অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વધારાની જોગવાઈઓ

વધારાની જોગવાઈઓ

બંધારણની કલમ ૩૩૯(૧) નીચે રાષ્ટ્રપતિ કોઈપણ સમયે, રાજ્યોમાં અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ અંગે કરવા માટે, કમિશન નીમી શકે, પરંતુ બંધારણ અમલમાં આવ્યાની તારીખથી દસ વરસની અંદર આવું કમિશન નીમવું જ જોઈએ. આ રીતે કમિશન નીમવા અંગેની રાષ્ટ્રપતિના હુકમમાં તે કમિશનની રચના, સત્તા અને કાર્યપધ્ધતિ વ્યાખ્યાયિત કરશે, અને તેમાં અન્ય આનુસંગિક કે આકસ્મિક જોગવાઈઓ હશે. અનુસૂચિત જાતિઓમાં આવી કોઈ જોગવાઈ બંધારણમાં કરવામાં આવી નથી.

બંધારણની કલમ ૩૩૯(૨) કેન્દ્ર સરકારને રાજ્યમાં અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટે આવશ્યક હોય તેવી યોજનાઓ ઘડી શકાય અને તેને અમલ કરવા માટે રાજ્યોને સૂચના જારી કરવાની સત્તા આપે છે. કલમ ૩૩૯(૨) કલમ ૨૭૫(૧) એ એકબીજાની પૂરક છે. જેમાં, અન્ય બાબતોની સાથે સાથે, રાજ્યો પોતાનાં માટે કેન્દ્ર સરકારની મંજૂરીથી જે યોજનાઓ ઘડી કાઢે તેવી યોજનાઓનું ખર્ચ પૂરું કરવા માટે ભારતના એકત્રિત ભંડોળમાંથી રાજ્યોને સહાયક ગ્રાન્ટ આપવાનું સૂચવાયું છે. આમ બંધારણની કલમ ૨૭૫(૧) કલમ ૩૩૯ માટે તેના અસ્તિત્વનું મૂળ કારણ પૂરું પાડે છે. કેન્દ્ર સરકારને આવી યોજનાઓ સંબંધિત સૂચનાઓ આપવાની સત્તા આપવામાં આવી છે. કારણ કે તે યોજનાઓનું ખર્ચ કેન્દ્ર સરકાર ચૂકવે છે.

સ્ત્રોત: આદિજાતિ વિકાસ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate