આ વિશેષ રૂપથી સ્ત્રીઓમાં સાધારણ છે, ખાસ કરીને જેમને બાળકો થયા હોય છે. પેશાબ રોકવાની અસમર્થતા (UI) તે સાધારણ છે, પણ તે ગરીબ વરિષ્ઠોની વસ્તીમાં સમજવાની સમસ્યા છે.

પેશાબને રોકવાની અસમર્થતાના કારણો
અસ્થાયી અસમર્થતા:ઘણી પરિસ્થિતીઓ અસ્થાયી અસમર્થતાનુ કારણ હોઈ શકે છે, જેમાં સમાવેશ છે - પેશાબના રસ્તામાં ચેપ, વધારે પડતુ પ્રવાહી પડવુ, કબજીયાત, તીવ્ર ઉદાસિનતા અને સીમિત હલનચલન, દવાઓ જેવી કે alpha–adrenergic, caffeine, શામક દવા, વિરોધી નિરૂત્સાહ બનાવનાર અસરકારક દવા, માનસિક વ્યાધી વિરોધી દવા અને anti–histamines.

તણાવ - પેશાબને રોકવાની અસમર્થતા:તણાવ - પેશાબને રોકવાની અસમર્થતા મુત્રમાર્ગ અને sphincterના સ્નાયુઓના નબળા કામને લીધે છે. પેડુના નીચેના સ્નાયુઓનુ નબળુ થવુ અને ખેંચાવુ મુત્રાશયને પેટની નીચે લબડવાની અનુમતિ આપે છે. આ લબડવુ મુત્રાશયના ગળાને ખેચે છે અને મુત્રમાર્ગના ખુણાને બદલાવે છે, આંતરિક છિદ્રને બંધ કરનાર અને ઉઘાડનાર સ્નાયુના કડાને સંપુર્ણપણે બંધ થતા રોકે છે. ગંભીર કિસ્સાઓમાં છિદ્રને બંધ કરનાર અને ઉઘાડનાર સ્નાયુની કડી પોતે થઈને ફાટે છે. આ ત્યારે બને છે જ્યારે વ્યાયામ કરતી વખતે, ઉધરસ ખાતી વખતે, છીંકતી વખતે, હસતી વખતે, ભારે વસ્તુઓ ઉપાડતી વખતે અથવા શરીરના હલનચલનને લીધે જે મુત્રાશય ઉપર ભાર લાવે છે, ત્યારે પેશાબ ચુવી જાય છે. સ્ત્રીઓ જે યોનીના માર્ગે પ્રસુતિ આપે છે,જેઓ વિશેષ રૂપથી પેશાબ રોકવાની અસમર્થતાના તણાવના જોખમમાંથી પસાર થાય છે, કારણકે ગર્ભાવસ્થા અને બાળકને જન્મ આપવો તે પેડુના સ્નાયુઓને તણાવ આપે છે. ગર્ભાશયની શસ્ત્રક્રિયા જે કદાચ પેડુના નીચેના સ્નાયુઓને નુકશાન પહોચાડે છે. છિદ્ર બંધ કરનાર અને ઉઘાડનાર સ્નાયુનુ કડુ તેની મેળાએ અથવા નસો જે છિદ્ર બંધ કરનાર અને ઉઘાડનાર સ્નાયુના ક્ડાને નાનુ કરે છે. તે સ્ત્રીઓમાં પેશાબને રોકવાની અસમર્થતાનુ સામાન્ય કારણ છે. રજોનિવૃતિ પછી સ્ત્રીનો અંત:સ્ત્રાવના નુકશાનને લીધે મુત્રમાર્ગ પાતળો થાય છે અને તેથી બરોબર રીતે બંધ થતો નથી અને તેને લીધે પેશાબને રોકવાની અસમર્થતાનુ કારણ બને છે. પુરસ્થગ્રંથીની શસ્ત્રક્રિયા પુરૂષોમાં પેશાબ રોકવાની અસમર્થતાને લીધે થતા તણાવનુ કારણ છે.

પેશાબ રોકવાની અસમર્થતાનુ દબાણ :પેશાબ રોકવાની અસમર્થતાથી દબાણ કરવામાં સામાન્ય કરતા ઘણીવાર મુત્રાશય નાનુ થાય છે જે કદાચ ચેપને લીધે હોય, ચિંતા, સામાન્ય ઉમ્ર વધવાની પ્રક્રિયા, કેન્દ્રિય મજ્જતંતુની પદ્ધતીનુ હુમલાને કારણે નુકશાન, વિવિધ શરીરની પેશીઓનુ કઠણ થવાની વિકૃતિ અને Parkinsonનો રોગ મુત્રાશયને વધારે સક્રિય બનાવવાનુ કારણ છે. સ્નાયુઓના રેસાનુ બહારનુ પડ જેને detrusor કહેવાય છે, તે અસ્થિર અને અયોગ્ય રીતે નાનો થઈ જાય છે. આપણા મુત્રાશયના કર્કરોગની વ્હેલી ચેતાવણી પણ છે. તે ઘણીવાર પુરૂષોમાં પુરસ્થગ્રંથીના મોટા થવાની નિશાની છે.

ઉભરતી પેશાબ રોકવાની અસમર્થતા :ઉભરતી પેશાબ રોકવાની અસમર્થતા એક પરિણામ છે, જે મુત્રાશયમાંથી પેશાબ નીકળી રહ્યો છે તેને અડચણ લાવે છે. તે ગુમડા, દવા સૌમ્ય પુરસ્થગ્રંથી અતિ વિકાસશીલતા, ચાઠાવાળા પેશીજાલને કારણે થાય છે. ઉભરતી પેશાબ રોકવાની અસમર્થતા કદાચ કરોડ રજ્જુમાં ઇજાને કારણે પણ થાય છે અથવા રોગ જેવા કે મધુમેહ, બહુવિધ શરીરની પેશીઓની કઠણ થવાની વિકૃતિ, જે તમારી નસોને એટલી બધી વિસંવેદન કરે છે કે તે પરિપુર્ણતાની ભાવનાને પુરી નથી કરી શકતી અને મુત્રાશયના સંકોચવાની પ્રક્રિયાને trigger નથી કરતી. 

કાર્ય સબંધિત પેશાબ રોકવાની અસમર્થતા:કાર્ય સબંધિત પેશાબ રોકવાની અસમર્થતામાં પેશાબ કરવાની રચના બહુ સરળ છે, પણ દરદી તે બરોબર રીતે વાપરી શકતો નથી કારણકે તેનામાં ગંભીર શારિરીક વિકારો છે, જેવા કે Parkinsonનો રોગ, અથવા માનસિક બિમારીઓ બીજા રોગ સહિત Alzheimer's રોગ અને ગાંડપણના બીજા પ્રકારો, કારણકે તેઓ કોઇને ઓળખી શકતા નથી અને બાથરૂમ ગોતવામાં તકલીફ પડે છે.
પેશાબ રોકવાની અસમર્થતાનુ નિદાન : મુત્રાશય ઉપર નિયંત્રણની સમસ્યાઓના ઉપચારમાં પહેલુ અને સૌથી મહત્વનુ પગલુ ભરવા માટે એક સંપુર્ણ ચિકિત્સાની તપાસ માટે એક ડોકટરને દેખાડવુ જોઇએ - ડૉકટર તમારા સ્વાસ્થયનો વિગતવાર ઇતિહાસ પુછશે અને તમને શારિરીક પરિક્ષાના માધ્યમમાંથી લઈ જશે. ડૉકટર કદાચ તમારા પેશાબના નમુનાની તપાસ કરવા ઇચ્છા બતાવશે. તમને તે કદાચ એક મુત્ર રોગ વિશેષક, જે એક ડોકટર છે, જે મુત્રાશયના માર્ગના રોગનો જાણકાર છે અથવા એક સ્ત્રી રોગ વિશેષક, જે સ્ત્રીના પ્રજનન પદ્ધતિનો જાણકાર છે, તેને ત્યા મોકલશે.
પેશાબ રોકવાની અસમર્થતાનો ઉપચાર

  • વર્તણુકની પ્રક્રિયા જેવી કે પેડુના સ્નાયુઓને વ્યાયામ, biofeedback અને મુત્રાશયનુ પ્રશિક્ષણ તમારા પેશાબ કરવા ઉપર નિયંત્રણ લાવવા મદદ કરે છે. આ પ્રક્રિયાઓની મદદથી તમે મુત્રાશય ભરવાની ભાવના અને ખોટની લાગણીને દુર રાખી, જ્યા સુધી તમે સંડાસ સુધી પહોચો.
  • Anticholinergic ના મારફતિયા મુત્રાશયનુ અસ્વૈચ્છિક સંકોચવાનુ રોકે છે, તેની ક્ષમતામાં વૃદ્ધિ કરે છે. તે ઉભરતી પેશાબ રોકવાની અસમર્થતા ઉપર ઉપયોગી થાય છે.
  • Antispasmodic દવા મુત્રાશયના સ્નાયુઓને આરામ આપવા મદદ કરે છે, અને તે ઉભરતી પેશાબ રોકવાની અસમર્થતા માટે વપરાય છે.
  • Alpha–adrenergic agonists સુવાળા સ્નાયુઓ જે અંદરના છિદ્રને બંધ કરનાર અને ઉઘાડનાર સ્નાયુઓના કડાને ખોલે છે અને બંધ કરે છે, તાકાત આપે છે અને દરદીઓને અસર કરે છે, જેઓ પેશાબ રોકવાની અસમર્થતાથી દબાય છે, જેનાથી મજ્જાતંતુને હાની નથી પહોચતી.
  • Retropubic નુ આલંબન તણાવમાં પેશાબ રોકવાની અસમર્થતા છે, જે મુત્રાશયની સ્થિતીને બરોબર કરવા વપરાય છે, અને મુત્રાશયના ગળા સીવીને અને મુત્રમાર્ગને સીધા જે પેડુના હાડકાને અને આજુબાજુની સંરચનાને બાંધે છે.
  • ગંભીર તણાવવાળો પેશાબ રોકવાની અસમર્થતા માટે ઝોળીની પદ્ધતી પસંદ કરાય છે, આ પદ્ધતી યોનીના માધ્યમથી અથવા પેટમાં એક નાનકડો ચીરો મુકીને કરવામાં આવે છે. શરીરના પેશીજાલનો ટુકડો, અથવા synthetic સામગ્રી મુત્રનળી અને મુત્રાશયના ગળાની નીચે જોડાયેલ છે અને પછી પેટની દીવાલ ઉપર અને પેડુના હાડકાની સાથે ઝોળીમાં સુરક્ષિત કરાય છે. પછી આ ઝોળી મુત્રમાર્ગને દબાવે છે અને મૂળ સ્થિતીમાં પાછી આવે છે.
  • તમે વિશેષ શોષક નીચે પહેરવાના કપડા મેળવો, જે સામાન્ય નીચે પહેરવાના કપડા કરતા વધારે ભારે હોય અને રોજ વપરાતા કપડા સરળતાથી પહેરી શકાય.

વરિષ્ટ લોકોમાં ઉન્માદ
ઉન્માદ એક તીવ્ર ઉલ્ટાવી શકાય તેવી ગુંચવડની સ્થિતી છે, જે ચેતનાને અને સમજશક્તિના સમયની અવધિમાં પરિવર્તનની વિશેષતા છે.

ઉન્માદના ચિન્હો અને લક્ષણો

  • ચેતના અને ચપળતાના ઓછા સ્તરો.
  • ધ્યાન કેન્દ્રિત કરવા, ચાલુ રાખવા અથવા ધ્યાન બદલવા માટે અસમર્થતા.
  • આત્મવિસ્મૃતિ.
  • ભાષામાં તકલીફો.
  • સ્મૃતિમાં અને શીખવામાં ન્યુનતા.
  • સમજશક્તિને લગતી અશાંતી, ભ્રમ, ભ્રમણા અને આભાસ.
  • ભાવનાત્મક અશાંતી, ચિંતા, ભય, ચિડચિણાપણુ, ગુસ્સો, ઉદાસિનતાના પ્રકારો.
  • વર્તણુક જેવી કે અંશાતી પેદા કરવી, જે કદાચ એક બીજા માટે મિનિટોથી કલાકોમાં થાય છે.

