આ બાળકોને ભણાવવામાં રાણા એટલા તો રચ્યા પચ્યા રહેવા લાગ્યા કે તેમણે લગ્ન ન કર્યાં. નિવૃત્ત થયા બાદ તેઓ પોતાનાં ઘરે બાળકોને ભણાવવા લાગ્યા. હવે રાણાના ક્લાસમાં 60 બાળકો આવે છે અને તેઓ પોતાના પેન્શનનો મોટાભાગનો હિસ્સો બાળકોનાં ભણતર પાછળ ખર્ચ કરી દે છે. રાણાને કુલ રૂ. 15 હજારનું પેન્શન મળે છે જેમાંથી તેઓ પોતાના ખાવાપીવાના અને જીવન જીવવાના પૈસાને બાદ કરતાં તમામ રકમ બાળકો પાછળ ખર્ચી નાખે છે. વર્ષ 1994માં જ્યારે ગામમાં શાળા બનાવવા માટે પૈસા ખૂટ્યા તો રાણાએ પોતાનાં બોનસની આખી રકમ દાન પેટે આપી દીધી હતી.
62 વર્ષના રાણા ઘરનું તમામ કામ જાતે કરે છે. તેમની પાસે એક જૂની સાઈકલ છે તે લઈને તેઓ દર રવિવારે 15 કિમી દૂર બાલોદ જઈને પોતાની રોજિંદી જરૂરીયાતનો સામાન લાવે છે. તેઓ રોજ સવારે ત્રણ વાગે ઉઠીને યોગ કરે છે. તેમજ ઘરમાં કચરો વાળવાથી માંડીને જમવાનું બનાવવા સુધીનાં તમામ કામો જાતે કરે છે. તેમનાં ઘરમાં સામાનનાં નામે અંગ્રેજી અને ગણિતનાં પુસ્તકો જ જોવા મળે છે. રાણાએ બાજુના ગામનો એક છોકરો દત્તક પણ લીધો હતો કે જે આજે ભારતીય લશ્કરમાં પોતાની સેવા આપી રહ્યો છે.
ગામની શાળાના શિક્ષક સીતારામ સાહૂ જણાવે છે કે રાણાના ક્લાસમાં જે પણ વિદ્યાર્થી સતત જાય છે તેને ગણિત અને અંગ્રેજીમાં સારા ગુણ આવે જ છે.
ગામના રહેવાસીઓનું કહેવું છે કે રાણા ગામના વિકાસ માટે ભણાવવાથી માંડીને આર્થિક મદદ કરવા માટે તૈયાર હોય છે.
ફૈઝચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સુફી સંત ફૈઝ એકેડમી સ્કૂલ કલ્લા દ્વારા ગતરોજ કરજણ તાલુકાના કલ્લા ગામે શાળાના પ્રાંગણમાં સંસ્થાના આદ્ય સ્થાપક સૈયદ મુસ્તાક અલી બાવાની અધ્યક્ષતા હેઠળ અને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી સૈયદ વાહીદ અલી બાવાના સાનિધ્યમાં એક શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતુ.કાર્યક્રમમાં અમેરિકા સ્થિત એ.એફ.એમ.આઇ. (અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લીમ્સ ઓફ ઇન્ડિયન ઓરિજીન) સંસ્થાના ટ્રસ્ટી ડૉ. એ.એસ.નાકાદાર તથા તેઓના નિકટના સાથી અને એ.એફ.એમ.આઇ. સંસ્થાના સદસ્ય મોહંમદ શફી લોખંડવાલા અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે ડૉ.એ.એસ.નાકાદારે ઉપસ્થિત લોકોને સંબોધનમાં વર્તમાન યુગમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા પર ખાસ ભાર મૂકી વધુમાં વધુ બાળકો શિક્ષણ પ્રાપ્ત કરી સમાજ અને દેશને ઉપયોગી બને માટે ખાસ આહવાન કરવામાં આવ્યું હતું.વિશેષ કરીને ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ પ્રતિ લોકોને જાગૃત કરવા માટે હાકલ કરવામાં આવી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે સંત ફૈઝ એકેડેમી શાળાના આચાર્ય તથા શિક્ષકગણે પ્રશંસનીય કામગીરી બજાવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવી જરૂરી
કરજણના કલ્લા ગામે આયોજિત શૈક્ષણિક સેમિનારમાં એએફએમઆઇના ટ્રસ્ટી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
લેખક- રવિ વમાઁ
અનુવાદક: મનીષા જોષી