ઉદ્દેશ : એસ.એસ.સી. પછીનો આગળનો અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને આર્થિક સહયોગ ઉપલબ્ધ કરવો
પ્રારંભ: ૧૯૮૯
ભાગીદાર: કોઈ નહિ
ભૌગોલિક ભૂમિભાગ : તમામ જિલ્લાઓ
અપેક્ષિત લાભાર્થીઓ :એસએસસી પછી આગળ અભ્યાસ કરવા ઈચ્છતા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ
પાત્રતાના માપદંડ: અનુસૂચિત જનજાતિના પરિવારની વાર્ષિક આવક રૂપિયા ૨,૫૦,૦૦૦ સુધીની હોવી જોઈએ.
યોજના નીચે થતા લાભ : વિદ્યાર્થીઓને તેઓ જે અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા હશે તે અનુસાર લાગુ પડતી રકમની શિષ્યવૃતિ તેમને મળશે.
મુખ્ય સિદ્ધિઓ : આ યોજનાનો લાભ ૧૦.૪૯ લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓને પ્રાપ્ત થયો છે.
સ્ત્રોત : આદિજાતિ વિકાસ વિભાગ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020