ઉન્માદની સારવાર:ત્યાં વધતા જતા પુરાવાઓ છે, જેમાં ઉન્માદના લક્ષણો ક્ષણિક નથી પણ વારંવાર ઉચિત સારવાર આપ્યા પછી પણ તે ચાલુ રહે છે.

Hormone ના બદલાવાની ઉપચાર પદ્ધતી:Hormone ના બદલાવાની ઉપચાર પદ્ધતી એ વર્તમાનમાં લાખો સ્ત્રીઓ માટે સુચવવામાં આવેલ છે. આમાં સમાવેશ છે - સંકેતો, મતભેદ, જોખમો અને સ્ત્રી અત:સ્ત્રાવને બદલાવવાની ઉપચાર પદ્ધતીનો.

નિશાનીઓ

  • સ્ત્રીઓમાં પછીના રજોનિવૃતી જન્યની રોકથામ અને osteoporosisની સારવાર.
  • હદયની નસોની તબિયત સુધારવા myocardial infarctions (હદયના હુમલા) અને હુમલાના જોખમને ઓછુ કરીને.
  • સ્ત્રી અંત:સ્ત્રાવને બદલવાની ઉપચાર પદ્ધતી, લવચિકતા, યોનીની જાડાઈ અને ભેજ, સનાતન પેશીજાલને સુધારે છે અને એ પ્રમાણે યોનીના સુકાઈ જવાના લક્ષણો ઓછા કરીને (લૈંગિક સબંધ રાખતી વખતે થતુ દર્દ) અને પેશાબ કરવા જલ્દી જવુ.

નિશાનીઓની વિરૂધ

  • યોનીમાંથી લોહી નીકળવુ.
  • ઉંડી નસોમાં લોહી ગંઠાઈ જવુ અથવા ફેફસાનો પક્ષાઘાત (નસમાં લોહીનુ ગંઠાયુલુ ટીપુ)
  • સ્તન અને ગર્ભાશયનો કર્કરોગ.

સામાન્યમાં HRTનો ઉપાય સુચવવાનો આદર્શ રસ્તો એ છે કે સ્ત્રી અત:સ્ત્રાવની સૌથી નાની માત્રા માટે ભલામણ કરવી જે અસરકારક રીતે હાડકાની હાનિને બાધા લાવે છે, અને હદય અને રક્તવાહિનીના જોખમના ઘટકોને સુધારે છે અને vasomotor ના લક્ષણોને ઓછા કરે છે. progestin ની આદર્શ માત્રા પણ વાપરવામાં આવે છે જે endometrium, ને endometrial ના અતિ વિકાસશિલતા અને કર્ક રોગ માટે રક્ષા કરે છે અને progestins ની નકારાત્મક અસરો serum lipids ઉપર પૂરતા પ્રમાણમાં મર્યાદિત કરે છે.

Hormone બદલાવવાની ઉપચાર પદ્ધતીની આડ અસરો

  • ઉપચાર પદ્ધતી શરૂ કર્યાના પહેલા બે મહિનામાં ઉબકા આવવા કદાચ આ આડ અસર જમતી વખતે અને સુવાના સમયે દવા લેવાથી ઓછા થતા જાય છે.
  • સ્તનની કોમળતા સ્ત્રી અંત:સ્ત્રાવના ઘટકોને લીધે, માત્રામાં ઓછુ કરવુ તે કદાચ મદદરૂપ થાય છે.
  • અધાશીશીને લીધે માથાનો દુખાવો.
  • મિજાજમાં ઝોલા ખાવા.
  • પેટનુ સોજાઈ જવુ પણ બીજી આડ અસર છે, જે progestinsને સબંધિત છે.

 

વરિષ્ટોમાં સામાન્ય સમસ્યાઓ

ઉમર સબંધિત પરિસ્થિતીઓ
પેશાબને રોકવાની અસમર્થતા :પેશાબને રોકવાની અસમર્થતા ફક્ત સ્ત્રીઓની સમસ્યા નથી. તે દરેક ઉમરની સ્ત્રીઓ અને પુરૂષોના સમુદાયમાં સામાન્ય છે. સાધારણપણે ઉમર ફક્ત તેનુ એકલુ જ કારણ નથી. તે ઘણા બધા કારણોને લીધે થઈ શકે છે, જેવા કે કબજીયાત, કેટલીક દવાઓ, પેશાબના રસ્તામાં ચેપ, યોનીમાં ચેપ અથવા બળતરા. પેશાબને રોકવાની અસમર્થતા ઘણા બધા સમય સુધી નિમ્નલિખિત કારણો માટે ચાલે છે. વધારે પડતી પ્રવૃતિશીલ અથવા નબળા મુત્રાશયની મોટી થયેલી પુરસ્થગ્રંથી જે અવરોધનુ કારણ બને છે, જેવા કે બહુવિધ શરીરની પેશીઓનુ કઠણ થવાની વિકૃતિ, parkinsonનો રોગ અથવા સંધિવા જે નસોને નુકશાન પહોચાડે છે અને જે મુત્રાશય ઉપર નિયંત્રણ લાવે છે. શરીર પેશાબને મૂત્રશાયમાં ભરી રાખે છે. પેશાબ કરતી વખતે, મૂત્રાશયના સ્નાયુઓ નાના થઈ જાય છે અથવા તંગ થઈ જાય છે. આ મૂત્રાશયમાંથી પેશાબને બહાર ધકેલે છે અને એક નળીમાં જેને મૂત્રમાર્ગ કહે છે, જે પેશાબને શરીરની બહાર લઈ જાય છે. તે જ સમય દરમ્યાન, મૂત્રમાર્ગની આજુબાજુના સ્નાયુઓ આરામ કરે છે અને પેશાબને નીકળવા દયે છે. કરોડની મજ્જાતંતુ નિયંત્રિત કરે છે કે તે કેવી રીતે સ્નાયુઓનુ હલનચલનને કરે છે. જ્યારે પેશાબને રોકવાની અસમર્થતા થાય છે ત્યારે મૂત્રાશયના સ્નાયુઓ નાના થાય છે અથવા મૂત્રમાર્ગની આજુબાજુના સ્નાયુઓ ચેતવણી આપ્યા વીના આરામ કરે છે.

ઘણા લોકો મૂત્રાશયમાં નિયંત્રિત કરવાની સમસ્યાઓ તેમના ડૉકટરથી છુપાવે છે. તમારા ડૉકટર સાથે વાત કરો, કારણકે મોટા ભાગના પેશાબ રોકવાની અસમર્થતા સાથેના કિસ્સાઓને સારવાર કરી અથવા એ નિયંત્રિત કરી શકાય છે. જો સારા ન કરી શકિયે તો. ડૉકટર તમારી શારિરીક રીતે તપાસ કરશે અને તમારો વૈદ્યકીય ઇતિહાસ પુછીને તમારા લક્ષણો વિષે પુછશે અને તમે જો કોઇ બીજી દવા લેતા હોય ,તમને કોઇ મોટી માંદગી અથવા તમારી કોઇ વાર શસ્ત્રક્રિયા કરી હોય તે વિષે પણ પુછશે. ડૉક્ટર તમારા પેશાબ અને લોહીની ચકાસણી કરાવશે અને એક પરિક્ષણ કરાવશે જે તમારૂ મૂત્રાશય સારી રીતે તમે કેવુ ખાલી કરો છો તે બતાવે છે.

ત્યાં પેશાબને રોકવાની અસમર્થતાના જુદાજુદા પ્રકારો છે.
તણાવને લીધે પેશાબને રોકવાની અસમર્થતા:તે થાય છે જ્યારે તમારો પેશાબ કસરત કરતી વખતે નીકળી જાય છે, ઉધરસ ખાવી, છીકવુ, હસવુ, ભારે વસ્તુઓ ઉપાડવી અથવા બીજા કોઇ શરીરના હલનચલન કરતી વખતે જે તમારા મૂત્રાશય ઉપર ભાર લાવે છે. મધ્યમ ઉમરની સ્ત્રીઓમાં આવા જાતની સમસ્યાઓ બહુ સાધારણ છે. કેટલાક કિસ્સાઓમાં તે બાળકના જન્મને સબંધિત છે. આ રજોનિવૃતિના સમયની આસપાસ પણ શરૂ થાય છે.

પેશાબને રોકવાની અસમર્થતાની પ્રેરણા:આ ત્યારે થાય છે જ્યારે લોકો સંડાસમાં સમયમાં જતા પહેલા પેશાબને રોકી શકતા નથી. લોકો જેમને પેશાબને રોકવાની અસમર્થતાની પ્રેરણા થાય છે, પણ ઘણીવાર લોકોમાં એવુ દેખાયુ છે કે તેઓને મધુમેહ, હદયનો હુમલો, Alzheimerનો રોગ, Parkisonનો રોગ અથવા શરીરની વિવિધ પેશીઓનુ કઠણ થવાની વિકૃતી છે. આ પણ કોઇક વાર મૂત્રાશયમાં કર્ક રોગની વ્હેલી નિશાની છે.

પેશાબને રોકવાની અસમર્થતાનુ વધારે પડતુ ફેલાવુ:હંમેશા ભરેલા મૂત્રાશયમાંથી જ્યારે નાની માત્રામાં પેશાબ નિકળે છે, ત્યારે થાય છે. જો પુરસ્થગ્રંથી મૂત્રમાર્ગમાં અડચણ લાવતી હોય તો એક માણસને તેનુ મૂત્રાશય ખાલી કરવામાં તકલીક પડે છે. મધુમેહ અને કરોડરજ્જુની ઈજા પણ કદાચ આવા પ્રકારની પેશાબને રોકવાની અસમર્થતાનુ કારણ હોય.

કાર્યાત્મક પેશાબને રોકવાની અસમર્થતા:ઘણા વરિષ્ઠ લોકોને પણ થાય છે, જેમને સામાન્ય મૂત્રાશય ઉપર નિયંત્રણ હોય. તે ફક્ત સંડાસમાં જવા માટે મુશ્કેલ સમય છે, કારણકે તેઓને સંધિવા અથવા બીજા વિકારોને લીધે જલ્દીથી હલનચલન કરવા માટે મુશ્કેલ પડે છે. કેવા પ્રકારનો ઉપચાર કરવો તે સમસ્યા ઉપર આધાર રાખે છે, તે કેટલો ગંભીર છે અને તમારી જીવનશૈલીમાં તે સારી રીતે કેવી રીતે બરોબર બેસે છે. 

મૂત્રાશય ઉપર નિયંત્રણ માટે પ્રશિક્ષણ
તમારા ડૉકટરને કદાચ કલ્પના છે કે તમારા મૂત્રાશય ઉપર નિયંત્રણ લાવવા માટે પ્રશિક્ષણને માધ્યમમાં લાવવા પ્રયત્ન કરવો. મૂત્રાશય માટે પ્રશિક્ષણ લીધા પછી તમારૂ મૂત્રાશયમાં કેવી રીતે પેશાબ ભરાય છે અને ખાલી થાય છે, તે તમે બદલી શકો છો. આ કરવા માટે ઘણા બધા રસ્તાઓ છે.

પેડુના સ્નાયુઓની કસરતો:(Kegel ની કસરત તરીકે પણ ઓળખાય છે.) સ્નાયુઓથી કામ કરો, જેનો તમારા પેશાબને રોકવા માટે ઉપયોગ કરો છો. આ સ્નાયુઓ મજબુત કરવાથી તમારા પેશાબને મૂત્રાશયમાં વધારે વાર રાખવા મદદ કરે છે. આ કસરતો કરવી બહુ સરળ છે. તે તણાવને ઓછો કરે છે અથવા છુટકારો અપાવે છે અને પેશાબને રોકવાની અસમર્થતાને પ્રેરિત કરે છે.

જીવની પ્રતિક્રિયા:તમારા શરીરમાંથી આવતા સંકેતો તરફ વધારે જાગરૂત થવા મદદ કરે છે. આ તમારા મૂત્રાશયને મૂત્રામાર્ગના સ્નાયુઓને નિયંત્રિત કરવા મદદ કરે છે. જીવની પ્રતિક્રિયાની મદદથી તમે પેડુના સ્નાયુઓની કસરત શીખવા માટે મદદ કરે છે.

સમયની હાનિ થવી અને મૂત્રાશયનુ પ્રશિક્ષણ:ઉપરાંતમાં, તમારા મૂત્રાશય ઉપર નિયંત્રણ લાવવા મદદ કરે છે. સમયની હાનિ દરમ્યાન, તમારા પેશાબ કરવાનો નકશો તૈયાર રાખશો અને તેનુ નિકળી જવુ તે દાખલાને નિર્દેશિત કરશે. એક વાર તમે આ શીખી જશો, પછી તમે પેશાબ નીકળી જાય તે પહેલા મૂત્રાશયને ખાલી કરી નાખશો. જ્યારે જીવની પ્રતિક્રિયા અને પેડુના સ્નાયુઓની કસરત ભેગી થઈને આ પદ્ધતી તમને કદાચ પ્રેરણા અને વધારે પડતો પેશાબને રોકવાની અસમર્થતા માટે મદદ કરશે.

મૂત્રાશય ઉપર નિયંત્રણનુ શિક્ષણ સિવાય ત્યા બીજા પેશાબને રોકવાની અસમર્થતાનુ સંચાલન કરવામાં મદદ કરવા માટે ઘણા બધા રસ્તાઓ છે:એક ડૉકટર પેશાબ રોકવાની અસમર્થતાની સારવાર કરવા ઘણી દવાઓ લખી આપે છે. કેટલીક દવા ન જોઇતા મૂત્રાશયને નાનુ થતા રોકવા માટે છે. કેટલાક સ્નાયુઓ આરામ કરે છે, જેને લીધે પેશાબ કરતી વખતે મૂત્રાશયમાં સંપૂર્ણપણે ભરેલો પેશાબ ખાલી કરવા માટે મદદ કરે છે. બીજા મૂત્રાશયના સ્નાયુઓને કસે છે અને મૂત્રમાર્ગમાંથી ઓછો પેશાબ ચુવે છે. આ દવાઓ કોઇક વાર આડ અસરનુ કારણ બને જેવુ કે કોરૂ મોઢુ, આંખોની સમસ્યાઓ અથવા પેશાબનુ ભેગુ થવુ. યોનીનો સ્ત્રી અંત:સ્ત્રાવ કદાચ રજોનિવૃતી પછી મદદરૂપ થશે. ફાયદા અને લાંબા સમય સુધી વાપરવાં માટે આ દવાઓની આડ અસર વિષે તમારા ડૉકટરની સાથે વાત કરો.

એક ડૉકટર આ ક્ષેત્રના મૂત્રામાર્ગની આસપાસ એક ઇંજેક્શનનુ પ્રત્યારોપણ કરીને સ્થાપિત કરે છે. આ પ્રત્યારોપણ મોટા ભાગમાં ઉમેરો કરે છે. પેશાબને રોકવાની અસમર્થતાના તણાવને ઓછો કરવા મૂત્રમાર્ગ બંધ કરવો મદદરૂપ છે. એક સમય પછી ઇંજેક્શન કદાચ ફરીથી આપવા પડશે કારણકે ધીમેધીમે તમારૂ શરીર આ પદાર્થોથી મુક્ત થઈ જાય છે.

કદાચ પેશાબને રોકવાની અસમર્થતાને સુધારવા અથવા મટાડવા કોઇક વાર શસ્ત્રક્રિયા કરવી પડે છે, જો આ સમસ્યા મૂત્રાશયની સ્થિતી બદલાવીને થઈ હોય અથવા મોટી થયેલી પુરસ્થગ્રંથીને લીધે થઈ હોય. સાધારણ શસ્ત્રક્રિયા આ પેશાબને રોકવાની અસમર્થતાના તણાવને લીધે હોય, જે મૂત્રાશયને ઉપર સુધી ખેંચે છે અને પછી મેળવે છે. જ્યારે પેશાબને રોકવાની અસમર્થતાનો તણાવ ગંભીર હોય,એક શસ્ત્રવૈદ્ય વિશાળ ઝોળી કદાચ વાપરે છે. આ મૂત્રાશયને પકડી રાખે છે અને મૂત્રમાર્ગને સાકડો કરીને ચૂવાનુ રોકે છે.

સાંભળવામાં હાનિ

ધીમેધીમે નહી સાંભળવુ જેમ તમે વૃદ્ધ થતા જાવ તે એક સાધારણ સ્થિતી છે. સમયની સાથે અવાજને લીધે સાંભળવામાં થતી હાનિ કાનના અંદરના ભાગને નુકશાન પહોચાડે છે, જે તમારા કાનનો અંદરનો ભાગ છે. ડૉકટરોનુ એમ માનવુ છે કે આનુવંશિકતા અને ઉંચા અવાજની સામે લાંબા સમય સુધી ઉઘાડા રહેવુ તે સાંભળવાના નુકશાનના મુખ્ય ઘટકો છે. ક્યારેક કાનમાં મિણનો અવરોધ, તમારા કાનમાં અવાજને જે તમે સારી રીતે સાંભળતા હતા, તેને રોકે છે. કાનના અંદરનુ નુકશાન તમે ઉલ્ટાવી ન શકો, તે છતા તમે અને તમારો ડૉકટર અથવા સાંભળવાનો તજ્ઞ ((audiologist) તમને સારી રીતે સાંભળાય તેના માટે પગલા ભરે છે.

સાંભળવાની હાનિના ચિન્હો અને લક્ષણોમાં કદાચ સમાવેશ કરશે

  • ભાષણ અને બીજા અવાજો દબાયેલાની ગુણવત્તા.
  • ઘોંઘાટવાળી ભીડમાં શબ્દો સમજવાની તકલીફ.
  • બીજાઓને પુછીને વધારે ધીમેથી, સ્પષ્ટ રીતે અને ઉંચા અવાજથી બોલવુ.
  • ટીવી અથવા રેડીયોના અવાજની માત્રા વધારવાની જરૂરીયાત.
  • વાતચીતમાં અતડાપણુ.
  • કેટલીક સામાજીક બેઠકોથી દુર રહેવુ.

સાંભળવામાં અવાજની હાનિનો ઉપચાર
જો તમારા સાંભળવામાં કાનના અંદરના ભાગમાં ઇજા થઈ હોય, તો સાંભળવા માટે સહાયક વસ્તુ કદાચ મદદરૂપ થશે. સાંભળવાની સહાયક વસ્તુની ટેવ પડતા સમય લાગશે. તમે જે અવાજ સાંભળો છો તે જુદીજુદી જાતનો છે, કારણકે તે મોટો છે. તમારે એક કરતા વધારે ઉપકરણ અજમાવવા પડશે, જે તમારા માટે સૌથી વધારે અનુકુળ હોય. સાંભળવાના ઉપકરણો જુદાજુદા માપમાં, આકારમાં અને શૈલીમાં મળે છે. કેટલાક સાંભળવાના ઉપકરણો કાનની પાછળ એક નાનકડી નળીની સાથે બેસાડેલ હોય છે, જે મોટો અવાજ કાનની અંદર આપે છે. બીજી શૈલીઓ કાનની બહાર અથવા કાનની અંદરની નળીમાં બેસાડેલ છે. જો તમે પહેલા સારી રીતે સાંભળતા હતા, તે રીતે હવે તમને સંભળાતુ નથી, તે કદાચ કાનમાં મીણના અવરોધને લીધે પણ હોય, તો તમારો ડૉકટર આ મીણ કાઢીને તમને સાંભળવાનુ સુધારી શકે છે. આ એક બહુ સીધી દર્દરહિત પ્રતિક્રિયા છે. જો તમને સાંભળવાની ગંભીર સમસ્યા હોય તો ચમચાકારનુ ઉપકારણ તેનો એક વિકલ્પ છે. એક સાંભળવાના સહાયકથી જુદો ચમચાકારનુ ઉપકારણ કાનની અંદર તુટેલા અથવા કામ નહી કરતા ભાગોની જગ્યા લ્યે છે.

હાડકાનો રોગ

હાડકાનો રોગ અથવા છિદ્રવાળુ હાડકુ તે એક રોગ છે જે લાક્ષણિક રીતે ઓછા હાડકાનો જથ્થો છે અને હાડકાની પેશીજાલની સંરચનાત્મક વિકૃતી છે, જેને લીધે હાડકા નાજુક પ્રકૃતિના અને કેડની કરોડ અને હાથના કાંડાના વધારે પડતા અસ્થિભંગ થઈને તે સંવેદનશીલ થઈ જાય છે. પુરૂષો એ જ પ્રમાણે સ્ત્રીઓ પણ હાડકાના રોગથી પિડાય છે, આ રોગ રોકી શકાય છે અને તેની સારવાર પણ કરી શકાય છે.

આપણા આખા જીવનકાળ દરમ્યાન હાડપીંજરમાંથી જુના હાડકા નીકળી જાય છે અને નવા હાડકાનો ઉમેરો થાય છે. બચપણ અને કિશોરવસ્થા દરમ્યાન જુના હાડકા નીકળીને નવા હાડકા જલ્દીથી આવી જાય છે. એક પરિણામમાં હાડકા મોટા, વજનદાર અને ગાઢ થઈ જાય છે. હાડકાનુ સંગઠન ઝડપથી ચાલુ રહે છે, જ્યાં સુધી હાડકાનો જથ્થો સૌથી ઉપર લગભગ (અધિકતમ હાડકાની ઘનતા અને તાકાત) લગભગ ૩૦ વર્ષની ઉમર સુધી પહોચી જાય છે. ૩૦ વર્ષની ઉમર પછી હાડકાની ટૂટફૂટ ચાલુ થઈ જાય છે અને હાડકાનુ સંગઠન વધતુ જાય છે. રજોનિવૃતિ પછી શરૂઆતના થોડા વર્ષોમાં હાડકાની હાનિ સૌથી ઝડપી હોય છે. પણ રજોનિવૃતિજન્ય પછી વર્ષો સુધી ચાલુ રહે છે. હાડકાનો રોગ વધારે વિકસિત થવાની સંભાવના છે, જો તમે શ્રેષ્ઠ હાડકાના જથ્થાને હાડકાના નિર્માણના વર્ષો દરમ્યાન ન પહોચ્યા હોય. કેટલાક ઘટકો હાડકાના રોગના વિકાસની સાથે જોડાયેલા છે. આને "જોખમના ઘટકો" કહેવાય છે. હાડકાના રોગવાળા ઘણા લોકોને આ જોખમના ઘટકો હોય છે. પણ તેમાંથી કેટલાક છે જે તમે બદલી ન શકો અને કેટલાકને તમે બદલી શકો.

જોખમના ભાગો જે તમે બદલી ન શકો
જાત:–જો તમે સ્ત્રી હોય તો હાડકાના રોગના વિકસિત થવાના જોગ ઘણા છે. સ્ત્રીઓમાં હાડકાના પેશીજાલ ઓછા હોય છે અને પુરૂષો કરતા તેમના હાડકા તેઓ જલ્દીથી ગુમાવે છે, રજોનિવૃતિમાં ફેરફારના સમાવેશને લીધે.
ઉમર:– તમે જેટલા વૃદ્ધ થતા જાવ તે પ્રમાણે હાડકાના રોગનુ જોખમ વધારે થાય છે. જેમ તમારી ઉમર વધતી જાય છે તેમ તમારા હાડકા ઓછા ગાઢ અને નબળા પડે છે.
શરીરનો આકાર:– નાના અને પાતળા હાડકાવાળી સ્ત્રીઓને વધારે જોખમ હોય છે.
Ethnicity:– Caucasian અને એશિયન સ્ત્રીઓ મોટા જોખમમાં છે. આફ્રીકન, અમેરીકન અને લેટીન સ્ત્રીઓમાં ઓછુ છે, પણ જોખમ નોંધપાત્ર છે.
કુંટુંબનો ઇતિહાસ:અસ્થિભંગ માટે સંવેદનશીલતા એક વંશપરંપરાનો ભાગ છે. લોકો જેમના માતાપિતાને અસ્થિભંગનો ઇતિહાસ છે,તેમના હાડકાનો જથ્થો ઓછો જોવામાં આવે છે અને કદાચ અસ્થિભંગના જોખમમાં હોય છે.
જોખમના ભાગો તમે બદલી શકો
જાતિના harmones: માસિક્સ્ત્રાવની અસાધારણ અવધિની ગેરહાજરી, સ્ત્રીના નીચા અત:સ્ત્રાવના સ્તર (રજોનિવૃતિ) અને પુરૂષોના testosteroneના નીચા સ્તર. Anorexia.
આહાર: આખા જીવનકાળ દરમ્યાન ઓછુ કેલ્સિયમ અને વિટામીન ડી વાળો આહાર.
દવાઓ: દવાઓ જેવી કે glucocorticoids (cortisone, prednisone, hydrocortisone, dexamethasone, and methylprednsone) or some anti convulsantsનો ઉપયોગ કરે. એક નિષ્ક્રીય જીવનશૈલી અથવા વધારે આરામ, સિગરેટનુ ધ્રુમપાન અને વધારે પડતો દારૂ પીવો.

અવરોધ :

તમારા ટોચ ઉપરના શ્રેષ્ઠ હાડકાના જથ્થા પહોચવાના માર્ગ વિષે કેટલાક ઘટકો વિચારવા જોઇએ અને નવા હાડકાના પેશીજાલ બનાવવા માટે તમે જેમ વયસ્કર થતા જાવ તેમ ચાલુ રાખવા જોઇએ, અને તે છે.
કેલ્સીયમ : એક અપુરતો પુરવઠો કેલ્સીયમનો હાડકાના રોગના વિકાસમાં મહત્વપુર્ણ ભુમિકા ભજવે છે. પોષણના સર્વેક્ષણથી જણાયુ છે કે કેટલાક લોકો અડધાથી ઓછી કેલ્સીયમની માત્રા લ્યે છે, જેની ભલામણ કરવામાં આવી છે, સારા કેલ્સીયમના ઉગમસ્થાનમાં સમાવેશ છે - ઓછા ચરબીવાળા દુધના પદાર્થો જેવા કે દુધ, દહી, ચીસ અને આઈસક્રીમ, ગેહરા લીલા પાંદડાવાળી શાકભાજીઓ જેવી કે ફુલગોભી, લીલા collard, Lettuce અને પાલકની ભાજી, sardines, અને હાડકાની સાથે salmon, tof, બદામ અને કડક કેલ્સીયમની સાથે બનાવેલા ખાધ્ય પદાર્થો જેવા કે નારંગીનો રસ, અનાજ અને પાવરોટી. રંગીન પાંદડાવાળુ એક વૃક્ષ, મેથીનો છોડ અને સરગવાના પાંદડા વિશેષ રૂપથી કેલ્સીયમથી ભરપુર હોય છે અને મૂળની શાકભાજી અને સાબુદાણા પણ એક સારૂ ઉગમસ્થાન છે. બાજરાનો રેગી કેલ્સીયમનુ પણ સમૃદ્ધ ઉગમસ્થાન છે. તમારા આહારમાંથી તમને કેટલુ કેલ્સીયમ મળે છે તેના ઉપર નિર્ભર કરે છે, તમને કદાચ કેલ્સીયમની પુરવણી લેવાની જરૂર પડશે. એકના જીવનકાળ દરમ્યાન કેલ્સીયમની બદલીની જરૂર પડશે. શરીરની માંગ બાળપણ અને કિશોરવસ્થા દરમ્યાન કેલ્સીયમની જરૂરીયાત વધારે હોય છે, જ્યારે હાડપિંજર ઝડપથી મોટુ થાય છે અને ગર્ભાવસ્થા અને સ્તનપાન કરાવતી વખતે. રજોનિવૃતિ પછી સ્ત્રીઓ અને વયસ્કર પુરૂષોને વધારે કેલ્સીયમ ખાવાની જરૂર પડે છે. આ કદાચ વિટામીન ડી ની અપર્યાપ્ત માત્રાને લીધે પણ હોય, જે કેલ્સીયમ આતંરડાના શોષણ માટે જરૂરી છે. જેટલા તમે વૃદ્ધ થતા જાવ તેમ તમારૂ શરીર કેલ્સીયમ અને બીજા પોષક તત્વોના શોષણ માટે ઓછુ સમર્થ થતુ જાય છે. વરિષ્ઠ વૃદ્ધોને પણ વધારે પડતી લાંબા સમયથી ચાલતી માંદગીવાળી ચિકિત્સાની સમસ્યાઓ હોય છે અને તેઓ દવા વાપરવા માટે તેમના કેલ્સીયમમાં શોષણને નબળુ પાડે છે.

કેલ્સીયમ લેવાની સિફારીશ

ઉમર

મિલિગ્રામ/ દર દિવસે

જન્મથી ૬ મહિના

૨૧૦

૬ મહિનાથી એક વર્ષ

૨૭૦

૧ - ૩

૫૦૦

૪ - ૮

૮૦૦

૯ - ૧૩

૧૩૦૦

૧૪ - ૧૮

૧૩૦૦

૧૯ - ૩૦

૧૦૦૦

૩૧ - ૫૦

૧૨૦૦

૫૧ - ૭૦

૧૨૦૦

70 or older

1200

૭૦ અને તેનાથી વધારે. ગર્ભાવસ્થા અથવા દુધ આપતા

૧૪ - ૧૮

૧૩૦૦

૧૯ - ૫૦

૧૦૦૦


વિટામીન ડી:– વિટામીન ડી કેલ્સીયમના શોષણ અને હાડકાના સ્વાસ્થય માટે મહત્વપુર્ણ ભાગ ભજવે છે. સુર્યના પ્રકાશમાં સંપર્કના માધ્યમથી ચામડીમાં સમન્વય કરે છે. કેટલાક લોકો તેમના કામમાં સમયપત્રકને લીધે સ્વાભાવિક રીતે જોઇએ તેટલુ વિટામીન ડી મેળવી લ્યે છે, જે વરિષ્ઠ લોકો ઘરમાં રહેતા હોય તેમનામાં અભ્યાસે બતાવ્યુ છે કે વિટામીન ડીનુ ઉત્પાદન ઓછુ થતુ જાય છે. આ વ્યક્તિઓની કદાચ જરૂરીયાત છે કે વિટામીન ડી ની પુરવણી તેમના રોજ લેવા માટે વિટામીન ડી ૪૦૦ - ૮૦૦ IU સુનશ્ચિત કરીને લ્યે.

કસરતો:– સ્નાયુઓની જેમ, હાડકા એક જીવિત પેશીજાલ છે, જે મજબુત બનાવવા કસરતને જવાબ આપે છે. પોતાના હાડકા માટે સૌથી સારી કસરત વજન ઉપાડવાની છે, જે તમને ગુરૂત્વાકર્ષણની વિરૂધ કામ કરવા મજબુર કરે છે. ચાલવુ, પદયાત્રા કરવી, દોડવુ, દાદરા ચડવા, વજન ઉપાડવાનુ પ્રશિક્ષણ, ટેનિસ અને નૃત્યુનો પણ આમાં સમાવેશ છે.
ધ્રુમપાન:– ધ્રુમપાન તમારા હાડકા માટે ખરાબ છે અને એજ પ્રમાણે હદય અને ફેફસા માટે પણ. સ્ત્રીઓ જે ધ્રુમપાન કરે છે, તેમનામાં સ્ત્રી અત:સ્ત્રાવ બહુ ઓછા સ્તર ઉપર હોય છે, ધ્રુમપાન નહી કરતા હોય તેમની સરખામણીમાં અને હવે તેઓ પહેલા કરતા વધારે વાર રજોનિવૃતિના કાળમાં જાય છે. ધ્રુમપાન કરવાવાળા લોકો પણ તેમના આહારમાં ઓછા કેલ્સીયમનુ શોષણ કરે છે.
દારૂ:– નિયમિત દારૂ પીવાવાળી જુવાન સ્ત્રીઓ અને પુરૂષોના હાડપિંજરને કદાચ નુકશાન કરે છે. જેઓ વધારે પ્રમાણમાં પીવે છે તેઓના હાડકાને અસ્થિભંગને લીધે વધારે નુકશાન થાય છે, હલકા પોષણને લીધે અને પડી જવાના જોખમને લીધે.
દવાઓ જેને લીધે હાડકાને નુકશાન થાય છે:– glucocorticoids નો લાંબા સમય સુધી ઉપયોગ (દવાઓ જે વિશાળ રોગો માટે સુચવવામાં આવી છે, જેવા કે સંધિવા, દમનો રોગ, Crohnનો રોગ, ચામડીના ચાંદાવાળો રોગ અને બીજા ફેફસા,ગુરદા, પિત્તાશયના રોગો), હાડકાની ઘનતા અને અસ્થિભંગના નુકશાનને આગળ લઈ જાય છે. બીજી જાતની દવાની ઉપચાર પદ્ધતિ હાડકાને નુકશાન કરે છે, જેમાં સમાવેશ છે - લાંબા સમયથી ચાલતી સારવાર કેટલીક આંચકીની વિપરીત દવાઓ જેવી કે phenytoin (Dilantin®) અને ઘેન આપતી દવા, gonadotropin જે endometriosisની સારવાર કરતા hormone સાદૃશ્ય મૂલકને છોડે છે, એલ્યુમિનિયમ જેમાં અમ્લ છે, તેની વધારે પડતી વપરાશ, કેટલાક કર્ક રોગની સારવાર અને વધારે પડતી કંઠગ્રંથીના hormone. તમે પોતાની મેળાયે દવાની માત્રા બંધ કરતા અથવા બદલાવતા નહી.
ચિકિત્સાની રોકથામ :– osteoporosis ની સારવાર અને રોકથામ કરવા માટે ઘણી બધી દવાઓ ઉપલબ્ધ છે. osteoporosis ની સારવાર કરવા માટે વ્યાપક કાર્યક્રમની જરૂર છે, જેમાં સમાવેશ છે - બરાબર પોષણ, કસરત અને પડવાથી બચવા માટે સુરક્ષાના મુદ્દાઓ. હાડકાનુ નુકશાન રોકવા, હાડકાની ઘનતા વધારવા અને અસ્થિભંગના જોખમને ઓછુ કરવા તમારો ડૉકટર દવા લખી આપશે.

osteoporosisના દરદીઓને પડતા રોકવા એક વિશેષ ચિંતા છે, કારણકે તે કેડના હાડકાનુ, હાથના કાંડાનુ, કરોડ અને હાડપિંજરના બીજા ભાગોનુ અસ્થિભંગ થવાની શક્યતા વધારે છે. આ મહત્વનુ છે કે osteoporosisવાળા વ્યક્તિઓનુ કોઇપણ શારિરીક પરિવર્તન છે જે તેમનુ સંતુલન અથવા ચાલને પ્રભાવિત થવા વિષે જાણકારી હોય. પડવાનુ કારણ બગડેલી દૃષ્ટિ અને/અથવા સંતુલન, લાંબેથી ચાલતી બિમારી જે માનસિક અથવા શારિરીક કામકાજ કરવાને ઇજા પહોચાડે અને કેટલીક દવાઓ જેવી કે શાંત પાડનાર અને નિરૂત્સાહ બનાવનાર દવા.

હાડકાના ઘનત્વનુ પરિક્ષણ કરી શકાય છે. અસ્થિભંગ થતા પહેલા હાડકાની નીચલી ઘનતા શોધી કાઢો. જો તમને અસ્થિભંગ પહેલાથી થયુ હોય તો osteoporosis નુ નિદાન કરાવવુ. ભવિષ્યમાં અસ્થિભંગ થવાની શક્યતાની અગાહી કરી શકો છો. તમારા હાડકાને થતો હાનીનો દર અને/અથવા સારવારની અસરની દેખભાળ નિર્ધારિત કરો, જો આ પરિક્ષણ એક વર્ષ અથવા તેનાથી વધારાના સમયના ગાળા દરમ્યાન સંચાલિત કર્યુ હોય.

વધારેલ સ્થિરતા માટે એક લાકડી અથવા ચાલણગાડીનો ઉપયોગ કરો, સંકર્ષણ માટે રબ્બરના તળિયાવાળા પગરખા વાપરો અને વરસાદની રૂતુ દરમ્યાન ચાલવા માટે ભીની પગદંડી જે લપસણી થઈ છે,તેના માટે ઘાસ ઉપર ચાલો, વધારે ચમકાવેલ ફરસી જે વધારે સુવાળી અને જ્યારે ભીની હોય ત્યારે ખતરનાક હોય છે, તેનાથી સાવધાન રહો. જમીન અસ્તવ્યસ્થ નહી કરો. સુનિશ્ચિત કરો કે દાદરા ઉપર સારો પ્રકાશ પડતો હોય અને બંને બાજુ ઉપર હાથ રાખવા કઠેરો હોય, tub, shower અને શૌચાલયની દીવાલની નજીક દાંડા બેસાડેલા હોય, બાથરૂમમાં મુકેલી રબ્બરની ચટાઈ વાપરો, તમારી પથારીને પાસે સારી રીતે ઉજાસ આપનારી તાજી batteries રાખો, એક તાર વીનાનો ફોન ખરીદવાનો વિચાર કરો કે જેને લીધે તમારો ફોન જ્યારે વગડે ત્યારે જવાબ આપવા તમારે દોડવુ ન પડે અથવા જો તમે પડી જાવ તો મદદ માટે ફોન કરી શકો.

 

 

વરિષ્ઠોમાં દૃષ્ટિની સમસ્યાઓ

ત્યા ઘણા વરિષ્ઠ લોકો છે જેઓ તેમના ૮૦ના દસકામાં છે અને તો પણ તેમની આંખોને કોઇ સમસ્યા નથી. પણ ઉમરની સાથે કુદરતી શારિરીક પરિવર્તનની કેટલીક સમસ્યાઓ ઉભી કરે છે, જેવી કે મોતીબિંદુ અને ઝામર. તમે જેટલા વૃદ્ધ થતા જાવ છો તે પ્રમાણે તમારા રોજના કામમાં વધારે પ્રકાશની જરૂર પડે છે, જેવુ કે વાચવા માટે, રાંધવા માટે અને બીજુ કાઇ પણ સુધારવા માટે. રાત્રે મોટર ગાડી ચલાવવી એક મુશ્કેલ કામ થઈ શકે છે.

કેટલીક સમસ્યાઓ છે

Presbyopia:આ સાધારણ રીતે ૪૦/૪૫ વર્ષની ઉમરે થાય છે, જે આંખોના સ્નાયુઓ અને પારદર્શક કાચની ખોટને લીધે થાય છે, જેવુ કે વાચવુ, લવચિકતાની ખોટને લીધે મુશ્કેલ બનાવે છે. તમે ફક્ત વાચી શકો છો, જ્યારે સામગ્રી તમારા હાથની દુરી સુધી હોય. સમસ્યાઓ કેન્દ્રિત કરવાની છે, જે તમે સરળતાથી convex પારદર્શક કાચવાળા ચશ્મા વાપરીને સુધારી શકો છો. દરેક થોડા વર્ષો પછી તમને વધારે મજબુત ચશ્માની જરૂર પડશે જે તમારી ઘટતી ક્ષમતાને કેન્દ્રિત કરવા મંજુર કરશે.

Floaters :તમારી આંખોની આજુબાજુમાં નાના ટપકા અથવા નાનકડા ધબ્બા દેખાય છે, ખાસ કરીને ચમકદાર પ્રકાશમાં એક સામાન્ય સમસ્યા છે. તે સાધારણ અને હાનિરહીત છે, પણ તે આંખોની સમસ્યા તૈયાર થવાની ચેતવણી છે. જો તે ધ્યાનમાં આવતુ હોય અથવા ઝબકારા મારતુ હોય તો તમારા ડૉકટરને મળો.

વધારે પડતા આંસુ :વધારે પડતા આંસુ સાધારણ રીતે હવા, પ્રકાશ અથવા તાપમાનમાં બદલાવ વધારે સંવેદનશીલતા તરફ સંકેત કરે છે. આ સમસ્યા થંડી હવામાં બહુ સામાન્ય છે. આ તમે ચશ્મા ખાસ કરીને તડકાના ચશ્મા પહેરીને ઓછુ કરી શકો છો. આ અવરૂધ્ધ આંસુની નલિકા (આંસુ નલિકા) અથવા એક આંખના ચેપનો સંકેત હોઇ શકે છે.

સુકી આંખો:આ આંસુ ગ્રંથીઓ દ્વારા આંસુના ઓછા ઉત્પાદનનુ કારણ છે. આ ધુંધળી દૃષ્ટી, ખંજોર આવવી અથવા આંખોમાં બળતરા થવી જેવી સમસ્યાઓનુ કારણ છે. આ કૃત્રિમ આંસુ વાપરીને સરળ રીતે સુધારી શકાય છે.

સામાન્ય આંખના રોગો
ઝામર :ઝામર આંખોમાં ઘણુ બધુ પાણીના દબાણને લીધે થાય છે. આ અંધત્વ તરફ લઈ જાય છે. અસામાન્ય તીવ્ર પ્રકાર (જે અચાનક દર્દ અને દૃષ્ટિની સમસ્યાનુ કારણ બને છે.) અને સામાન્ય લાંબેથી ચાલતી બીમારીનો પ્રકાર (જે ધીમેધીમે કોઇ પણ વ્હેલા લક્ષણો બતાવ્યા વીના વિકસિત થાય છે.) બધા વરિષ્ઠ દરદીઓએ નિયમિત રીતે આંખોની ચકાસણી કરાવવી જોઇએ, કદાચ દરેક બે વર્ષે, પણ તે મહત્વનુ છે કે અસામાન્ય આંખોના લક્ષણો તપાસી લેવા જોઇએ, જો ચકાસણી કરી હોય તો તેની સારવાર કરીને અંધત્વને રોકી શકાય છે.

આંખોનો મોતિયો:સામાન્ય રીતે આંખની અંદરનો પારદર્શક કાચ સ્પષ્ટ છે અને પ્રકાશને તેની વચમાંથી પસાર થવા માટે અનુમિત આપે છે. આંખનો મોતિયો ત્યારે થાય છે, જ્યારે પારદર્શક કાચ ધુંધળો અથવા ઝાંખો થઈ જાય છે અને આંખની પાછળથી આવતા પ્રકાશને તોડી નાખે છે. દૃષ્ટિમાં વિકૃતિ સિવાય ત્યા બીજા કોઇ લક્ષણો નથી. તે છતા આ કોઇ પણ ઉમરે થઈ શકે છે. જેઓ cortisone ની ટિકડીઓ લેતા હોય અને મધુમેહનો રોગ હોય તેવા માટે આ બહુ સામાન્ય છે. તે વારસાગત પણ છે. એક આધુનિક પારદર્શક કાચનુ પ્રત્યારોપણ (એક કૃત્રિમ પારદર્શક કાચ) ઉત્કૃષ્ટ પરિણામ આપે છે.

નેત્રપટલના વિકારો:નેત્રપટલના વિકારો (આંખોના છાયાચિત્રના સંવેદનશિલતાનુ ક્ષેત્ર) આંધળાપણની માત્રા બદલવા માટે નેત્રુત્વ કરે છે. મધુમેહ અને બીજા રોગો નેત્રપટલની સમસ્યાઓ ઉભી કરે છે. કોઇકવાર નેત્રપટલ જુદુ પડી જાય છે અને આંખોની દૃષ્ટિને ગંભીર પ્રમાણે અસર કરે છે. નેત્રપટલના જુદા થવાની સફળતાપૂર્વક સારવાર કરી શકાય, જો તે વ્હેલાસર શોધી કાઢ્યુ હોય તો.

સારી દૃષ્ટિ માટે યુક્તીઓ:પ્રકાશ માટે કાચના દિવાઓ, ફ્લોરોસન્ટના પ્રકાશના દિવા કરતા સારા છે. નિયમિત લોહીનુ દબાણ અને મધુમેહની તપાસ. આંખોની ચકાસણી દર બે વષે.

વરિષ્ઠોમાં ઉંઘના વિકારો

શાં માટે ઉંઘ મુશ્કેલ હોય છે.:ઉમર વધતા ત્યાં ઓછી ધીમી તરંગ, ગાઢ ઉંઘ આવે છે. તેથી વરિષ્ઠ વ્યક્તિઓ વાતાવરણમાં અવાજને લીધે જાગી જવાની શક્યતા વધારે હોય છે. સ્વાસ્થયની અનેક સમસ્યાઓ ઉંઘને મુશ્કેલ બનાવે છે.

દર્દ: સંધિવા સાથેના લોકોને ઉંઘ આવવાની મુશ્કેલી થાય છે અથવા જાગતા રહીને સાંધામાં દર્દને લીધે સુવે છે. એક ૧૯૯૬ gallupની મતદારની ગણતરીએ શોધ્યુ કે ૩૦% રાત્રે દર્દનો અનુભવ કરનાર પીડિતોને રાત્રે સંધિવાને લીધે દર્દ થાય છે. ૫૦ વર્ષની ઉમર કરતા વધારેનો આકડો ૬૦% જેટલો ઉંચો જાય છે. જો તમે સંધિવાથી પીડિત હોય તો દર્દની સારવાર કરવા તમારા ડોકટરને પુછો. તે જ મતદાનમાં પીઠનો દુખાવો, માથાનો દુખાવો, સ્નાયુઓનુ દર્દ, પગના ગોટલા ચડવા અને શરદીનુ દર્દ પણ જેઓને દર્દ થાય છે, તેઓના દાખલા પણ જણાયા છે.

હદયની બળતરા:રાતના સમયે હદયની બળતરા, છીક અને લાંબેથી ચાલતી ઉધરસ વારંવાર ઉઠી જવાની અને દિવસના સમય દરમ્યાન ઘેન ચડવુ અંકિત કરે છે. પથારીમાં માથુ ઉંચુ કરવુ કદાચ લક્ષણોને નરમ પાડે છે અથવા કદાચ દવાની જરૂર હોય શકે છે.

શ્વાસોશ્વાસની બિમારીઓ: દમનો રોગ, લાંબેથી ચાલતા આંતરડાના ફેફસાનો રોગ અને વિવિધ ચેતાસ્નાયુઓનો રોગ ઉઠાડવા માટે જવાબદાર છે, એક અભ્યાસમાં જોવા મળ્યુ છે કે ૭૪% દમના રોગીઓ ગમે અઠવાડિયામાં એક વાર જાગે છે.

રજોનિવૃતિ (કાળ):ગરમ ઝબકારા અને રજોનિવૃતિને સબંધિત શ્વાસ લેવામાં ફેરફાર અવ્યવસ્થિત ઉંઘમાં દેખાય છે. એક અભ્યાસમાં ગરમ ઝબકારા સરેરાશ દર આઠ મિનિટે એક વાર arousalsની સાથે સંકળાયેલા હતા.

દવાનો ઉપચાર: તમારા ડૉકટરને અથવા ફાર્માસિસ્ટ્ને પુછો કે તમારી દવાઓ અનિંદ્રા અથવા સુસ્તીનુ કારણ છે અને જો દવા લેવાના સમય બદલવાથી તમારી સમસ્યાઓમાંથી બહાર આવવા મદદ કરશે.

રાસાયણિક ફેરફરો:hormone melatoninનુ ઉત્પાદન જે જાગરૂકતાને અને ઉંઘને પ્રભાવિત કરે છે, તે ઉમરની સાથે ઓછુ થાય છે, અને તે જ સમયે ઉંઘની વિકૃતી થવાની શક્યતા વધતી જાય છે.

વરિષ્ઠો માટે પોષણ

તે છતા, ઘણા બધા નિરોગી ખોરાકો લાંબા જીવનની બાયધરી નથી આપતા, પણ સક્રિય અને તંદુરસ્ત વરિષ્ઠો તેવી રીતે જીવવા માટે વિચિત્ર રીતે સમય વધારે છે, એ જાણીને કે તેમની ઉમરમાં થતા ફેરફારને લીધે તેમની પોષ્ટીક ખોરાકની જરૂરીયાત કેવી રીતે પુરી થાય છે, ખોરાકનો માર્ગદર્શક આલેખ આરોગ્ય અધિકારી ૨ વર્ષ કરતા વધારેની ઉમર બધા માટે તેમના પોષ્ટીક આહાર માટે કેવી રીતે દૃષ્ટીની રજુઆત કરે છે. પણ વરિષ્ઠ લોકોની ચોક્કસ જરૂરીયાતો એક માપ બધામાં બેસસે તેવા ખોરાકના માર્ગદર્શનનો આલેખ સંબોધિત કરતો નથી.

વરિષ્ઠોના સ્વાસ્થય ઉપર વારંવાર પુછાતા પ્રશ્નો

મારૂ ઘર સુરક્ષિત રાખવા માટે હું શુ કરી શકુ છુ.?

તમારા ઘરમાં એક વરિષ્ઠ વ્યક્તિના આગમાન પછી પહેલો વિચાર તેની સુરક્ષાની યોજના કરવાનો છે. ઘણી બધી વૈદ્યકીય પરિસ્થિતીઓ પડી જવાનુ જોખમ વધારે છે. પડી જવાથી અસ્થિભંગ અને માથામાં ઇજા થાય છે, જે વરિષ્ઠ વ્યક્તિની સ્થિતી બગાડે છે. પડવાનુ જોખમ હદયનો હુમલો અથવા મજ્જાતંતુનો રોગ થવાનુ પરિણામ લાવે છે, કેટલીક દવાઓ ચક્કર આવવાનુ અથવા દૃષ્ટીની સમસ્યાઓ લાવે છે. ઘરમાં હલનચલન કરવા માટે બહુ મુશ્કેલ થાય છે.

  • આ સમસ્યાઓનો નિમ્નલિખિત સાવચેતી રાખવાથી ઉકેલ આવે છે.
  • લપસી પડાય તેવા પાથરણા દુર કરીને.
  • નાહવાના અને સુવાના ઓરડાની પાસે કઠેરા બેસાડીને.
  • એક નબળા અથવા અસ્થિર વ્યક્તિને ઝારી નીચે નહાવા માટે એક ઝારી અથવા ગોળ વાસણવાળી ખુરશી, પડવાથી બચવા માટે અથવા બેસીને નહ્યા પછી ઉભા થવા માટે.
  • જો ઘર વધારે મજલાનુ હોય તો સલાહ અપાય છે કે આખી રહેવાની જગ્યા એક જ મજલા ઉપર હોવી જોઇએ જેને લીધે વરિષ્ઠ વ્યક્તિને વારંવાર પગથીયા ચડવાની જરૂર ન પડે.
  • જો આ શક્ય ન હોય તો વધારાના કઠેરા બેસાડવા જેથી વરિષ્ઠ વ્યક્તિ તેના બંને હાથ કઠેરા પકડીને દાદરાની ઉપર અને નીચે ચડી શકે.
  • બીજો ઉપાય વધારે મજલાવાળા ઘર માટે એ છે કે એક દાદરા ચડવા માટે સીડી ઉપર ઘસરીને એક motorized ખુરશીથી ચડવુ/ઉતરવુ. આ ખુરશીઓમાં તેમની પોતાની સુરક્ષા માટે સુવિધાઓનો સમાવેશ છે, - સુરક્ષા પટ્ટા, ગોળ ફરી શકે તેવી બેઠક, અને પાછા આવવા માટે શક્તિ છે.


એક શારિરીક ચિકીત્સક અથવા વ્યાવસાયિક ચિકીત્સક કેવી રીતે મદદ કરી શકે છે?

શારિરીક ઉપચાર પદ્ધતી: વરિષ્ઠ વ્યક્તિની શારિરીક સ્થિતી જોવા માટે એક શારિરીક ચિકીત્સકને ત્યા મોકલવો જોઇએ. ચિકીત્સક સાધારણ પણે દરદીની ચાલવાની ક્ષમતાની તપાસ કરે છે, પથારીમાંથી ઉઠવા માટે તેને કેટલી મુશ્કેલીઓ પડે છે, અથવા બીજી પ્રવૃતિઓ જેવી કે ખુરશીમાંથી ઉભા થવુ, વસ્તુઓ જેવી કે ઓશીકાને જમીન ઉપરથી ઉપાડી લેવા વગેરે. દરદીની સામાન્ય શારિરીક તાકાતનુ મુલ્યાંકન થાય છે અને તેના પ્રમાણે તેને કસરત કરવાની સલાહ અપાય છે. આ કસરતો દરદી ઘરે પણ કરી શકે છે અથવા કેટલીક કસરતો કરવા માટે દરદીએ ડોકટરને ત્યા જવુ પડશે, કારણકે આ કરવા માટે ખાસ ઉપકરણોની જરૂર પડે છે. સાધારણ રીતે ડૉકટર અને શારિરીક ચિકીત્સક ભેગા મળીને બરોબર અને અસરકારક રીતે કસરતો કરાવશે, જે દરદીનુ સ્વાસ્થય જલ્દીથી સારૂ કરવામાં મદદ કરે છે.

એક શારિરીક ચિકીત્સકની ઘરની મુલાકાત બહુ મદદરૂપ હોય શકે છે. એક શારિરીક ચિકીત્સક તમારા રહેવાની જગ્યાનુ મુલ્યાંકન કરી શકે છે અને તેને સુરક્ષિત રીતે અને સરળ રીતે એક વરિષ્ઠ વ્યક્તિ કેવી રીતે તડજોડ કરી શકે તેના માટે સલાહ આપે છે. જ્યારે હું ઘરની ઉપચાર પદ્ધતી કરૂ છુ, જે ડોકટરે લખી આપી છે, ત્યારે સાધારણ પણે હું અઠવાડીયામાં બે થી ત્રણ મુલાકાતો કસરત મજબુત બનાવવા, પથારીમાંથી અંદર અને બહાર આવવા, અને સંતુલન અને કસરતમાં સમન્વય સુધારવા માટે વ્યાયામ કરૂ છુ.

વ્યવસાયિક ઉપચાર પદ્ધતી: વ્યવસાયિક ઉપચાર પદ્ધતી વરિષ્ઠ લોકોની દરરોજ પ્રવૃતિઓ કરવાની આવડત, જેવી કે કપડા પહેરીને તૈયાર થવુ, નાહવુ, શણગાર કરીને અને જમવાનુ તૈયાર કરીને ,તેનુ મુલ્યાંકન કરે છે. કેટલીક વૈદ્યકીય સમસ્યાઓથી જેવી કે સંધિવા, લકવા દરદીને કામ જેવાકે શર્ટનુ બટન લગાવવુ, પગરખાની વાધરી બાંધવી વગેરે કરવાથી રોકે છે, જેને આપણે સમજીએ છીએ કે તે બરોબર રીતે કરશે. વ્યવસાયિક ઉપચાર પદ્ધતી સરળ ઉપકરણોનો ઉપયોગ કરીને આ કામ કરવાના વૈકલ્પિક રસ્તાઓ પુરા પાડવા માટે ઉપયોગી છે. ઉદાહરણ માટે, એક લાંબા હાથવાળુ પકડવાનુ ઓજાર, જે મોજાને ઉપર ચડાવવા માટે કામ આવે છે જે આપણે કરવા માટે પહોચી શકતા નથી. વ્યાવસાયિક ચિકીત્સક ઘરને સુરક્ષિત રાખવા માટે સુરક્ષિત પરિમાણનો ઇશારો કરે છે.


• શારિરીક કસરતો કેટલી મહત્વની છે.?

વરિષ્ઠ વ્યક્તિ માટે ગમે તેવી રીતે સક્રિય રહેવુ બહુ મહત્વનુ છે. તે પ્રમાણે પથારીવસ દરદીઓ માટે મહત્વનુ છે કે તે કેટલીક માત્રામાં શારિરીક પ્રવૃતિઓ કરે. ડૉકટરને કસરત કરવાના સમયપત્રક બનાવવા માટે સુચના આપો, એ ખાતરી કરવા માટે કે તે કસરતો સમયસર અને બરોબર માત્રામાં કરે છે. એ મહત્વનુ છે કે દરદી તે પોતે/તેણી પોતે વધારે કસરત કરીને સ્નાયુઓને તણાવ ન આપે જે કરવાની ક્ષમતા તેનામાં નથી.

ઘણા બધા લોકો જેઓ પથારીમાંથી ઉભા થઈ શકતા નથી, તેઓને પથારીમાં હલનચલન કરવા માટે પણ તકલીફ થાય છે. પરિસ્થિતી બદલાવવા માટે પણ મુશ્કેલી થાય છે, અને લાંબા સમય માટે એક સ્થિતીમાં સુઇ રહેવાથી અને દબાણને લીધે આળુ થાય છે અને ઘારા પડી જાય છે. તેમને સ્થિતી બદલાવવાથી અથવા પીઠ ઉપર ફેરવવાથી અથવા દરેક બે કલાકે સ્થિતી બદલાવવાથી દબાણ સબંધિત સમસ્યાઓને રોકવા માટે મદદ કરી શકાય છે. બીજી સરળ કસરતો જેવી કે ઝુકીને અને કોણીથી હાથ સીધો કરીને, અવયવોને હળવેથી સામાન્ય હલનચલન કરીને, વગેરે સ્નાયુઓને અક્કડ થતા રોકે છે. એક વિશિષ્ઠ સંપુર્ણ શરીરની વૈદ્યે બતાવેલ ઉપચારના હલનચલનની માળા ખંભાથી શરૂ થઈને પગ સુધી કામ કરે છે, દરેક સાંધાને તેની બદલીમાં ફેરવે છે. એ મહત્વપૂર્ણ છે કે શરૂઆતમાં આ કસરતો એક પ્રશિક્ષિત ચિકિત્સક, દરદીનુ ધ્યાન રાખનાર અથવા ડોકટરની હાજરીમાં પ્રદર્શિત કરે. એક વાર કુંટુંબના સભ્યો દરદીની વ્યાયામ બરોબર રીતે કરવાની ક્ષમતાની ટેવ પડી જાય તો એક ચિકિત્સકની હાજરીની જરૂર નહી પડે. આ કસરતો ધ્યાન રાખીને અને ધીમેધીમે કરવી જોઇએ અને નિશ્ચિત કરે કે દરદીને/તેણીને આ કસરતો કરતી વખતે તણાવ ન આવે.

હલનચલન કરતા દરદીઓ માટે ચાલવુ તે સૌથી લાભદાયક કસરત છે. તે પરિભ્રમણમાં મદદ કરે છે, જેને લીધે હાડકાના બંધારણ વગેરેને બનાવી રાખે છે. આ કસરત ચાલવાની લાકડી અને બીજી મદદથી કરવામાં બહુ સરળ પડે છે. ઘરની આજુબાજુની જગ્યામાં ચાલી શકાય છે અથવા નજીકના કોઇ ઉદ્યાનમાં જે વરિષ્ઠ વ્યક્તિની શારિરીક સ્થિતી ઉપર આધારિત છે. આ સરળ કામ એક વ્યક્તિને બંને - એક રોજની કસરતની માત્રા અને સફળતાની ભાવના આપી શકાય છે.

• કઈ જાતના ચાલવાના ઉપકરણો મળે છે ? aidsavailable?

કેટલીક શારિરીક અપંગતા એકને ચાલવા માટે બહુ મુશ્કેલ કરે છે અથવા આ નડતરમાંથી બહાર આવવા ડૉકટરે દરદીને જાતજાતની ચાલવાની મદદ માટે સલાહ આપે છે aids to their patients.

 

કેટલાક સામાન્ય ચાલવાની મદદ કરવા માટે છે aids are

  • ચાલવા માટે મદદરૂપ ચોકઠુ
    એક ચાલવા માટે મદદરૂપ ચોકઠુ તીવ્ર સંતુલનની સમસ્યાવાળા દરદીઓ માટે ઉપયોગી છે. એક હાથ રાખવા માટે અને બીજી વસ્તુઓ, ચાલવા માટે મદદરૂપ ચોકઠાની સાથે વધારાની સુરક્ષા અને આધાર માટે વાપરી શકાય છે. જો દુર સુધી ચાલવુ મુશ્કેલ થતુ હોય તો પૈડાવાળી ખુરશી વાપરવાનો વિચાર કરી શકાય.
  • લાકડીઓ
    લાકડીઓ બે પ્રકારની છે. ફક્ત એક બિંદુની લાકડી એક અલ્પ સંતુલનની સમસ્યાવાળા દરદીઓ માટે ઉપયોગી છે. બીજી બાજુ ચૌકોર લાક્ડીમાં ચાર પગ સાથે દરદીઓને ફક્ત એક બિંદુની લાકડી કરતા વધારે આધાર અને સ્થિરતા આપે છે. આ લાકડાના દાંડા વિવિધ રૂપમાં અને આકારમાં દરદીઓની જરૂરીયાત પ્રમાણે મળે છે. આ વિશેષ દાંડાને " Ortho–Ease" કહે છે અને દરદીની પક્ડને અનુકુળ ઢાંચો બનાવવામાં આવે છે અને આને લીધે લાકડીનો વપરાશ વધારે આરામદાયક બને છે.

વૈદ્યકીય પુરવઠાનો ભંડાર અને કેટલાક મોટા ઔષધાલયો પાસે આ બધી વસ્તુઓ પ્રદર્શિત કરવા માટે છે. વિશેષ અનુરૂપતા અને આકાર વૈદ્યકીય પુરવઠાની સુચીમાં મળે છે. જો ડોકટરે લખી આપ્યુ હોય તો ઘણી ચાલવાની સહાયક વસ્તુઓ medicare અને વિમાના કેટલાક ભાગમાં આવૃત છે.

 

હું આધાર માટે કોની પાસે જાઊ ?

તમને એકલા પડવાની સંવેદના ન થવી જોઇએ, જ્યારે તમારા પ્યાર માટે સૌથી સારી વસ્તુ શું છે, તેનો વિચાર કરો. તમારી પાસે એક પ્રશ્ન હોય કે જમવાનો બાર ક્યાં ચાલુ કરવો કે, કઈ જાતની કસરત સુરક્ષિત છે અથવા ચાલવા માટે ક્યો આધાર બરોબર છે. એક વિકલંગતા માટે ત્યાં લોકો છે, જે તમને મદદ કરી શકશે. જો તમારા કુંટુંબના સભ્યોનો ડૉકટર વરિષ્ઠ લોકોની વિશેષ જરૂરીયાતની સાથે અનુભવ ન હોય તો એક સ્થાનિક વૃદ્ધવસ્થા રોગનો વિશેષજ્ઞ અથવા gerontologist માટે ભલામણ કરવા માટે પુછવુ. આ ડૉકટરોને વિશેષ પ્રશિક્ષણ અને વરિષ્ઠ વ્યક્તિઓની ચિકિત્સા, શારિરીક અને ભાવનાત્મક જરૂરીયાતમાં રસ છે.

સ્થાનિક અથવા રાષ્ટ્રિય ઘર સ્વાસ્થય સેવાને ભલામણ કરવા માટે પુછવુ. ઇસ્પિતાલમાં રહ્યા પછી જો તમારો કુંટુંબનો સભ્ય તમારી સાથે રહેવા આવતો હોય, ઇસ્પિતાલના સમાજના કાર્યકર્તા સાથે ધ્યાન રાખવાવાળી વ્યક્તિ અને ઘરનુ દેખભાળ કરવાની સેવા આપનાર વિષે બોલો. તે છતા જુદાજુદા ક્ષેત્રમાં સેવા કરવા માટે ફરક છે, ઘણા ઘરની અંદર દેખભાળ કરવાવાળા મળે છે, ઘરમાં સેવકો અને શારિરીક ઉપચાર પદ્ધતી કરવાવાળા મળે છે. એક સારા સામાજીક કાર્યકર્તાની મુલાકાત આપતી દેખભાળ કરનાર સાથે કામ કરશે, એ જાણવા માટે કે તમારી શારિરીક મર્યાદા અથવા પોતાના પ્રેમની ચિકિત્સાની જરૂરીયાતના આધાર ઉપર તમે કેટલા પ્રમાણમાં મદદ કરી શકશો.

 

એકલાપણા સાથે સમજોતા

એકલાપણુ સાધારણ પણે દિવસના અમુક સમયે અથવા ચોક્કસ દિવસોએ જેવા કે રજાના દિવસો, જન્મદિવસ અને વર્ષગાઠના દિવસો દરમ્યાન લાગે છે. બીજી વસ્તુઓ સાથે પ્રવૃત્ત રહો, જે તમારા એકલાપણાને અસરકારક રીતે દુર કરવામાં મદદ કરે છે. 

પ્રવૃત રહો : જો તમે એકલા હો તો તમે રોજ જે કામ નિયમિત રીતે ઉત્સાહ અને આશાવાદની સાથે કરતા હો તેમ કરો, ચાલવા જાવ, પત્રો લખો, લોકોને મળવા જાવ, કોઇક વસ્તુની મરમત કરો, એક શોખ કેળવો, જુદીજુદી વસ્તુઓને ભેગી કરનાર બનો. ઇન્ટરનેટના શોખીન બનો, જેમાંથી તમને ઘણી બધી જાણકારી મળશે. બધી વસ્તુઓમાં વ્યસ્થ રહો, જે તમારૂ ધ્યાન ખેંચતી હોય - એક સૌથી નાની વસ્તુ પણ - જે થોડા સમયમાં મહત્વની યોજના બની જશે. આનંદી લોકો હંમેશા વ્યસ્થ લોકો હોય છે. તમે તેવી નાની વસ્તુ સાથે વ્યસ્થ રહો. એકલાપણાને દુર રાખવા પ્રવૃતમય રહો.

પોતાને સમાવિષ્ટ કરો: જો તમે એકલા હો તો સમુદાયમાં સામીલ થાવ. એક મંદિર અથવા ગમે તે જગ્યા, જ્યા તમે પુજા કરતા હોય, કદાચ તે સારી જગ્યા છે. ત્યા હંમેશા કાઇક કરવાનુ હશે. નિવૃત લોકો પોતાને હંમેશા અનિશ્ચિત પરિસ્થિતીમાં જુએ છે. કેટલાક ફક્ત ખુરશી ઉપર બેસીને આકાશ તરફ જુએ છે અથવા ટીવી જુએ છે. આ પ્રકારનો માનસિક દૃષ્ટિકોણ એક વ્યક્તિને બહુ એકલો કરી દયે છે. અને જો તે/તેણી આવી રીતે કરવાનુ ચાલુ રાખશે તો એ સમય આવશે જ્યારે એકલાપણુ તેનો સંપુર્ણ સમયનો વ્યવસાય બની જશે.

બીજાને મદદ કરો : તમારા એકલાપણામાં, બીજાનુ એકલાપણુ શોધો અને તે મટાડવા પ્રયત્ન કરો જેનાથી તમે પોતે સારા થઈ જશો. એવા લોકોને મદદ કરો જેમણે પોતાના બુઢાપા માટે પૈસા ભેગા નથી કર્યા. ત્યા ઘણા લોકો છે જેમને મદદની જરૂર છે - તેમને શોધો અને તેમને મદદ કરો.

વાસ્તવિકતાથી ભાગો નહી: તમે જો એકલા હો તો દિવસે સ્વપ્ના નહી જુઓ, વધારે સમય માટે સુવો નહી, અથવા વધારે સમય માટે ટીવી નહી જુઓ. ઘણા સમય માટે સુવુ તે તંત્રથી ભાગવુ છે. આપણે પોતાના કરેલા પાપથી, જવાબદારીથી, નિષ્ફળતાથી અને નિરાશાથી ભાગીએ છીએ. દારૂ ઉપર નહી જાવ તે પરિસ્થિતીને બગાડે છે.

આનંદમાં રહેવાનુ પસંદ કરો:એકલાપણુ ઉદાસિનતા અને દુખનુ કારણ છે. દુખી પરિસ્થિતીની સામે સીધા લડો, ભલે આવી પરિસ્થિતી હોય તો પણ સુખી રહેવા પ્રયત્ન કરો. તમે પોતાને કહો કે દુખ વસ્તુઓને સુધારી નહી શકે, તે વસ્તુઓને બગાડે છે. એટલે આનંદમાં રહેવાનુ પસંદ કરો. તમારી સમસ્યાઓ વિષે બોલીને ઉદાસિનતાને લડત આપો. જો દારૂડીયા તેમના દારૂ પીવા ઉપર નિયંત્રણ લાવવા માટે એક સમુદાયને જોડાઈ શકે તો તમે સમુદાયને જોડાવ અને તમારી ઉદાસિનતા ઉપર નિયંત્રણ કરી શકો છો. લોકો સાથે, પરામર્શક સાથે વાતો કરો જેનાથી આશાવાદનો એક દૃષ્ટીકોણ મેળવશો.

સારા વિચારોને ભેગા કરો: જો તમે એકલા હોય તો સારૂ સંગીત સાંભળો, પ્રેરણાત્મક વિચારો વાંચો, ટુચકા, કવિતા અને સાહિત્યના કામો વાચો. એક પુસ્તકાલયમાં જોડાવ, સારા પુસ્તકો વાંચો, બની શકે તો, જો તમને વાંચવામાં તકલીફ પડતી હોય તો બીજુ કોઇ તમારા માટે વાંચશે. તમે પુસ્તકોની દુકાનમાં જઈ શકો છો અને થોડા સમય માટે browse કરી શકો છો.

એક સામાજીક સમુદાયને જોડાવ:આજે ત્યાં ઘણા બધા સમુદાયો છે. તમારા સમાજમાંથી ઘણા બધા સામાજીક સમુદાયમાંથી એકમાં તમે જોડાવ. વરિષ્ઠ નાગરિકોની બેઠકમાં નિયમિત રૂપે જાવ અને નવા લોકોને મળો. ત્યા ઘણા બધા વ્યક્તિઓએને તમે મળશો જે જુદાજુદા પ્રકારના સામાજીક સમારોહમાં સમાવિષ્ટ છે. જેમાં તમને રસ હોય તેવા એક અથવા વધારે સમુદાયને જોડાવ. તમારા ઘરની નજીકના એક બગીચામાં જાવ, જ્યા ઘણા બધા વરિષ્ઠો "ફરવા" આવે છે. હવે ઘણા શહેરોમાં હસવાના સમુદાયો છે.

પુજા કરવાની જગ્યા ઉપર જાવ: તમે જો એકલા હોય તો આ જગ્યા ઘણા વરિષ્ઠોને આકર્ષે છે અને હવે આ સમય છે જ્યારે તમે ભગવાનને સમર્પિત કરી શકો છો. જીવનના બધા કર્તવ્યો અને ફરજો પુરી થઈ છે. આ સમય છે જ્યારે તમારા માટે તમે શાંતી અને નિર્મળતા માટે કામ કરો.

વિચાર કરો, લોકો માટે વિચાર કરો, આજુબાજુ વિચારો, જીવનની બધી રોમાંચક વસ્તુઓ માટે અને પોતાના માટે વધુ પડતુ વિચારવાથી દુર રહો, અને તમારી એકલાપણાની સમસ્યા ગુમ થઈ જશે.

 

વધતી ઉમર પર કાબુ રાખવા માટેની સલાહ

માતાપિતા બનવા માટે આ કેટલીક સલાહ કદાચ કામ સહેલુ બનાવે છે!

  1. તમારા બાળકને પ્રશ્નો પુછવા માટે આઝાદી આપો અને કોઇકવાર તમારી સાથે સહેમત ન થવા માટે મંજુરી આપો.
  2. વખાણ કરવા, જો બરોબર રીતે કરે તો તમારૂ બાળક સારો વ્યવહાર કરવાથી કીર્તી વધશે(તમારા બાળકને બગાડશે નહી, કામની પ્રશંસા કરો, બાળકની નહી.)
  3. આજ્ઞાપાલને કામને સારી રીતે બેસાડવુ જોઇએ, વધારે ન થવુ જોઇએ.
  4. બાળકો તમારૂ કહેવાથી શીખતા નથી પણ તમે શું કરો છો તે જોઇને વધારે શીખે છે.
  5. જ્યારે જરૂર પડે ત્યારે પ્યાર અને સ્નેહ પ્રદર્શિત કરો. સારા આચરણ માટે ભુગતાનના રૂપમાં પ્રેમનો ઉપયોગ ન કરવો.
  6. તમારા બાળક તરફ વધારે પડતા સુરક્ષિત ન રહો, આપણે બધા ભુલો કરીને શીખીયે છીએ.
  7. બાળક તમને પરેશાન નહી કરે, પણ તમારુ દૃષ્ટિકોણ તેને પરેશાન કરે છે.

તમારા બાળકને "પોતાનુ" સૌથી સારૂ આપવાનુ કહો, નહી કે કરવા માટે "રહો" સર્વોત્તમની અપેક્ષા.

તમે કોઇને જાણતા હોય તેમનામાં નિમ્નલિખિત લક્ષણો ત્યા હાજર છે કે તેની ચકાસણી કરો

  • સુવામાં તકલીફ.
  • ભુખ નહી લાગવી/અનિયમિત સમયે ખોરાક ખાવો. કોઇ કામ નહી કરવુ.
  • હાજર નહી રહેવુ/ વ્યક્તિગત સ્વચ્છતા જાળવી રાખવી.
  • કુંટુંબના સભ્યો સાથે અને બીજા સાથે સારા સબંધ નહી રાખવા.
  • બીજા તરફ હાનિકારક અથવા અપમાનજનક, આક્રમક, આત્મહત્યા અથવા મનુષવધ વર્તણુક બતાવવી.
  • સમાજને વિચિત્ર/જેનો સ્વીકાર ન થઈ શકે તેવી વર્તણુક, જેવી કે સાર્વજનિક જગ્યામાં કપડા કાઢવા, કચરો ભેગો કરવો અથવા ઘરેથી ભાગી જવુ.
  • એક વ્યક્તિ જેને વારંવાર આચકી આવે (દિવસમાં સતત ત્રણથી વધારે વાર).
  • બાળકના જન્મ પછી અશાંત વર્તણુક.
  • દારૂ પીધા પછી એક વ્યક્તિની અસામાન્ય વર્તણુક.

તેને/તેણીને માનસિક સમસ્યા હોય. તેને એક માનસિક સ્વાસ્થયના વ્યવસાય કરનાર પાસે લઈ જાવ

વિશ્વનો પાર્કીંનસનનો દિવસ

વિશ્વ પાર્કીનસનના દિવસની ઘટના કેસરી વાડા, પૂણે ૧૧ એપ્રિલ ૨૦૦૯એ આયોજીત કરવામાં આવી. સ્વંય સહાયતાના બહુ સક્રિય સભ્યો - પાર્કીનસનના મિત્રમંડળે આ કાર્યક્રમની વ્યવસ્થા કરી. જેમ્સ પાર્કીનસન આધુનિક જીવનના ઇતિહાસનો અભ્યાસ ( paleontology) અને ભૂસ્તર શાસ્ત્ર, બાળરોગ, બાળ કલ્યાણ અને શારિરીક રસાયણ શાસ્ત્રનો પિતા મનાય છે. તેણે પાર્કીનસનના રોગની શોધ ૧૮૧૭માં કરી હતી. તેણે આ રોગને "ડોલતો લકવા"ના રૂપમાં વર્ણવ્યો હતો. ૧૧ એપ્રિલ તે પાર્કીનસનની જન્મ તારીખ છે અને એટલે તેને "પાર્કીનસનનો વિશ્વદિવસ" તરીકે માનવામાં આવ્યો છે.

પાર્કીનસનની સાથે ઘણા બધા લોકો ભીડથી ભરેલા હોલમાં તેમના જીવનસાથી અથવા તેમની દેખભાળ રાખવાવાળા સાથે બેઠા છે. સેતુ, પૂણેનુ એક સ્વંય સહાયતા સમુદાયે ઉત્સાહજનક ગીત સાથે કાર્યક્રમની શરૂઆત કરી.

પાર્કીનસનના મિત્રમંડળના ત્રણ સભ્યોએ પાર્કીનસનના રોગ વિષે પોતાના અનુભવોની લેવડદેવડ કરી અને તેમને SHG (સ્વંય સહાયતા સમુદાય) થી મદદ કેવી રીતે મળી તે વાત કરી. શ્રી.ગોપલ તીર્થાલીએ કહ્યુ કે તે બહુ ઉદાસ થઈ ગયો જ્યારે તેને ખબર પડી કે તેને પાર્કીનસન છે; પણ સ્વયં સહાયતા સમુદાયે તેના જીવનમાં એક ચમત્કાર કર્યો! SHGને આ માનસિક તણાવમાંથી બહાર આવવા મદદ કરી. અને તેને એ પણ ખબર પડી કે તે એકલો નથી, જ્યારે તે SHGમાં પાર્કીનસનની સાથે ઘણા લોકોને મળ્યો.

શ્રીમતી.નૈના મોરે એ કહ્યુ કે તેના પતિને પાર્કીનસનનો રોગ છે. પાર્કીનસન પહેલા તે બહુ ખુશમિજાજી હતો. તે હંમેશા લોકોને મળતો અને મિત્રો અને કુંટુંબ સાથે જીંદગીનો આનંદ લેતો. પણ જ્યારે તેને ખબર પડી કે તેને આ રોગ છે, ત્યારે તે અને તેનુ કુંટુંબ દુખી થઈ ગયુ. તેઓ જ્યારે SHGમાં આવ્યા ત્યારે જોયુ કે ત્યાં ઘણા લોકો છે જેમને પાર્કીનસન છે અને તેમની સમસ્યાઓ તેના કરતા વધારે છે. એટલે કુંટુંબે SHGમાં સક્રિય ભાગ લેવાનુ શરૂ કર્યુ અને SHGએ તેમના જીવનમાં નવી દૃષ્ટી બતાવી.

શ્રીમતી પ્રજ્ઞા જોશીએ કહ્યુ કે તે પણ પાર્કીનસનના રોગની સાથે જીવી રહી છે. પહેલા તેને ખબર પડી કે તેને પાર્કીનસનનો રોગ છે, ત્યારે તે ચમકી ગઈ, કારણકે તેના ભાઈને પણ આ રોગ હતો, જે તના જીવનનો સૌથી ખરાબ સમય હતો અને થોડા વર્ષો પછી તે મરી ગયો. પણ જેમ શ્રીમતી.તીર્થાલી અને કુમારી.નૈનાએ કહ્યુ, પ્રજ્ઞાએ પણ કહ્યુ કે તેણી સ્વંય સહાયતા સમુદાયની મદદથી ઉદાસિનતામાંથી બહાર આવી.

પાર્કીનસનના દરદીઓની હલનચલનની અસમર્થતા સ્પષ્ટ રીતે દેખાય છે અને પૂનાના પ્રખ્યાત મજ્જાતંતુના નિષ્ણાંત ડૉ.પ્રદીપ દીવટે એ આ વિષય ઉપર વાત કરી. તેમણે કહ્યુ કે પાર્કીનસનનો રોગ (PD) જેટલો સમજે છે તેટલો સરળ નથી. ત્યાં PD ના દરદીના શરીરમાં ઘણી બધી ગુંચવણો છે. દરદીની હલનચલનની અસમર્થતા સ્પષ્ટ રીતે દેખાય છે અને રોગના નુકશાનમાં - સબંધિત જીવનની ગુણવત્તામાં PD એક મહત્વનો ભાગ ભજવે છે.PDના દરદીઓની હલનચલનની અસમર્થતા સ્પષ્ટ રીતે દેખાય છે અને તેનુ કારણ ઘટકો છે, પણ મોટા પ્રમાણમાં આ સ્પષ્ટ રીતે દેખાતી neurodegenerative ની પ્રક્રિયાની પ્રકૃતિને સબંધિત છે અને વ્યાપક non–dopaminergic neuropathologicalના રોગની સાથે જોડાયેલ પરિવર્તનને સબંધિત છે. Non motor અસમર્થનની ઓળખાણ ફક્ત દરદીઓના કાર્યાત્મક સ્થિતી નક્કી કરવા માટે નથી પણ એક વધારે સારો (PD)માં neurodegenerativeની પ્રક્રિયાની પ્રકૃતિની પ્રશંસા કરવા માટે જરૂરી છે. આ રોગ શરીર દર્દ, બૈચેની, પેશાબમાં સમસ્યા વગેરેથી ચાલુ થાય છે. પણ ઘણીવાર એક સામાન્ય ચિકિત્સકને ખબર નથી હોતી કે આ PD છે. તેઓ સારવાર ખોટી દીશામાં ચાલુ કરે છે અને દરદી પીડા સહન કરે છે. એટલે તાત્કાલિક નિદાન (PD) માટે બહુ જરૂરી છે. ડૉ.દીવાટે એ પણ કહ્યુ કે (PD)ના દરદીઓ આ રોગ અને સામાજીક કલંકના રૂપના કારણને લીધે ચિંતા અને ઉદાસિનતામાં જવાની શક્યતા છે. પ્રસિદ્ધ મનોચિકિત્સક ડૉ.ઉલ્હાસ લુકટુકે એ પાર્કીનસનના રોગની જુદી દૃષ્ટી વિષે વાત કરી. એણે કહ્યુ કે દરદીનુ સારૂ થવુ એ વાત ઉપર આધાર રાખે છે કે તે અને તેનુ કુંટુંબ તેને કઈ દૃષ્ટીથી જુએ છે. એટલે તેનો સ્વીકાર તે પહેલુ અને બહુ મહત્વનુ PDના દરદીઓનુ પગલુ છે. ડો.લુકટુકે એ PDની સાથે વ્યક્તિના કુંટુંબના સબંધ ઉપર જોર આપ્યુ, કારણકે કુંટુંબનો નૈતિક આધાર તેના સારા થવા માટે બહુ જરૂરી છે.

પ્રસિદ્ધ મરાઠી અભિનેત્રી કુમારી. લલન સાંરગે સહાયતા સમુદાય માટે બહુ સારી કામના આપી. તેણીએ તેના અનુભવોની તેના પતિ, જે પાર્કીનસનના રોગથી પીડિત હતો, સાથે લેવડદેવડ કરી.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/27/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate