વનબંધુ કલ્યાણ યોજના (મુખ્યમંત્રીના દસ મુદ્દાનો કાર્યક્રમ) નો મુખ્ય ધ્યેય આદિજાતિના લોકોનો સંકલિત વિકાસ થાય તે હેતુસર સંકલિત આદિજાતિ વિકાસ પ્રાયોજના વિસ્તારમાં સામાજીક અને નાગરિક માળખાગતની સાથોસાથ ઉચ્ચ ગુણવતા યુક્ત રોજગારીનુ નિર્માણ કરવાની તકો ઉભી કરવી તેમજ સહભાગીદારી દ્રારા આદિજાતિ વિસ્તારમાં આદિજાતિ લોકોની આવક બમણી કરવી. ગુણવત્તાયુક્ત આરોગ્ય, સૌના માટે ઘર અને વિજળીકરણ, શુદ્ધ પીવાનું પાણી સુનિચ્ચિત કરવું, સિંચાઇ અને બારમાસી રસ્તાઓ અને શહેરી વિકાસ સગવડતા પુરી પાડવી.
વનબંધુ કલ્યાણ યોજનના અસરકારક અમલીકરણ માટે તેમજ તેના ઉદેશ પરિપુર્ણ કરવા માટે ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાતની રચના આદિજાતિ વિકાસ વિભાગના વહિવટી નિંયત્રણ હેઠળ કરવામાં આવેલ છે.
સામાજિક માળખાઓના વિકાસ માટે વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમનુ અમલીકરણ કરી, માનવ વિકાસ સૂચકઆંકમાં વધારો કરવો .
વનબંધુ કલ્યાણ યોજનાના દસ મુદ્દા પૈકી અને આ યોજનાના વિઝનને અનુરૂપ અને સોસાયટીના ઉદેશને સુસંગત વિઝન અને મિશન સ્પષ્ટ છે જે નીચે પ્રમાણે છે :
રોજગારલક્ષી કાર્યક્રમ શરૂ કરવો.
આદિજાતિ લોકોના વિકાસ માટે અને આદિજાતિ વિસ્તાર પેટા યોજનાની અમલવારી માટે ડી-સેગને ભારત સરકાર તરફથી તથા ગુજરાત સરકાર તરફથી બજેટ જોગવાઇ કરવામાં આવી હોય તે માટે ગ્રાન્ટ સ્ત્રોતમાંથી ગ્રાન્ટ સુનિશ્ચિત ધોરણે ફાળવવામાં આવે છે.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020