অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

આજીવન કારાવાસનો મતલબ ૧૪ વર્ષની જેલ નહીં

આજીવન કારાવાસનો મતલબ ૧૪ વર્ષની જેલ નહીં

સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે આજીવન કારાવાસની સજા પામેલ આરોપી ૧૪ વર્ષ જેલમાં ગાળ્યા બાદ છુટકારા માટે ક્યારેય દાવો કરી શકે નહીં, કેમ કે આજીવન કારાવાસનો મતલબ ૧૪ વર્ષની જેલ નથી. ન્યાયાધીશ પી. સદાશિવમ અને જે. એસ. ખેહરની ખંડપીઠે જણાવ્યું કે આજીવન કારાવાસનો મતલબ છે આખી જિંદગી જેલમાં ગાળવી. ફક્ત રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ જ સજા ઓછી કરી શકે છે અને આરોપીની મુક્તિનો આદેશ આપી શકે છે, તેમણે એમ પણ જણાવ્યું કે આવી પરિસ્થિતિમાં સરકારે ગુનાની ગંભીરતા પર ધ્યાન આપવું જોઈએ. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે તેમણે ઘણા કિસ્સામાં કહ્યું છે કે આજીવન કારાવાસ એટલે આખું જીવન જેલમાં ગાળવું, જોકે સંવિધાનના અનુચ્છેદ ૭૨ અને ૧૬૧ મુજબ આ સજાને ઓછી કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. સુપ્રીમ કોર્ટે આ ખુલાસો ફાંસીની સજા પામેલા એક આરોપીની દલીલ પર કર્યો હતો. આ આરોપીની સજાને ગુવાહાટી હાઈકોર્ટે આજીવન કારાવાસમાં ફેરવી હતી. આ આરોપીએ ૧૪ વર્ષ જેલમાં ગાળી લીધાં હતાં તેથી તેણે તેને મુક્ત કરવામાં આવે તેવી માગણી કરી હતી. આ આરોપીએ વર્ષ ૨૦૦૦માં એક ૨૨ વર્ષીય યુવતી પર બળાત્કાર કર્યો હતો અને તેની હત્યા કરી હતી. આરેપીના વકીલે દલીલ કરતાં કહ્યું કે આજીવન કારાવાસની સજા પામેલી વ્યક્તિ માટે ૧૪ વર્ષની જેલની સજા પર્યાપ્ત માનવી જોઈએ. તેની આ દલીલને નામંજૂર કરતાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સજા ઓછી કરવાનો નિર્ણય ફક્ત સરકાર જ લઈ શકે છે.

 

બોલીવુડની ફિલ્મોમાં દેખાડે છે કે ખૂનના આરોપમાં ઉમ્રકેદ મળી અને 14 વર્ષ બાદ છોડી દેવામાં આવ્યા. તમે પણ વિચારતા હશો કે કહેવા પર ઉમ્ર કેદ મળી, એટલે કે મૃત્યુ થવા સુધી જેલ, પરંતુ અપરાધી માત્ર 14 વર્ષમાં જેલમાંથી બહાર કેવી રીતે આવી ગયો.
જાણો એ પાછળનું કારણ અને સત્ય કે ઉમ્રકેદ કેટલા વર્ષની હોય છે. આ બાબતે સુપ્રીમ કોર્ટના એક વકીલે જણાવ્યું છે કે હકીકતમાં સંવિધાનમાં ક્યાંય લખ્યું નથી કે ઉમ્રકેદ 14 વર્ષની હશે. દેશની દરેક કોર્ટ આરોપ સાબિત થયા બાદ એ નક્કી કરે છે કે અપરાધીને ઉમ્રકેદ મળે કે બીજી કોઇ સજા.
વર્ષ 2012માં સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયથી એવું સ્પષ્ટ કરી દીધું છે કે આજીવન કેદનો અર્થ જીવનભર માટે જેલ છે એનાથી વધારે કઇ નહીં.
આ છે સાચું કારણ
કોર્ટનું કામ સજા સંભળાવવાનું છે અને એને લાગૂ કરવાનું કામ રાજ્યસરકારના હાથમાં છે, સુપ્રીમ કોર્ટ રહે છે કે આ રાજ્યસરકારના અધિકારીમાં આવે છે કે એ ઉમ્રકેદના આરોપીને 14 વર્ષમાં છોડી દે, 20 વર્ષ સુધી જેલમાં રાખે અથવા મરી જાય ત્યાં સુધી જેલમાં રાખે.
સંવિધાનમાં સીઆરપીસીની ધારા 433 એ હેઠળ રાજ્ય સરકારને આ અધિકાર મળ્યો છે કે એ કેદીઓની સજા ઓછી કરી શકે છે અથવા લંબાવી શકે છે. કારણ કે કેદી રાજ્યસરકારની દેખરેખમાં હોય છે એટલા માટે સરકાર પર આ જવાબદારી છે કે કેવી પરિસ્થિતિઓમાં કેદીને કેટલા વર્ષમાં છોડી દેવામાં આવે.
સૌથી મોટી વાત ઉમ્રકેદ 15 વર્ષ, 30 વર્ષ અથવા હંમેશા માટે હોઇ શકે છે પરંતુ 14 વર્ષથી ઓછી હોતી નથી. એટલું સંવિધાન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર એ સુનિશ્વિત કરે કે ઉમ્રકેદ થનાર અપરાધી 14 વર્ષ પહેલા છૂટે નહીં. 14 વર્ષ બાદ સરકાર એનો વ્યવહાર, બીમારી, પારિવારીક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ગમે ત્યારે છોડી શકે છે.
પરંતુ એનો એવો અર્થ નથી કે દરેક બાબતોમાં આજીવન કારાવાસ 14 વર્ષ માટે હોય છે. જો અપરાધીને જેલની બહાર નિકળવાની આશા ના હોય તો એ પરિવાર, સમાજ અને સરકાર બધા પર બોજ બની જાય છે. આજીવન કારવાસને મોત સુધી જેલમાં રાખવાના વિરોધીઓનું એવું કહેવું છે કે એની જગ્યાએ મોતની સજા સૌથી વધારે સારી છે.
કેટલીક વખત જેલમાં વધારે પડતાં કેદીઓના કારણે અથવા કોઇ તહેવાર પર સજા માફીના કારણે ઉમ્રકેદના અપરાધી છૂટી જાય છે. થોડાક સમય પહેલા સુપ્રીમ કોર્ટ ખાસ તહેવાર પર મોટી સંખ્યામાં છોડવા પર પ્રતિબંધ લગાવી ચૂક્યું છે.
બોલીવુડની ફિલ્મોમાં દેખાડે છે કે ખૂનના આરોપમાં ઉમ્રકેદ મળી અને 14 વર્ષ બાદ છોડી દેવામાં આવ્યા. તમે પણ વિચારતા હશો કે કહેવા પર ઉમ્ર કેદ મળી, એટલે કે મૃત્યુ થવા સુધી જેલ, પરંતુ અપરાધી માત્ર 14 વર્ષમાં જેલમાંથી બહાર કેવી રીતે આવી ગયો.
જાણો એ પાછળનું કારણ અને સત્ય કે ઉમ્રકેદ કેટલા વર્ષની હોય છે. આ બાબતે સુપ્રીમ કોર્ટના એક વકીલે જણાવ્યું છે કે હકીકતમાં સંવિધાનમાં ક્યાંય લખ્યું નથી કે ઉમ્રકેદ 14 વર્ષની હશે. દેશની દરેક કોર્ટ આરોપ સાબિત થયા બાદ એ નક્કી કરે છે કે અપરાધીને ઉમ્રકેદ મળે કે બીજી કોઇ સજા.
વર્ષ 2012માં સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયથી એવું સ્પષ્ટ કરી દીધું છે કે આજીવન કેદનો અર્થ જીવનભર માટે જેલ છે એનાથી વધારે કઇ નહીં.
આ છે સાચું કારણ
કોર્ટનું કામ સજા સંભળાવવાનું છે અને એને લાગૂ કરવાનું કામ રાજ્યસરકારના હાથમાં છે, સુપ્રીમ કોર્ટ રહે છે કે આ રાજ્યસરકારના અધિકારીમાં આવે છે કે એ ઉમ્રકેદના આરોપીને 14 વર્ષમાં છોડી દે, 20 વર્ષ સુધી જેલમાં રાખે અથવા મરી જાય ત્યાં સુધી જેલમાં રાખે.
સંવિધાનમાં સીઆરપીસીની ધારા 433 એ હેઠળ રાજ્ય સરકારને આ અધિકાર મળ્યો છે કે એ કેદીઓની સજા ઓછી કરી શકે છે અથવા લંબાવી શકે છે. કારણ કે કેદી રાજ્યસરકારની દેખરેખમાં હોય છે એટલા માટે સરકાર પર આ જવાબદારી છે કે કેવી પરિસ્થિતિઓમાં કેદીને કેટલા વર્ષમાં છોડી દેવામાં આવે.
સૌથી મોટી વાત ઉમ્રકેદ 15 વર્ષ, 30 વર્ષ અથવા હંમેશા માટે હોઇ શકે છે પરંતુ 14 વર્ષથી ઓછી હોતી નથી. એટલું સંવિધાન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર એ સુનિશ્વિત કરે કે ઉમ્રકેદ થનાર અપરાધી 14 વર્ષ પહેલા છૂટે નહીં. 14 વર્ષ બાદ સરકાર એનો વ્યવહાર, બીમારી, પારિવારીક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ગમે ત્યારે છોડી શકે છે.
પરંતુ એનો એવો અર્થ નથી કે દરેક બાબતોમાં આજીવન કારાવાસ 14 વર્ષ માટે હોય છે. જો અપરાધીને જેલની બહાર નિકળવાની આશા ના હોય તો એ પરિવાર, સમાજ અને સરકાર બધા પર બોજ બની જાય છે. આજીવન કારવાસને મોત સુધી જેલમાં રાખવાના વિરોધીઓનું એવું કહેવું છે કે એની જગ્યાએ મોતની સજા સૌથી વધારે સારી છે.
કેટલીક વખત જેલમાં વધારે પડતાં કેદીઓના કારણે અથવા કોઇ તહેવાર પર સજા માફીના કારણે ઉમ્રકેદના અપરાધી છૂટી જાય છે. થોડાક સમય પહેલા સુપ્રીમ કોર્ટ ખાસ તહેવાર પર મોટી સંખ્યામાં છોડવા પર પ્રતિબંધ લગાવી ચૂક્યું છે.

 

લેખક : દિનેશ પટેલ,  રેવન્યુ પ્રેક્ટીસ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/4/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate