অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

મેદસ્વીપણું ડાયાબિટિસ માટે પણ જોખમી પરિબળ

મેદસ્વીપણું એટલે શું?

ભારતમાં મેદસ્વીપણાનાં રોગની સ્થિતિ શું છે? મેદસ્વીપણાની વ્યાખ્યા શરીર પર જામી ગયેલી અસાધારણ કે વધારાની ચરબી તરીકે થાય છે, જે સ્વાસ્થ્યને નુકસાન કરે છે. કેલેરીનાં ઉપયોગ અને કેલેરીના ખર્ચ વચ્ચે થયેલી ઊર્જાનું અસંતુલન મેદસ્વીપણાનું મૂળભૂત કારણ છે. સામાન્ય રીતે પુખ્તોમાં મેદસ્વીપણાને વર્ગીકૃત કરવા બોડી માસ ઇન્ડેક્સ BMI અને કમરના ઘેરાવાનો(વેઈસ્ટ સરકમફરન્સ) ઉપયોગ થાય છે. BMI એટલે વર્ગ મીટરમા ઊંચાઈ વડે કિલોગ્રામ વજનનો રેશિયો. ભારતમાં વધારે પડતું વજન અને મેદસ્વી વ્યક્તિ માટે ગ્પ્ત્ કટ-ઓફ અનુક્રમે ૨૩-૨૫ કિલોગ્રામ/મીટર2 અને >25 કિલોગ્રામ/મીટર૨ છે. ઉપરાંત કમરનાં ઘેરાવા પુરુષો માટે ≥90 સેમી અને મહિલાઓ માટે ≥80 સેમી હોય તો એને પેટનું મેદસ્વીપણું ગણવામાં આવે છે.
INDIABનાં અભ્યાસ મુજબ (ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા) ભારતમાં અંદાજે ૧૩.૫ કરોડ લોકો સામાન્ય મેદસ્વીપણું (બીએમઆઇ મુજબ પરિભાષિત) અને ૧૫.૩ કરોડ લોકો પેટનું મેદસ્વીપણું (કમરનાં ઘેરાવા મુજબ) મેદસ્વી છે. આ અભ્યાસ શહેરી વિસ્તારોની સાથે દેશનાં ગ્રામીણ વિસ્તારોમાં પણ મોટી સંખ્યામાં મેદસ્વી લોકો હોવાનું દર્શાવે છે.

મેદસ્વીપણું ડાયાબિટિસ સાથે કેવી રીતે સંકળાયેલું છે?

કમરના ઘેરાવામાં વધારા સાથે મેદસ્વીપણું સંકળાયેલું છે, જેને સેન્ટ્રલ ઓબેસિટી કહેવાય છે. સેન્ટ્રલ ઓબેસિટી ઇન્સ્યુલિનને અવરોધે છે (ઇન્સ્યુલિન પ્રત્યેનાં પ્રતિસાદમાં ઘટાડો થાય છે), જે ટાઇપ-૨ ડાયાબિટિસ અંતર્ગત મુખ્ય પેથોલોજી છે. અભ્યાસો સૂચવે છે કે, પેટની ચરબી એ ચરબીના કોષો દ્વારા શ્નપ્રો-ઇન્ફ્લેમ્મેટરીઌ કેમિકલ્સ છોડવા માટે માટે જવાબદાર હોય છે, જે શરીરના ઈન્સ્યુલીન. રિસ્પોન્સીવ કોષની કામગીરીમા વિક્ષેપ ઊભો કરી ને શરીરની ઈન્સ્યુલીન સામે રિસ્પોન્સ આપવાની ક્ષમતા ઘટાડે છે જેના કારણે ઈન્સ્યુલીન સામે શરીર ઓછુ સંવેદનશીલ બની જાય છે.
ટાઇપ ૨ ડાયાબિટિસ સાથે લગભગ ૯૦ ટકા લોકો મેદસ્વી કે વધારે વજન ધરાવે છે. ડાયાબિટિસનાં દર્દીઓમાં ઝડપી વધારા માટે મોટા ભાગે વધતું મેદસ્વીપણું જવાબદાર છે.

T2DMનું સ્વાવલંબી જોખમી પરિબળ બાળપણમાં રહેલુ મેદસ્વીપણું છે. શું આ સાચું છે? કેવી રીતે?

હા. આ એકદમ સાચુ છે. સાધારણ BMI ધરાવતાં બાળકોની સરખામણીમાં મેદસ્વી બાળકોમાં T2DM વિકસવાનું જોખમ ૨થી ૪ ગણું વધારે છે. મેદસ્વી બાળકોમાં ડાયાબિટીસ માટે જવાબદાર એવા કેટલાક પૂર્વ.

વર્તી પરિબળો જેવા કે સબક્લિનિકલ ઇન્ફ્લેમેશન, ઇન્સ્યુલિન રેસિસ્ટન્સ (ઇન્સ્યુલિન પ્રત્યે રિસ્પોન્સમાં ઘટાડો) અને મેટાબોલિક સિન્ડ્રોમ જેવી અસાધારણતા વિકસવાનું ઊંચું જોખમ રહે છે. ૧૪થી ૧૯ વર્ષનાં કિશોર વયનાં બાળકોમાં હાથ ધરાયેલા અભ્યાસ મજુબ, ભારતમાં ૬૪ ટકા આવા મેદસ્વી કિશોર બાળકોમાં ફાસ્ટીંગ હાયપર ઈન્સ્યુનેમિયા(લોહીમાં ઇન્સ્યુલિનનું ઊંચું સ્તર), હોય છે જે ઇન્સ્યુલિન રેસિસટેન્સ નુ એક સરોગેટ માર્કર ધરાવતાં હતાં. શરીરનું સામાન્ય વજન ધરાવતાં બાળકોની સરખામણીમાં કિશોર મેદસ્વી બાળકોમાં મેટાબોલિક સિન્ડ્રોમનું પ્રમાણ ૯થી ૧૦ ગણું વધારે હોય છે.

ઝડપથી થઈ રહેલાં વસતિવિષયક અને સામાજિકઆર્થિક પરિવર્તન સાથે ભારત બાળકોમાં મેદસ્વીપણાંનું કેન્દ્ર બની ગયું છે, ખાસ કરીને શહેરી વિસ્તારો. બાળકોમાં ઇન્સ્યુલિનનાં રેસિસટેન્સનું વહેલાસર નિદાન મેટાબોલિક સિન્ડ્રોમ અને ડાયાબિટિસનું નિવારણ કરવા માટે આવશ્યક છે.

ડાયાબિટિસ અને મેદસ્વીપણા સાથે અન્ય કોઈ જટિલતાઓ સંકળાયેલી છે? એને કેવી રીતે નિવારી શકાશે?

ડાયાબિટિસ ઉપરાંત મેદસ્વીપણું અન્ય ઘણી બિમારીઓ સાથે સંકળાયેલુ છે, જેમાં હાયપરટેન્શન (હાઇ બીપી), ડીસલાઈપેડિમીયા (કોલેસ્ટેરોલનું અસાધારણ સ્તર), હાયપરયુરિસેમિયા (લોહીમાં યુરિક એસિડનાં સ્તરમાં વધારો), ફેટી લિવર, મહિલાઓમાં પોલીસિસ્ટિક ઓવરેયિન સિન્ડ્રોમ અને ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નોઇયા સામેલ છે. મેદસ્વીપણું અને ડાયાબિટિસની મુખ્ય જટિલતાઓ કાર્ડિયોવાસ્ક્યુલર (હૃદયરોગનો હુમલો) અને સેરેબ્રોવાસ્ક્યુલર રોગ (સ્ટ્રોક) છે. હૃદયરોગનો હુમલો ડાયાબિટિસનાં દર્દીઓમાં મૃત્યુનું સૌથી મોટું કારણ છે. ડાયાબિટિસની અન્ય જટિલતાઓમાં કિડની ફેઇલ્યોર, રેટિનોપેથી (આંખનાં નેત્રપટલને થતું નુકસાન) અને ન્યૂરોપેથી (ચેતાતંતુઓને થતું નુકસાન) સામેલ છે. ભારતમાં પગ કાપવા માટે બીજું સૌથી સામાન્ય કારણ પણ ડાયાબિટિસ છે.

આ તમામ જટિલતાઓ માટે શ્નસારવાર કરતાં નિવારણ આશીર્વાદરૂપ છેઌ એ વિધાન સાચું ઠરે છે. નિવારણ માટે પ્રથમ અને સૌથી મહત્ત્વપૂર્ણ બાબત યોગ્ય ભોજન સાથે ગ્લાઇસેમિક નિયંત્રણ, જીવનશૈલીનાં ફેરફારો અને દવાઓ છે. અન્ય મહત્ત્વપૂર્ણ પગલાંઓમાં બ્લેડ પ્રેશર, કોલેસ્ટેરોલનું સારું નિયંત્રણ અને વજનમાં ઘટાડો સામેલ છે. આ તમામ જટિલતાઓ પ્રારંભિક તબક્કામાં કોઈ પણ શારીરિક ચિહ્નો સાથ સંકળાયેલી નથી.

માટે, ડૉક્ટરની સલાહ મુજબ નિયમિત સમયાંતરે ચકાસણી મહત્ત્વપૂર્ણ છે.

જો વ્યક્તિ ડાયાબેટિક મેદસ્વી હોય, તો તેમણે જીવનશૈલી સાથે સંબંધિત કેવા પગલાં લેવા જોઈએ?

ડાયાબેટિક મેદસ્વીપણા વાળા વ્યક્તિઓ માટે જીવનશૈલીનાં પગલાંમાં ખોરાક સંબંધિત પગલાં અને શારીરિક પ્રવૃત્તિ સામેલ છે. આ પગલાનો મુખ્ય લક્ષ્યાંક વજન ઘટાડવાનો છે. મેદસ્વી ડાયાબેટિક દર્દીઓને તેમનાં શરીરનું ઓછામાં ઓછું ૫ ટકા વજન ઘટાડવાની સલાહ આપવામાં આવે છે.ડાયાબેટિક દર્દીઓ માટે રિફાઇન કાર્બોહાઇડ્રેટને બદલે આખુ અનાજ લેવાની તથા શાકભાજી, ફળફળાદિ અને પાચક રેષા ધરાવતાં અન્ય ખાદ્ય પદાર્થોનું વધારે સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. ભોજનમાં સંતૃપ્ત ચરબીનું પ્રમાણ ઘટાડવું પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે. દિવસમાં બે વાર ભરપેટ ભોજન (લંચ અને ડિનર) લેવાને બદલે આખા દિવસની કેલેરીનાં દિવસના સેવનને ૪થી ૫ નાનાં-નાનાં ભોજનમાં વહેંચવું. એનાથી કોઈ પણ ભોજનમાં બ્લડ ગ્લુકોઝનાં સ્તરમાં એકાએક વધારો અટકશે તથા વધારે પડતાં ભૂખ્યાં રહેવાનું ટાળો એટલે વજનમાં વધારો નહીં થાય. મેદસ્વી ડાયાબેટિક દર્દીઓ માટે દર અઠવાડિયે ૧૫૦ મિનિટની મધ્યમ શારીરિક પ્રવ્રુત્તિની ભલામણ કરવામાં આવે છે (જેમ કે ઝડપથી ચાલવું, સાઇકલિંગ, હાઇકિંગ) અથવા ૭૫ મિનિટ કસરત (જેમ કે, જોગિંગ, સ્વિમિંગ, સ્કિપિંગ) કરો. ઉપરાંત ડાયાબેટીક દર્દીઓએ અઠવાડિયામાં ૨થી ૩ સેશનમાં વેઇટ લિફ્ટિંગ/મશીન એક્સરસાઇઝ કરવી જોઈએ. બ્લડ ગ્લુકોઝનાં લાભ માટે દરરોજ ૩૦ મિનિટ પછી બેઠકમાં વિક્ષેપ પાડવો જોઈએ.

શરીરનું વજન અને બ્લડ ગ્લુકોઝનાં સ્તર પર લાભ મેળવવા જીવનશૈલી સાથે સંબંધિત તમામ પરિવર્તનોનેને દર્દીએ સ્વીકારવા પડશે.

ડાયાબિટિક મેદસ્વીપણા વાળા વ્યક્તિઓ માટે જીવનશૈલીનાં પગલાંમાં ખોરાક સંબંધિત પગલાં અને શારીરિક પ્રવૃત્તિ સામેલ છે. આ પગલાનો મુખ્ય લક્ષ્યાંક વજન ઘટાડવાનો છે. મેદસ્વી ડાયાબિટિક દર્દીઓને તેમના શરીરનું ઓછામાં ઓછું ૫ ટકા વજન ઘટાડવાની સલાહ આપવામાં આવે છે.

સ્ત્રોત : ડો રમેશ ગોયલ, એન્ડોક્રાઈનોલૉજિસ્ટ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/5/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate