অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

હડકવા

પરિચય

હડકવા એક એવો જીવલેણ ચેપ છે કે જે મગજ અને જ્ઞાનતંતુઓને નિશાન બનાવે છે.આ રોગ પ્રાણીજન્ય છે.દા.ત. કુતરાની પ્રજાતિઓ દ્વારા તે મનુષ્યમાં ફેલાય છે.સામાન્ય રીતે ચેપગ્રસ્ત પ્રાણી કરડયા પછી તેનો ચેપ લાગે છે.મનુષ્યો માટે,હડકવા હંમેશા ઘાતક હોય છે તેથી વધુ જોખમી સંપર્કોની સારવાર (પીઈપી) કારગત થતી નથી.હડકવા વાઈરસ કેન્દ્રસ્થ ચેતાતંત્રને ચેપ લગાડે છે,અંતે તે મગજને અસર પહોચાડે છે અને પરિણામે મૃત્યું થાય છે.હડકવા વાઈરસ પરીધીય ચેતાઓ મારફતે પ્રવાસ કરીને મગજ સુધી પહોચે છે.આ બિમારીના સેવનનો સમયગાળો છે.દા.ત.હડકવાનો ડંખ લાગે/રોગના લક્ષણોની શરૂઆત વચ્ચેનો સમય,મનુષ્યને થોડાં દિવસો કે થોડાં મહિનાઓમાં ચેપના સંપર્કની ગંભીરતા પર આધાર રાખીને,વાઈરસ કેન્દ્રસ્થ ચેતાપ્રણાલી  અને અન્ય પરિબળો સુધી પહોંચવા માટે મુસાફરી કરશે.

લક્ષણો

હડકવા તે મજ્જાતંતુની રચનામાં એક રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુથી લાગતો ખુબ જ ગંભીર ચેપ છે. હડકવા સામાન્ય રીતે એક પ્રાણીના કરડવાથી ફેલાય છે અને માણસો જેમને હડકવાનો ચેપ લાગે છે, ઘણીવાર તેઓનો ઇતિહાસ, તેમના હડકવા લાગવાના લક્ષણો ચાલુ થાય તે પહેલા ૧ થી ૨ મહિના પહેલા કોઇ પ્રાણીએ કરડવાનો છે. હડકવા એક prodromal સમય (પૂર્વસુચક રોગની શરૂઆત થવા માટે સુચવતા લક્ષણો) છે, જે સામાન્ય રીતે ૧ થી ૪ દિવસ ચાલે છે. આ સમયગાળા દરમ્યાન prodromalના લક્ષણોનો સમાવેશ કરે છે: તાવ, માથાનો દુખાવો, બેચેની (સામાન્ય બીમારીની લાગણી), સ્નાયુઓમાં દુખાવો, ભુખ મરી જવી, ઉબકા, ઉલ્ટી, આળુ થયેલુ ગળુ, ઉધરસ અને થાક. પ્રાણીના ડંખના વિસ્તારમાં ગુદીગુદી અથવા ખંજોરની સંવેદના હોઇ શકે છે. આ એક હડકવાના ચેપના આ તબક્કે હડકવાના ચોક્કસ લક્ષણો છે. આ prodromalના સમય પછી, બીજો તબક્કો લક્ષણોની સાથે શરૂ થાય છે, જે મગજના સોજા જેવુ દેખાય છે (મગજની બળતરા) ત્યાં ૧૦૫ ડીગ્રી (૪૦.૬ ડીગ્રી સેન્સીયસ) જેટલો ઉંચો તાવ હશે, કોઇ પણ નીચે બતાવેલ ચિન્હોની સાથે - ચીડચીડીયાપણુ, અતિશય હલનચલન અથવા આંદોલન, મૂંઝવણ, આભાસ, આક્રમક વૃતિ, ઉટપટાંગ અથવા અસામાન્ય વિચારો, સ્નાયુઓમાં આકડી, અસામાન્ય મુદ્રાઓ, આચકીનો હુમલો, આંકડી, નબળાઈ અથવા પક્ષઘાત (વ્યક્તિ શરીરનો કોઇ ભાગ હલાવી ન શકે), તેજસ્વી પ્રકાશ સામે સંવેદિતા, અવાજ અથવા સ્પર્શ, લાળ અથવા આંસુઓનુ વધારે ઉત્પાદન, ઉપરાંતમાં બોલવામાં તકલીફ vocal cordને પક્ષઘાતને લીધે.

હડકવાના છેલ્લા તબક્કામાં લક્ષણો પેદા કરે છે, જે ચેપનો વિનાશ કરવામાં મહત્વની મજ્જાતંતુની રચનાના ઘણા વિસ્તારોના પ્રતિબિંબ બતાવે છે. ત્યા કદાચ બમણી દૃષ્ટી હશે,ચેહરાના સ્નાયુઓના હલનચલનની સમસ્યાઓ, પડદાનુ અસામાન્ય હલનચલન અને સ્નાયુઓ જે શ્વાસને નિયંત્રિત કરે છે, અને ગળવામાં મુશ્કેલી. તે ગળવામાં તકલીફ થાય છે - લાળના વધારે ઉત્પાદનની સાથે જોડાઈને, જે "મોઢામાં ફીણ આવવા" જે સામાન્ય રીતે હડકવાના ચેપને સબંધિત હોય છે. છેવટે એક વ્યક્તિ હડકવાના ચેપની સાથે બેભાન અવસ્થામાં જાય છે અને તેનો શ્વાસ બંધ પડી જાય છે. જીવનના આધારની માત્રા વીના, મૃત્યુ સામાન્ય રીતે ૪ થી ૨૦ દિવસમાં હડકવાના લક્ષણો પછી શરૂ થાય છે.

પ્રથમ ચેપ કે ફ્લુ જેવાં લક્ષણો સામાન્ય રીતે ૨ થી ૧૨ સપ્તાહો વચ્ચેના સમય દરમ્યાન હોય છે શરૂઆતમાં આ લક્ષણો સામાન્ય રીતે એક અથવા તેથી વધુનો સમાવેશ પામે છે તે નીચે પ્રમાણે છે :

  • ચિંતા
  • ઊંઘ ન આવવી
  • મુંઝવણો થવી
  • આક્રમકતા આવવી
  • તાવ આવવો
  • માથાનો દુઃખાવો
  • ઉલટી અને ઉબકાં થવાં

ત્યારબાદ તરત જ આનું અનુસરણ થશે.

  • પીવાના પાણીની અક્ષમતા/હવાના પ્રવાહોનો ભય (એરોફોબિયા)
  • પ્રકાશનો ભાવ (ફોટોફોબિયા)
  • અસામાન્ય વર્તન
  • ચિત્તભ્રમની આભાસીઓમાં પ્રગતિ થવી
  • કેટલીક વાર,હિંસક વર્તન
  • નાજુક અથવા આંશિક પક્ષાઘાત
  • હદયની મુખ્ય શ્વાસનળીઓ ખરાબ થવાથી અને મૃત્યું થવું

કારણો

હડકવા વાઈરસ એ લેસ્સાવાઈરસ જુથનો એક સમૂહ કહેવાય છે,જે સસ્તન કરી શકે અને અનુસરે છે.હડકાયા પ્રાણીની લાળમાં વાઈરસ હાજર હોય છે.

હડકવાના ઈંડાનુ સેવન: હડકવાના ઈંડાનુ સેવન કરવાનો સમય ૧૦ દિવસથી ૧ વર્ષ હોય છે, પરંતુ તે સામાન્ય રીતે ૧ થી ૨ મહીના હોય છે.

સમયગાળો.: હડકવાના લક્ષણો શરૂ થયા પછી, જીવિત રહેવાની તક ઓછી હોય છે. જીવન આધાર સિવાય મૃત્યુ ૪ થી ૨૦ દિવસની અંદર આવી શકે છે.

વાદેલાપણુ. (Contagiousness) : હડકવા એક ચેપી રોગ છે, જે રોગ પેદા કરનાર અતિસુક્ષ્મ જંતુને લીધે થાય છે. તે ચેપ લાગેલા પ્રાણીઓની લાળમાંથી ફેલાય છે અને સાધારણ રીતે એક પ્રાણીના ડંખ અથવા ઉઝરડાને લીધે માણસ દ્વારા ફેલાય છે. ભાગ્યે જ માણસોને હડકવા થઈ શકે છે, જ્યારે તેમના કફની અંતરછાલ (ભેજવાળી ચામડીની સપાટી જેવી કે પેઢા અથવા આંખોના અંદરના પોપચા) અથવા તુટેલી ચામડીનો ભાગ (કાપ અથવા ઉઝરડા) ચેપ લાગેલ પ્રાણી પાસેથી લાળને અડે છે.

નિદાન

હડકવાનું વધુ નિદાનની ખાતરી કરવા માટે વધુ પરીક્ષણોનો સમાવેશ થાય છે:

  • ત્વચા બાયોપ્સી : ચામડીના નાના નમુના લઈને હડકવા વાઈરસની હાજરી માટે તપાસ કરવામાં આવે છે.
  • લાળ પરીક્ષણ : લાળનો એક નમુનો લઈને તેમાં હડકવાના વાઈરસની હાજરી તપાસવામાં આવે છે.
  • કટી પંચર : એક નાના નમુનાને દુર કરવા માટે મગજની તંત્રિકાઓમાં પ્રવાહીને સોઈથી દુર કરવામાં આવે,જેને હડકવાના ચેપી જંતુઓની તપાસ કરી શકાય.(સીએસએફ એ એવું પ્રવાહી છે જે તમારાં મગજ અને કરોડરજ્જુની આસપાસ હોય છે.
  • લોહી પરીક્ષણો : હડકવાના ચેપી જંતુઓની ચકાસણી માટે લોહીના પરીક્ષણો કરવામાં આવે છે.

વ્યવસ્થાપન

દર્દીને દેખાતા કોઈ પણ ચિન્હો અને લક્ષણો સારવાર ઉપર આધાર રાખે છે એવું નથી. અત્યારે જીવનસંરક્ષક સુવિધાઓ અને અન્ય જીવન ઉપયોગી પહલુઓના સહારે ઘણી બધી સહાયક સેવાઓનો સમાવેશ થાય છે.

નિવારણ

હડકવાનો ઘરગુથી ઇલાજ: જો તમારા બાળકને કોઇ પ્રાણીએ ડંખ માર્યો હોય તો ૧૦ મિનિટ સુધી ડંખ માર્યો હોય તે જગ્યાને ધોવો અને એક સ્વચ્છ પાટો ડંખ માર્યો હોય તેના ઉપર ઢાકી દયો. તમારા ડોકટરને અથવા નજીકની ઇસ્પિતાલના કટોકટીના ઓરડામાંથી કોઇને બોલાવો અને તેમની સલાહ માંગો. સ્થાનિક પ્રાણી નિયંત્રણ સત્તાવાળાઓને બોલાવો, તેમની મદદ લઈને તે પ્રાણીને શોધો જેણે ડંખ માર્યો છે. આ પ્રાણીને કદાચ તમારે પક્ડીને રાખવુ પડશે અને તેનામાં હડકવાના લક્ષણો જુઓ. જો તમારા બાળકને તાજેતરમાં ડંખ માર્યો હોય અને તેનામાં હડકવાના લક્ષણો દેખાય તો તેણીને તરત જ ડોકટરને બતાવો. કોઇને પણ હડકવાનો ચેપ લાગે તો તેની ઇસ્પિતાલમાં સારવાર કરાવવી જોઇએ.

હડકવા માટે વ્યવસાયિક સારવાર: જો તમારા બાળકને કોઇ પ્રાણીએ ડંખ માર્યો હોય તો તેણીનો ડોકટર આ જખમને સંપૂર્ણ રીતે સાફ કરશે અને તપાસ કરશે કે તેને ધનુર્વાનુ રસ્સીકરણ તાજેતરની તારીખમાં કર્યુ છે કે નહી. તમારા બાળકને ધનુર્વાના બુસ્ટરની જરૂર પડશે. તમારા બાળકને ડોકટર એવી સારવાર આપવાનુ નક્કી કરશે જે હડકવા રોકી શકે. આ નિર્ણય સામાન્ય રીતે (ઉશ્કેરવામાં અથવા નહી ઉશ્કેરવામાં) ડંખ, પ્રાણીનો પ્રકાર (જાતો, જંગલી અથવા ઘરગુથુ), પ્રાણીનો આરોગ્યનો ઇતિહાસ (રસ્સીકરણ અથવા નહી) અને સ્થાનિક આરોગ્યના સત્તાવાળાઓની ભલામણના સંજોગો ઉપર આધારિત છે. હડકવાને રોકવુ એ હવે લાંબા સમય માટે પેટમાં ઈંજેક્શન મારવા જેવુ રહ્યુ નથી. જો તમારા બાળકનો ડોકટર હડકવા વિરોધી રોગના ચેપથી મુક્ત થવા માટેની દવા શરૂ કરવાનુ નક્કી કરે તો માણસના સ્નાયુઓમાં diploid દ્વિગુણિત કોષોની રસ્સી અને માણસને હડકવાનો રોગના ચેપથી મુક્ત થવાના globulin ના ઇંજેકશનનો સમાવેશ હશે. હડકવાનો ભાગો માણસના immunoglobulin સામાન્ય રીતે બટકુ ભરેલા ભાગમાં ઈંજેક્ટ કરવામાં આવે છે. વ્યક્તિઓ જેમને પહેલાથી હડકવા લાગવાના ચેપના લક્ષણો અને ચિન્હો દેખાતા હોય તો તેમણે જલ્દીથી ઇસ્પિતાલમાં સારવાર લેવાની જરૂર છે. ત્યા કેટલાક પરીક્ષણો છે જે હડકવાના ચેપ માટે તપાસ કરશે. જો તેમને હડકવા થયો હશે તો તેમને જીવવા માટે વિશિષ્ટ સાધન જીવન આધારની મદદની જરૂર પડશે.

તમારા બાળકના ડોકટરને ક્યારે બોલાવવા: જો તમારૂ બાળક હડકવાના લક્ષણો અને ચિન્હો બતાવે અને ખાસ કરીને તમારા બાળકને તાજેતરમાં પ્રાણીએ બટકુ ભર્યુ હોય તો તમારા બાળકના ડોકટરને તરત જ બોલાવો. જ્યારે જ્યારે તમારા બાળકને એક પ્રાણીએ બટકુ ભર્યુ હોય તો તમારા બાળકના ડોકટરને બોલાવો. જો તમારૂ બાળક એક પ્રાણી જેને હડકવા થયો છે તેના સંપર્કમાં આવે, પણ તમારૂ બાળક બહુ નાનુ છે કે તે વર્ણન કરી શકતુ નથી કે તે કેટલા પ્રમાણમાં પ્રાણીના સંપર્કમાં આવ્યુ છે તો તમારા ડોકટરની સલાહ માંગો. વધારામાં જો તમારા બાળકને ચામાચિડીયુ ન કરડ્યુ હોય અને ફક્ત તેના સંપર્કમાં આવ્યુ હોય તો તમારા બાળકના ડોકટરને બોલાવો. આ ચેપને રોકવા માટે તમારા બાળકે હડકવાની સારવાર લેવી જોઇએ. તમે તમારા બાળકના ડોકટરને બોલાવશો જો તમે પરદેશ જવાની યોજના બનાવતા હોય અને કદાચ પ્રાણીઓના સંપર્કમાં આવવાના હોય, ખાસ કરીને જેમને હડકવાનો ચેપ લાગ્યો હોય અને એવા વિસ્તારમાં મુસાફરી કરતા હોય જ્યા આરોગ્યની સંભાળ ન પહોચી શકતી હોય.

હડકવા, રસ્સીના ઇંજેકશન આપીને રોકી શકાય, જેવા કે Rab Avert. માણસોમાં આ રસ્સી એવા લોકોને આપવામાં આવે છે, જેઓની નોકરી અથવા જીવનશૈલી જે હડકવા માટેનુ જોખમ બની શકે, જેવી કે પશુ ચિકિત્સક, પ્રાણીઓનો સંભાળનારા, ગુફા સંશોધકો અને કેટલાક પ્રયોગશાળાના કામગારો મળીને. તમે ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાં જેવા કે એસિયા, ભારતિય ઉપખંડ અથવા આફ્રિકા જેવા હડકવા લાગે તેવા વિસ્તારોમાં જતા પહેલા તમારા કુંટુંબના ડોકટરને રસ્સીકરણ મેળવવા વિષે મળવુ જોઇએ. એક વાર ચેપગ્રસ્ત પ્રાણી તમને બટકુ ભરે, હડકવા ઘણા ઇંજેક્શન આપીને રોકી શકાય છે, જેવા કે માનવી દ્વિગુણિત કોષની રસ્સી અને માનવીના હડકવાને પ્રતિકારક globulin. બધા પ્રાણીઓએ બટકુ ભરવાથી હડકવા થવાનુ જોખમ નથી થતુ અને રોગ પ્રતિકારક દવા (રોગ અટકાવવા) માટે ઇંજેકશન સાધારણપણે એક ડોકટર જે સ્થાનિક આરોગ્યના સત્તાવાળાઓની માર્ગદર્શિકા નીચે કામ કરે છે, તેની પાસેથી લેવુ કે નહી તેનો નિર્ણય કરવો. કારણકે બીલાડી, કુતરા અને ઉત્તર ધ્રુવ પ્રદેશની બીલાડીઓએ પણ કરડવાથી ચેપ લાગે છે. એક સૌથી મહત્વનો રસ્તો માનવીને હડકવાથી રોકવા એ છે કે ઘરમાં પાળેલા પ્રાણીને રસ્સીકરણ કરાવવુ. તે પણ ડાહપણભર્યુ છે કે તમે ભટકતા પ્રાણીઓ વિશે તમારા સ્થાનિક આરોગ્ય સત્તાવાળાઓ અથવા પ્રાણી નિયંત્રણ અધિકારીને જણાવો. ઉપરાંતમાં તમારા બાળકોને યાદ દેવડાવો કે પ્રાણીઓ પણ "અજાણ્યા" હોઇ શકે છે અને તેમને કોઇ વાર સ્પર્શ નહી કરવો અથવા ખવડાવવુ નહી, ભટકતી બીલાડીઓ અથવા કુતરાને જેઓ પડોશમાં અથવા બીજી જગ્યાએથી આવેલ હોય. જો તમને એમ લાગે કે તમારૂ બાળક કોઇ અજાણી બીલાડી, કુતરા, ચામાચિડિયા અથવા બીજા પ્રાણીના સંપર્કમાં આવ્યુ હોય તો તરત જ તમારા બાળકના ડોકટરનો સંપર્ક કરો.

રસીકરણ પૂર્વેનો સંપર્ક/ઉપચાર :જે લોકોને હડકવા સંબંધી જોકમ રહે છે તેવાં લોકો માટે હડકવાની રસી આપવી અનિવાર્ય છે.હડકવાની ઉપલબ્ધ થતી રસીઓ નીચે પ્રમાણે છે : મનુષ્ય દ્વિગુણિત સેલ રસી (HDCV) શુદ્ધ વેરોસેલ હડકવા રસી (PVRV).આ રસીઓ કાં તો સ્નાયુંઓમાં અથવા અંત:પેશીઓમાં આપવામાં આવે છે.રાષ્ટ્રીય સ્વાસ્થ્ય અધિકારીઓની મંજુરી મેળવીને પછી અંત:પેશીઓના માર્ગમાં આપવામાં આવશે.

હડકવાની રસી માટેનું પ્રારૂપ નીચે પ્રમાણે છે :

  • પ્રથમ માત્રા કોઈ પણ દિવસે આપવામાં આવે છે (દિવસના શૂન્ય ગણીને)
  • બીજો ડોઝ સાત દિવસ પછી આપવો જોઈએ
  • પ્રથમ ડોઝ પછી ૨૧ થી ૨૮ દિવસ બાદ ત્રીજો ડોઝ આપવો જોઈએ.
  • દર બે વર્ષે રસીના બુસ્ટર ડોઝ આપવાની ભલામણ કરે અથવા આ સમયગાળા દરમ્યાન એવી વ્યક્તિઓમાં સુરક્ષાત્મક એન્ટી બોડીનું સ્તર જાળવતાં હોય એવી વ્યક્તિઓ કે જેઓ હડકવાનું જોખમ કે ચેપી રોગોના સલાહકાર તરીકે નિષ્ણાંત હોય તેની સલાહ પર આધાર રાખે છે.

રસી આપ્યાં પછી (PEP): રોગપ્રતિકારકતા અથવા સેરો-રસી થેરાપી સંપર્ક પછી રોગ નિવારણની વહેલી સફળતા મેળવવાં પ્રશાસિત થવાની વહેલી તકે શક્યતા રહે છે તેમાં સમાવિષ્ટ છે :

  • કપાયેલાં અંગ પર સંપૂર્ણ સફાઈ કરવા માટે પાણી અને સાબુ અથવા ડીટરર્જંટ અને જંતુનાશકો જેવાં કે પોવીડન  આયોડીન કે અન્યનો  ઉપયોગ કરી શકાય.
  • વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુંએચઓ) ના જણાવ્યાં અનુસાર ઈમ્યુનોગ્લોબુલિન કરાવતી હડકવા,હડકવાના સંપર્કમાં આવતાં ઘણાં બધાં પ્રકારો છે.દા.ત. કેટેગરી III.હડકવા વિરોધી એન્ટી બાયોટીકની એક ખાસ તૈયારી રૂપે વાગેલા ઘા ની આસપાસ જંતુનાશકો સંરચનાત્મક રૂપથી એકઠાં થવાનો સંભવ છે.
  • હડકવાની આધુનિક રસીનો સંચાલિત ઉપયોગ  “એસેન” દ્વારા પાંચ ઈન્જેકશનના સ્નાયુંઓમાં (માંસપેશીઓમાં) ૦ દિવસ દરમ્યાન આપવામાં આવે,(પહેલાં ઈન્જેકશનના દિવસે અને કરડયાના દિવસે આપી શકાય નહીં).૩,૭,૧૪,અને ૨૮ કે ચામડીના (ચામડીની અંદર) માર્ગો પર,૦ દિવસના સમયગાળા (સંપર્ક/કરડયાના ૦ દિવસ દરમ્યાન ઈન્જેકશન આપવું નહીં),૩,૭,અને ૨૮ દિવસમાં ફક્ત રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સત્તાધારીઓ દ્વારા મંજુર કરાયેલી હડકવા રસીને ચામડીના માર્ગ વડે ઉપયોગ કરી શકાય છે.

આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે હડકવા રસીકરણ : સામાન્ય રીતે દરેક પાળતું પ્રાણીઓ અને જંગલી પ્રાણીઓને સ્પર્શ કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે.દેશમાં પાળતું પ્રાણીઓ કરડવાથી તેમને હડકવાથી તેમને હડકવાની રસી આપી શકાશે નહીં.આ ઉપરાંત રખડતાં કુતરાઓ કે અન્ય પ્રાણીઓ હડકવાનો ચેપ ફેલાવવાનો સ્ત્રોત છે.આ વિસ્તારોમાં જૈવતાર્કિક રીતે જીવન બચાવવાં માટે હડકવાની રસી અને તેની ઉપલબ્ધતા ગંભીર ચિંતાનો વિષય છે.તેથી,ઘણાં બધાં હડકવા મુક્ત દેશોને પોતાના નાગરિકોને રસીકરણના જોખમથી બચવા માટે હડકવાગ્રસ્ત દેશોની મુલાકાત કરવાની ભલામણ કરી છે.

સ્ત્રોત  : રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રવેશદ્વાર

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/2/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate