অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વ્યસન

વ્યસન એક જન્મજાત લાક્ષણિકતા અથવા લોકોમાં નથી પણ લોકોની પ્રતિક્રિયા એક ખાસ પ્રકારના અનુભવને લીધે છે. આમાં મુખ્ય સવાલ એ છે કે સૌથી જુનુ અને ચાલતુ રહેલ સંશોધન આ વ્યસન ઉપર ખોટી જગ્યાએ ઉગમ સ્થાન બતાવેલ છે.વ્યસન એક ઔષધીય પદાર્થથી નથી લાગતુ જે એક માણસમાં શરૂ થાય છે જે તેની/તેણીની પરિસ્થિતીને અને એ માણસની શોધ અનુભવને.આ સૌથી પહોળુ અને વધારે પડતુ, જે બધાયને સમજાય એવુ વ્યસન છે. વ્યસન એ એક બહુ જ વ્યક્તિગત છે જે તેના અનુભવને એક ખાસ ઉદ્દેશને લઈને એક વર્તણુકનુ પરિણામ છે, જે સ્વાભાવિક રીતે બધાય લોકોમાં અથવા તત્વમાં નથી. પણ મુખ્ય પ્રશ્ન એ છે કે આપણે એનો ઉકેલ કેવી રીતે લાવવો અને તેના વધારે વપરાશની કાર્યપદ્ધતી કેવી છે જેને લીધે માદક દ્રવ્યનો વારંવાર વધુ વપરાશ થાય છે. શરૂઆતમાં માદક દ્રવ્ય લેવાથી આનંદનો અનુભવ થાય છે અને જે લેવાથી ચિંતા ઓછી થાય છે એમ અહેસાસ થાય છે પણ ખરી રીતે એ વસ્તુને લઈને ચિંતા વધે છે. માદક દ્રવ્ય લેવાથી જીંદગીની મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ ઓછી થાય છે. આવી પરિસ્થિતીમાં માદક દ્રવ્ય લેવાનું દુષ્ટ ચક્ર ચાલુ થાય છે અને એક ખોટા પ્રકારની રાહત મળવાની સંવેદના થાય છે અને ગુલામી કરવાની જરૂરીયાત એક મજબુત દબાણ કરે છે. આ પરિસ્થિતી એક ગુંચવણ ભરેલી છે જે શારિરીક પરાધીનતા કરતા વધારે છે.આ રોગનુ નિદાન કરવાની ચાવી એ છે કે હંમેશા દર્દી જે માદક દ્રવ્યનુ સેવન કરે છે એ વારંવાર આ દવા લેવાનો આગ્રહ રાખે છે એ જાણવા છતા કે આમ કરવાથી આનુ પરિણામ કેટલુ ખરાબ આવશે. આનો અર્થ એ કે તેને માદક દ્રવ્યનું સેવન કરવાથી દુર રાખવાથી એ આ વ્યસન છોડી નહી શકે.

હવે આપણે  જુદા જુદા વ્યસન ની વાત કરીએ ,

તમાકુ :

  • તમાકુનો ઉપયોગ ભારતમાં સદીઓથી થતો આવ્યો છે.
  • પહેલાંના સમયના તમાકૂનો ઉપયોગ તમાકુના પાંદડા ચાવવા અને ધુમ્રપાન કરવા પૂરતા જ માર્યાદિત હતા. આજના સમયમાં એવા ઘણા બધા ઉત્પાદનો બજારમાં ઉપલબ્ધ થઇ ગયા છે, જે તમાકુથી બનેલાં હોય છે અથવા તેની અંદર તમાકુ એક ભાગ રૂપે રહેલું છે.
  • ૪૦૦૦થી પણ વધારે પ્રકારના જુદી-જુદી જાતના રસાયણો તમાકુ અને તમાકુના ધુમાડામાંથી શોધવામાં આવ્યા છે. આ બધામાંથી ૬૦થી પણ વધારે રસાયણો કેન્સરનો રોગ થવા પાછળ જવાબદાર જણાયા છે.
  • નિકોટીન કે જે એક ડ્રગ છે, તે તમાકુમાં મળી આવે છે. આ વધારે વ્યસની પદાર્થ છે – હેરોઈન કે કોકેઈન જેટલું જ લત લગાડનાર. સમય જતાં-જતાં, એક વ્યક્તિ શારીરિક અને લાગણીની રીતે નિકોટીનના બ ંધનોમાં જકડાઈ જાય છે અથવા તેના પર આધાર રાખતો થઇ જાય છે.

આશરે ૩૦% જેટલી ભારતીય વસ્તી, જે ૧૫ વર્ષ થી વધુ ઉંમર ધરાવે છે, તે તમાકુના અમુક સ્વરૂપો ઉપયોગમાં લે છે. પુરુષો ચાવવાવાળી તમાકુ કરતાં. ધ ૂમ્રપાન વધુ કરે છે. સ્ત્રીઓ મોટે ભાગે ધુમાડા રહિત, ચાવી શકાય તેવા તમાકુને ઉપયોગમાં લે છે તેવું જાણવા મળેલ છે. સિગરેટની સરખામણીમાં બીડી વધુ પ્રમાણમાં પીવાય છે. ભારતમાં તમાકુનું ધ ૂમ્રપાન બીડી: બારીક ભ ૂકો કરેલું અને સુકવેલું તમાકુ તેંદુ ના પાંદડામાં ભરીને લપેટીને બીડી બનાવવામાં આવે છે. બીડીનો આકાર કારખાનાઓમાં બનાવવામાં આવતી સામાન્ય કદની સિગરેટની સરખામણીમાં નાનો હોય છે, તેથી બીડી વધુ સ ંખ્યામાં પીવામાં આવે છે જેથી નિકોટીન દ્વારા ઉભી થતી અસર ઈચ્છિત માત્રમાં મેળવી શકાય છે. બીડી પીનારાઓને ઓછામાં ઓછું સિગરેટ પીનારાઓ જેટલું તો કેન્સર થવાનું જોખમ હોઈ શકે છે, જેનું કારણ છે બીડી દ્વારા તમાકુનો ધુમાડો લેવો. બીડી બનાવવી એ ઘણા કુટુંબોનું જીવન ચલાવવા માટેનો સ્ત્રોત હોય છે. અમુક કુટુંબોમાં બાળકો સહીત કુટુંબના બધા સભ્યો બીડી બનાવવામાં મદદ કરતાં હોય છે. તમાકુના પાંદડાના ઝીણાં ટુકડાઓ વારંવાર શ્વાસમાં જવાને કારણે જે અસર ઉભી થાય છે તે અસર તમાકુ કે તમાકુમાંથી બનાવેલી કોઈપણ ચીજ વાપરવાથી ઉભી થતી અસર જેવી જ હોય છે. આ કારણોથી આ પ્રકારનું કામ કરતાં કુટુંબોના સભ્યોને ફેફસાંના રોગો થવાનું અને પાચન માર્ગનું કેન્સર થવાનું જોખમ ઘણું વધારે હોય છે. તે ઉપરાંત, આ કુટુંબોમાં તમાકુનું વ્યાસન હોવું તે પણ એક સામાન્ય વાત છે. સિગરેટ અને સિગાર: એક સિગાર એટલે તમાકુના પાંદડામાં તમાકુનો ભ ૂકો વીંટાળીને બનાવેલો રોલ, અને સિગરેટ એટલે તમાકુનો ભ ૂકો કાગળમાં વીંટાળીને બનાવેલો રોલ. સિગરેટ ફિલ્ટર (ગાળણીઓ) સાથે આવી શકે છે, જેમ કે પાતળી (થીન), નિમ્ન– ટાર, મેન્થોલ અને સુગ ંધ વાળી – જેથી કરીને વધુને વધુ યુવાન લોકોને તેમજ સ્ત્રીઓને સિગરેટ પીવા માટે લલચાવી શકાય અને જેથી કરીને એવું પણ બતાવી શકાય કે સિગરેટ પીવાથી બીડી પીવા કરતાં તમારા આરોગ્યને પ્રમાણમાં ઓછું જોખમ રહેલું છે, જે હકીકતમાં સાચું નથી. ઘણા લોકો સિગાર પીવાની પ્રક્રિયાને સિગરેટ પીવાની પ્રક્રિયા કરતાં ઓછી જોખમી ગણે છે. આમ છતાં, એક મોટી સિગાર ખરેખર સિગરેટના એક આખા પેકેટ જેટલું તમાકુ સમાવી શકે તેવું પણ બને. સિગરેટ દ્વારા ધુમ્રપાન કરવું તે ભારતના શહેરી વિસ્તારોમાં વધારે સામાન્ય છે, અને સિગારનો ઉપયોગ મોટા શહેરોમાં જોવા મળે છે. સિગરેટ પીવાનું પ્રમાણ હાલમાં વધવા માંડ્યું છે અને તે હવે કિશોર અવસ્થામાં રહેલી છોકરીઓ અને યુવાન સ્ત્રીઓમાં પણ જોવા મળે છે. ચિલમ: આમાં તમાકુનું ધુમ્રપાન એક ચિનાઈ માટી વડે બનાવવામાં આવેલા પાઈપ દ્વારા કરવામાં આવે છે. ચિલમ દ્વારા તમાકુનું ધુમ્રપાન કરવાથી મોઢાનું અને ફેફસાનું કેન્સર થવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. એક ચિલમ ઘણી બધી વ્યક્તિઓના જૂથમાં ભાગીદારીમાં એક પછી એક એમ પીવામાં આવે છે, આના કારણે તેમને કેન્સર થવાનું જોખમ તો વધે જ છે, તે ઉપરાંત, એવા લોકો જે ચિલમ ભાગીદારીમાં એક બીજાની સાથે પીવે છે, તેઓને શરદી, ફ્લુ, અને ફેફસાંને લગતા અન્ય રોગો ફેલાવવાની શક્યતાઓ પણ વધારે છે. અફીણ જેવા નાર્કોટિક તત્વો (બેશુદ્ધિ કે ઘેન લાવનાર દવા)નું ધુમ્રપાન કરવા માટે પણ એક ચિલમનો ઉપયોગ કરવામાં આવે છે. હુકો: હુકા દ્વારા ધુમ્રપાન કરવાની પ્રક્રિયામાં એક સાધનનો ઉપયોગ કરવામાં આવે છે, જે શ્વાંસ લેતાં પહેલાં તમાકુને ગરમ કરવામાં આવે છે અને ત્યારબાદ તેનો ધુમાડો પાણીથી પસાર કરીને મોઢાં વાટે અંદર લેવામાં આવે છે. તમાકુનો ઉપયોગ કરવા માટેનો આ એક સુરક્ષિત કે બીનહાનીકારક રસ્તો નથી. એક સમયે હુકા દ્વારા ધુમ્રપાન કરવાનું ઓછું થઇ ગયું હત ું, પણ હાલના વર્ષોમાં તેનો ઉપયોગ વધ્યો છે. હુકા દ્વારા ધુમ્રપાન કરવું એ ભવ્ય કે બાદશાહી ઠાઠ અને પ્રતિષ્ઠાની નિશાની ગણવામાં આવે છે અને હવે તે ઉંચી કિંમતોવાળી કોફી – શોપમાં સફરજન, સ્ટ્રોબેરી અને ચોકલેટ વગેરેની ફ્લેવરમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. એક ‘સુરક્ષિત’ મનોરંજન માટેની પ્રવ ૃત્તિ તરીકે તેની જાહેરાત કરવામાં આવે છે, પણ તે સુરક્ષિત નથી અને છતાં પણ કોલેજ જતાં વિદ્યાર્થીઓમાં તેનો ઉપયોગ વધારે જોવા મળ્યો છે. તમાકુના આ પ્રકારના સેવનને કારણે તમાકુના વ્યસની બની શકે છે. છુટ્ટા અને ઊંધા છુટ્ટાથી ધુમ્રપાન: છુટ્ટા એ હલકી કક્ષાના તમાકુમાંથી બનેલી સિગાર હોય છે જે ખાસ કરીને ભારતના કાંઠાળ વિસ્તારોમાં પીવામાં આવે છે. ઊંધા છુટ્ટા પીવાની રીતમાં તેનો જે છેડો સળગી રહેલો હોય તેને મોઢામાં મ ૂકી શ્વાંસથીપીવામાં આવે છે આવું કરવાની ટેવથી મોઢાનું કેન્સર થવાની શક્યતાઓ વધી જાય છે. ધુમાડા રહિત તમાકુના ઉપયોગો ધુમાડા રહિત તમાકુ એ ભારતમાં બહુ જ સામાન્ય છે. તમાકુ અથવા તમાકુ વડે બનાવેલા ઉત્પાદનોને ચાવવામાં આવે અથવા તેની નાની-નાની ગોળીઓ બનાવીને તેને ચ ૂસવામાં આવે છે કાં તો તેને પેઢામાં ચોંટાડી દેવામાં આવે છે અથવા સુંઘવામાં આવે છે. ખૈની: તમાકુ ચાવવાની બધી રીતોમાં આ સૌથી સામાન્ય રીત છે. તમાકુના સુકા પાંદડાઓનો બારીક ભ ૂકો કરીને તેને ચ ૂના સાથે મિક્સ કરી દેવામાં આવે છે અને તેને એક ગોળીની જેમ મોઢામાં રાખી ચાવવામાં આવે છે. આ પ્રકારે તમાકુની ગોળી બનાવીને તેને ગાલ અને પેઢાંની વચ્ચે મ ૂકીને ચ ૂસવાની આદત જ પેઢાંના મોટાભાગનાં કેન્સરને નોતરે છે, જે ભારતમાં થત ું સૌથી સામાન્ય પ્રકારનું મોઢાનું કેન્સર છે. ગુટખા: ભારતમાં ચાવીને તમાકુ ખાવાના બધા જ પ્રકારોમાં આ પ્રકાર સૌથી વધુ લોકપ્રિય થવા લાગ્યું છે. કિશોર અવસ્થામાં રહેલા વ્યક્તિઓ અને બાળકોમાં આ પ્રકારનો તમાકુનો ઉપયોગ સૌથી વધુ લોકપ્રિય છે કારણ કે તે નાના પાઉચ કે પેકેટમાં ઉપલબ્ધ હોય છે (એક વખત ઉપયોગમાં લઇને ફેંકી શકાય તેવી સગવડવાળું હોય છે), તે સુગ ંધિત કરવા માટેના તત્વો અને સેન્ટનો ઉપયોગ કરીને બનાવેલ હોય છે અને તે ખ ૂબ જ સસ્તા હોય છે (૧ રૂપિયા જેટલી નજીવી કીમત). ગુટખા એ તમાકુના ભ ૂકાં, સુગ ંધિત તત્વો અને બીજા કેટલાંક ગુપ્ત તત્વો જે વ્યસન લગાડવા માટેની સ ંભાવના વધારનાર હોય છે, તેને સોપારીના ટુકડાઓ પર થર ચડાવીને બનાવવામાં આવે છે. ગુટખાનો ઉપયોગ મોઢાંના કેન્સર અને યુવા વયના પુખ્તોમાં મોઢાંને તથા દાંતને લગતા બીજા રોગો માટે જવાબદાર છે. તમાકુવાળું પાન: એક પાનમાં રહેલા પદાર્થોમાં મુખ્ય છે નાગરવેલનું પાન, સોપારી, ચ ૂનો અને કાથો. મીઠાશ અને અન્ય મસાલા પણ ઉમેરી શકાય છે. તેમાં રહેલા તમાકુના વધુ ઓછા પ્રમાણ મુજબ વિવિધ પ્રકારના પાનના જુદા-જુદા નામ રાખવામાં આવે છે. અમુક લોકો એવું માને છે કે તમાકુ વગર માત્ર પાન ચાવવું તે બિનહાનીકારક છે, પરંત ુ આવું માનવું તે ભ ૂલ ભરેલું છે. કેન્સર પર સ ંશોધન કરતી આંતરરાષ્ટ્રીય એજન્સી (ઇન્ટરનેશનલ એજન્સી ફોર રીસર્ચ ઓન કેન્સર – આઈ. એ. આર. સી.) દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે કે એવી વ્યક્તિઓ કે જેઓ નાગરવેલનું પાન અને સોપારી એ બ ંન્ને ખાતા હોય તેઓના પેઢાને નુકસાન પહોચાડવાનું અને મોઢા, ગળા, અન્નનળી અને પેટનું કેન્સર થવાનું વધારે જોખમ ધરાવતા હોય છે. પાન મસાલા: સોપારી, ચ ૂનો, કાથો અને અન્ય મસાલાઓનું તમાકુ ચ ૂર્ણયુક્ત અથવા તમાકુ રહિત એક આર્થિક ફાયદો મેળવવા માટેની વસ્ત ુ છે, એ આકર્ષક પાઉચમાં અને ટીન પેકમાં મળે છે, જેને સાથે લઇ જવું અને સાચવી રાખવું સહેલું છે. તમાકુનો ચ ૂરો અને સોપારી એ એવા લોકો કે જેઓ આ ઉત્પાદનોનો ભરપુર ઉપયોગ કરે છે તેમના મોઢાના કેન્સર માટે જવાબદાર છે. માવો: આ સોપારી, સુગ ંધિત તમાકુ, અને ચ ૂનો ભેગો કરીને બનાવવામાં આવત ું એક મિશ્રણ છે જેને ગમે ત્યારે ફાંકી રૂપે ચાવી શકાય છે. માવાની લોકપ્રિયતા અને કેન્સરના રોગનું કારણ બનવાની તેની ક્ષમતા ગુટખા જેવી જ હોય છે. ભારતમાં તેનો ઉપયોગ કિશોરો અને પુખ્ત વયના યુવાનોમાં વધુ જોવામાં આવે છે. મિશરી, ગુડાખું અને ટુથપેસ્ટ: આ લોકોમાં એટલા માટે લોકપ્રિય છે કારણ કે લોકો ભૂલ થી એવો વિશ્વાસ કરે છે કે તમાકુ એ જંતુ નાશક રસાયણ છે જે દાંત સાફ કરવામાં મદદ કરે છે. છીંકણી એ તમાકુનો શેકેલો ભૂકો છે જે એક દાંતના પાવડર તરીકે લગાડવામાં આવે છે. છીંકણીનો ઉપયોગ કરનારા લોકો મોટેભાગે તેના વ્યસની બની જાય છે અને તેને સમય પસાર કરવા માટે અને મજા લેવા માટે પણ લગાવવા માંડે છે. ગુડાખું એ તમાકુ અને ખાંડની ચાસણીમાંથી બનાવેલ એક પેસ્ટ (લોટ જેવું) છે. આ મિશ્રણનો પ્રયોગ સામાન્ય રીતે સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે અને તેને સીધું પેઢાંમાં લગાડવામાં આવે છે અને જેને લીધે પેઢાંનું કેન્સર થવાનું જોખમ વધી જાય છે. તમાકુ ધરાવતાં ટુથપેસ્ટ, જે બેક્ટેરિયા વિરોધી (એન્ટી બેક્ટેરીયલ) ટુથપેસ્ટ તરીકે પ્રોત્સાહિત કરવામાં આવે છે, તે બાળકોમાં લોકપ્રિય છે. આ ટેવ ઘણી વખત એક વ્યસન બની જાય છે અને બાળકો ધીરે-ધીરે તમાકુના બીજા ઉત્પાદનો તરફ આગળ વધે છે, આ રીતે તેમને કેન્સર થવાની શક્યતા વધે છે. સુકી છીંકણી: સુકા તમાકુના ભ ૂકાં અને અમુક સુગ ંધિત રસાયણોનું બનાવેલું આ એક મિશ્રણ છે. તેને શ્વાસ દ્વારા અંદર સુંઘવામાં આવે છે અને તે ભારતમાં મોટી ઉંમરની વ્યક્તિઓમાં સામાન્ય રીતે જોવા મળે છે. નાક અને જડબાંના કેન્સર માટે છીંકણી જવાબદાર છે. જો તમે તમાકુને તેના કોઈપણ સ્વરૂપમાં ઉપયોગમાં લેતા હો એ લોકો જે તમાકુનો ઉપયોગ કરતાં હોય છે, તેઓને ઘણા પ્રકારના કેન્સર થવાનું જોખમ રહેલું હોય છે. ધુમ્રપાન કરનારા વ્યક્તિઓમાં મોઢાંનું કેન્સર, સ્વરયત્ર અને ફેફસાનું કેન્સર થવાનું જોખમ વધારે હોય છે. આ ઉપરાંત તેમને અન્ય ગભીર બીમારીઓ, જેવી કે હૃદય અને ફેફસાનાં રોગો, પરિભ્રમણ પામતા રોગો, અને હૃદય રોગના હુમલાનો પણ ભય રહે છે. એવી વ્યક્તિઓ કે જે તમાકુનો ઉપયોગ તેમના મોઢાંમાં તેને મ ૂકીને કરે છે, તેમને મોઢાંનું કેન્સર થવાનું ઘણું જ જોખમ રહેલું હોય છે. તમાકુના ઉપયોગને કારણે, ભારતમાં મોઢાંનું કેન્સર એ સૌથી સામાન્ય રીતે જોવા મળત ું કેન્સર છે. મોઢાંના કેન્સરની જાણ ડોક્ટર દ્વારા મોઢાંની તપાસથી શરૂઆતના તબક્કામાં જ શોધી શકાય છે. પોતાના ડોક્ટરને પ ૂછો કે તમારે મોઢાંની તપાસ કયારે-કયારે કરાવવી જોઈએ. બધા જ પ્રકારના તમાકુનું સેવન છોડવાથી તમારા મોઢાંના કેન્સરનું જોખમ ઓછું થઈ જાય છે. આને રોકવાનો સૌથી સારો રસ્તો એ છે કે તમાકુનો ઉપયોગ ટાળવો. આને છોડવામાં મદદ લેવા માટે, અમેરિકન કેન્સર સોસાયટીની વેબ સાઈટ www.cancer.org ની મુલાકાત લો અને આ વિશે તમારા ડોક્ટર સાથે પણ ચર્ચા કરો.(http://www.cpaaindia.org/)

ગાંજો :

ગાંજો માટે સામાન્ય નામ છે ગાંજાનોઅને ભાંગ. તે આરોગ્ય માટે કોંક્રિટ પરિણામો બનેલાંબા સમય સુધી ઉપયોગ.

 

  • કેટલાક કિસ્સાઓમાં, હાઇ ચિંતા અને હતાશા અનુભવ લાગણીઓ પ્રમાણમાં તેમજ બીમાર બની ઉપયોગ કરે છે તે છે.
  • ગાંજો વાહન ક્ષમતા અસર કરે છે.
  • ગાંજાના ધૂમ્રપાન કેન્સર થઇ શકે છે.
  • ગર્ભાવસ્થા દરમિયાન, કેનાબીસ ગર્ભ પર નકારાત્મક અસર કરી શકે છે.
  • કેનાબીસ ઉપયોગ લાંબા ગાળાની વિચારી છે અને લાગણી અસર કરી શકે છે.
  • કેટલાક કિસ્સાઓમાં, લાંબા સમય સુધી ઉપયોગ પરાધીનતા અને વ્યસન થઈ શકે છે.
  • ગાંજો તે માટે સંવેદનશીલ હોય છે જે લોકો માનસિક ટ્રીગર કરી શકો છો.

 

કેટલાક સંશોધકો કહે છે કે:

  • ગાંજો વધુ ખતરનાક દવાઓ માટે પ્રથમ પગલું છે.
  • ગાંજો પ્રતિકારક સિસ્ટમ પર નકારાત્મક અસરો હોય છે.
  • ગાંજો પ્રજનન / વંધ્યત્વ અસર કરે છે.
  • ગાંજો સ્કિઝોફ્રેનિયા થઇ શકે છે. વધુ માહિતી.
  • ગાંજો લાગણી અને વસ્તુઓ રસ ગુમાવી તરફ દોરી જાય છે.
  • ગાંજો તેને ઉપયોગ કરવાનું બંધ કરવાનો પ્રયાસ કરી, ખાસ કરીને જ્યારે ગુસ્સો થઇ શકે છે.

આ આરોપો વૈજ્ઞાનિક પરીક્ષણ કરવામાં આવ્યું નથી.(સોર્સ: http://web4health.info/sv/answers/add-cannabis-long-term.htm

પ્રતિમધ્યસ્થી હું આ ખૂબ જ રસપ્રદ માહિતી લેવામાં આવ્યા છે:

ગાંજો :રેઝિન અને હર્બલ કેનાબીસ
  • શરીર અને આત્મામાં પર અસર:ગાંજો ધીમે ધીમે પરંતુ મક્કમતાપૂર્વક કંઈક ધ્યાનમાં લીધા દુરુપયોગકર્તા વગર સામાન્ય રીતે સમગ્ર વ્યક્તિત્વ ફેરફારો, અથવા તેમના પોતાના સમસ્યાઓ કારણે દુરુપયોગ ઓળખી શકે છે કે ઝેર છે. આ વ્યસની પોતે બંને માટે પીડાતા બનાવે છે, સંબંધીઓ અને અન્ય લોકો કરશે વ્યસની જે સંપર્ક.
  • કેનાબીસ દુરુપયોગ યુવાન લોકો માનસિક પરિપક્વતા અસર કરે છે. ભાવનાત્મક ગરબડ જરૂરી મુક્તિ અને કિશોરો અસરો સામાન્ય રીતે વિકાસ નથી.
  • >આ ડિસઓર્ડર શારીરિક જટિલતાઓને જોખમ કરતાં વધુ ખતરનાક માનવામાં આવે છે. (જોકે ફેફસાંનાં કેન્સરથી, હોર્મોન્સનું સંતુલન, નબળી રોગપ્રતિકારક, વગેરે વિકૃતિઓ)

એક્સ્ટસી

સબસ્ટન્સ: કૃત્રિમ. ગોળી સ્વરૂપ માં, અથવા કાગળ શાહીચૂસ. 
આ Buzz: મૂંઝવણ, કળતર, સ્નાયુ સંકોચન, સુખ ના લાગણી, વધુ વિશ્વાસ, શક્તિ, આભાસ. 
હાનિકારક અસરો: ડેથ, તીવ્ર ડીપ્રેશન અને આત્મહત્યા વિચારો.  જીએચબી વિષય: કોસ્ટિક સોડા અને સફાઈકારક બનાવામાં આવે છે. પણ શરીર કુદરતી રીતે થાય છે.આ Buzz: સુખ, વધારો ઊર્જા, લૈંગિક ઉત્તેજના, ઊંઘ, spasms અને બેહોશી.હાનિકારક અસરો: દુઃખાવો, આક્રમકતા. દારૂ સાથે મુશ્કેલી શ્વાસ અને કોમા. . ઘાતકCannabinoids વિષય: આ પ્લાન્ટ ગાંજો sativa.ભાંગ (મજબૂત) રેઝિન છે, મારિજુઆના સૂકા પ્લાન્ટ ભાગો છે. ઘણી વખત પીવામાં, પણ ખાવામાં આવે છે. આ Buzz: રિલેક્સેશન અને ઉત્તેજના, મૌન અને સુસ્તી. વધારો હૃદય દર, શુષ્ક મોં. હાનિકારક અસરો. ડિપ્રેસનવાળી મનોસ્થિતિ, ગભરાટ લાગણી, પરિપક્વતા યુવાન, એકાગ્રતા વિકૃતિઓ, વ્યક્તિત્વ ફેરફારો, હોર્મોન્સનું વિકૃતિઓ, ફેફસાનું કેન્સર અને નબળા રોગપ્રતિકારક પ્રતિભાવ વિલંબ છે  એલ એસ ડી વિષય: કૃત્રિમ. માઇક્રો ગોળીઓ અથવા સોફ્ટ કાગળ.આ Buzz: આભાસ અને મૂંઝવણ. ઉન્નત સંવેદનાત્મક અનુભવો સ્વ દ્રષ્ટિ નુકશાન કારણ બને છે. મોટી વિદ્યાર્થીઓ, ઉબકા, આંચકા અને ઠંડી. હાનિકારક અસરો: ચિંતા, ભય અને માનસિક, ઘણી વખત લાંબા સમયની.સોર્સ: જી.પી. હકીકતો

  • Habitually કેનાબીસ દુરુપયોગ માઇનસ જે માટે, તે સમગ્ર પુખ્ત વિકાસ સ્ટોપ માટે અસામાન્ય નથી.
  • ગાંજો કરનાર તામસી અને હતાશ બની જાય છે.
  • લાંબા સમય સુધી કેનાબીસ ઉપયોગ સૌથી લાક્ષણિક નુકસાન કહેવાતા amotivational સિન્ડ્રોમ છે - આયોજિત પ્રવૃત્તિઓ એટલે passivity અને અક્ષમતા;તેમના ઝાકળવાળું વિશ્વમાં માત્ર અર્થપૂર્ણ તરીકે જોવામાં આવે છે.
  • અવાસ્તવિકતા ક્રોનિક લાગણીઓ થાય છે અને મિથ્યા ભ્રમની શકે છે.
  • લાંબા ગાળાની તે મુશ્કેલ તેઓ અનુભવ શું વર્ણન અથવા એક કંઈક સમજાવવા માંગે છે ત્યારે અર્થ બનાવે ધુમ્રપાન કેનાબીસ. તેઓ ઘણું વાત પરંતુ થોડી કહે છે.
  • વ્યસની વાસ્તવિકતા એક વિકૃત ચિત્ર મળે છે અને તે મુશ્કેલ વિવેચનાત્મક પોતે પરીક્ષણ કરવા માટે શોધો.
  • ગાંજો કરનાર તેમની નિષ્ફળતાઓ માટે પોતાના સ્પષ્ટતા તમામ સમય શોધી અને તેઓ દુરુપયોગ કારણે છે કે જે તારણ કરવા માટે અસમર્થ છે કરશે.
  • ગાંજો કરનાર દા.ત. કેનાબીસ નશો માં વાસ્તવિકતા ના એસ્કેપ ચાલુ રાખવા માટે કારણ પ્રાપ્ત ખોટું છે કે તે પર્યાવરણ અથવા સમાજ સાથે તેમના ડિપ્રેશન દૂર સમજાવે છે. તે પર્યાવરણ અને બગડવાની સામાજિક ક્ષમતા થી વધુ અને વધુ રક્ષણ બની જાય છે.


ભ્રમણા
ગભરાટ ભર્યા હુમલાના વિકાર સાથે વાંકા Ignitions ખૂબ જ અપ્રિય ભ્રમણા સાથે મનોવિકૃતિ અને ચિત્તભ્રમણા પ્રગતિ કરી શકે છે.

અન્ય માનસિક બીમારીઓ ધરાવતા લોકો પણ મધ્યમ કેનાબીસ ધૂમ્રપાન મનોવિકૃતિ ટ્રિગર કરી શકે છે. 
મોટા પ્રમાણમાં ભાંગ ની સ્કિઝોફ્રેનિયા થવાનું જોખમ વધી જાય છે પીવામાં જેઓ. વિવિધ પરિબળો દા.ત. દવા, કેવી રીતે પ્રતિક્રિયા માટે નક્કી કરે છે.:

  1. તમે દવા ઉપયોગ કેવી રીતે લાંબા અને ઘણી વખત કેવી રીતે ઘણી વખત.
  2. તમે ઉપયોગ રકમ અને કેટલી THC તૈયારી છે.
  3. વ્યક્તિ કયા પ્રકારની તમે છે.
  4. પર્યાવરણ, મૂડ, પરિસ્થિતિ રહેતા, અપેક્ષાઓ, વગેરે
  5. તમે દારૂ, ગોળીઓ અથવા અન્ય દવાઓ સાથે ભળવું તો.

એક દવા તમારા જીવન પર અસર કરશે કેવી રીતે અગાઉથી ખબર ક્યારેય કરી શકો છો!


એક મૂર્તિ
દવા ખૂબ જ ટૂંક સમયમાં થશે કેનાબીસ કરનાર દેવ છે.તે exalts અને આ ડ્રગ કરે છે. ઇન્ટરનેટ પર મિથ્સ ઘણો દવા આસપાસના, અને તેઓ ઝડપથી કેનાબીસ કરનાર મનમાં ઊંડે પોતે રુટ વલણ ધરાવે છે.

તે ચિંતા હુમલા સહન, તેમ છતાં, મિથ્યા ભ્રમની અથવા ભાંગ psychoses કોઈ રન નોંધાયો નહીં અને આ ડ્રગ કીર્તિ વલણ ધરાવે છે.

એક તે "ઊંડા વિચારોને" અને અન્ય સમજી નથી કે નવા પરિમાણો જાણવા મળ્યું છે કે કલ્પના. આ "ઊંડા વિચારોને" મૂંઝવણ, બાલિશ, મૂર્ખતા અને ગાંડપણ છે. એક તાર્કિક લાગે વધુને વધુ મુશ્કેલ નોંધાયો નહીં. બૌદ્ધિક ક્ષમતા ઉપયોગ કરવાની ક્ષમતા ઘટાડો કરવામાં આવે છે ત્યારે, તો તમે તેને નોટિસ. તે જગ્યાએ તે બુદ્ધિશાળી કેહવાય છે કે કલ્પના છે કે જે સામાન્ય છે!


ગાંજો અત્યંત કપટી અને વિશ્વાસઘાત ડ્રગ છે
માત્ર એક સમયગાળા માટે થતાં ડ્રગ ઉપયોગ અને પછી અટકે ઘણા. કારણ તેઓ તે સમાપ્ત થશે કેવી રીતે આગાહી કરી શકો છો કંઈક પર ગયા કે સમજી કે હોઈ શકે છે.

નિયમિત કેનાબીસ ઉપયોગ થોડા વર્ષો પછી, તે દુરુપયોગ રોકવા અને વિધેયાત્મક જીવન પર પાછા વિચાર મુશ્કેલ છે. તે કેનાબીસ દુરુપયોગ razed, કે બિલ્ડ પ્રેરણા અને કામ ઘણું જરૂરી છે. મદદ જરૂર ઘણા વર્ષો માટે કેનાબીસ દુરુપયોગ જે વ્યક્તિ!

શા માટે ઘણા દ્વારા ડ્રગ પરીક્ષણ છે અને તમે એક cannbabismissbruk અંત શા માટે? 
તમે કેનાબીસ ઉપયોગ પ્રથમ થોડા વખત, અસર સામાન્ય રીતે મજબૂત નથી. નોર અમુક અન્ય દવાઓ એક ઓવરડોઝ મૃત્યુ પામે છે શકે છે. આ ઘણા દ્વારા પરીક્ષણ દવા માટે કારણો હોઈ શકે છે.

ચોક્કસ ક્રિયાઓ નિયંત્રિત અને તેથી પર બોલાય છે અને જ્યારે જવાબ આપવા માટે જરૂરી તરીકે બાહ્ય મોટે ભાગે તદ્દન સામાન્ય કામ કરી શકે છે હળવા haschrus દરમિયાન. સત્ર ફરી બઝ "માં વૉકિંગ" જેવા હોઈ શકે છે. આ દુરુપયોગ છતાં, તમે સરળતાથી તેઓ તેમના જીવન પર નિયંત્રણ છે કે કલ્પના મદદ કરે છે.

ગાંજો કરનાર વગેરે કામ પર, શાળા માં પ્રારંભિક તબક્કામાં કામ હોઈ શકે છે ઉદાહરણ માટે શાળા માં તમે સરળ હોય છે, તમે દુરુપયોગ તરત જ શૈક્ષણિક દેખાવમાં નોંધપાત્ર બગાડ તરફ દોરી નથી જરૂર છે. પરંતુ તે પહેલાથી જ નોંધપાત્ર છે, અલબત્ત, અભ્યાસ ના બગાડ ઝડપી પરિણામો અભ્યાસ મુકાબલો મુશ્કેલીઓ છે. ગાંજો દુરુપયોગ તરફ દોરી જાય છે તે વધુને વધુ મુશ્કેલ નવી વસ્તુઓ, સહનશક્તિ અને પ્રેરણા નબળા આવશે તે જાણવા માટે શોધો. આ રાજ્ય મ્યૂટ ધીમી ધીમી અને અલગ તરીકે વર્ણવી શકાય છે.

અન્ય કારણ ઘણા દવા પ્રયાસ, ઘણા કારણો છે કે જે "કેનાબીસ ઉપયોગ દારૂ કરતાં વધુ ખતરનાક છે કે જેથી

". પરંતુ દારૂ હાનિકારક અસરો સારી રીતે દસ્તાવેજીકરણ અને સારી રીતે લાંબા સમય થી ઓળખાય છે. અને છે કેનાબીસ અન્ય દવાઓ સાથે અથવા દારૂ સાથે સરખામણી કરીને ઓછી ખતરનાક નથી. (વચ્ચે આ " પ્રશ્નો અને જવાબો "અમે વિશે કેટલાક પ્રશ્નો જવાબદારૂ.) દુરુપયોગ નકારો ડી દારૂના ઉપયોગ અથવા દવાઓ તેની હાનિકારક અસરો મહત્ત્વહીન જે ઈ. દારૂ અથવા દવાઓ દુરુપયોગ જેઓ, તમે એક મૂર્તિ બની દુરુપયોગ કરવામાં આવે છે કે જે થાય છે. આ નશીલા તેમણે ડ્રગ તરીકે કેનાબીસ જોવું નથી આલ્કોહોલિક. ગાંજો વ્યસની છે તે ઓળખી નથી અને આથી એક ડ્રગ વ્યસની ગણવામાં આવે છે કે નથી. તે મુશ્કેલ દવા વિરોધીઓ છે અને ઘણી વખત તેમના હેતુઓ ખોટું મૂલ્યાંકન કરવું જે લોકો સમજવા માટે શોધે છે.

અકસ્માત જોખમો

કેનાબીસ પ્રભાવ હેઠળ ડ્રાઈવરો સંડોવતા અનેક મોટા અને દુ: ખદ માર્ગ અકસ્માતો અકસ્માતો પૂરક કારણ કેનાબીસ ધ્યાન દોરવામાં આવ્યું છે.

 

કેનાબીસ પ્રભાવ હેઠળ વ્યક્તિઓ ધ્યાન ફાળવવા માટે મુશ્કેલ છે. જ્યારે ઉદાહરણ એક કાર ડ્રાઇવિંગ, તેઓ કાર વાછરડો કે અમુક વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત છે, પરંતુ સંપૂર્ણપણે સંકેતો અથવા ટ્રાફિક લાઇટ બંધ અવગણો, વગેરે દૃષ્ટિ બંને ખરાબ ત્રાટકશક્તિ ધ્યાન કેન્દ્રિત શરતો અને વાઈડ એન્ગલ જોવા માટે સમર્થ હશે કરી શકો છો.

આ રન પર ઘણી વખત તેઓ તરીકે પીવામાં અનુભવ ભાંગ કેનાબીસ નશો દ્વારા અસર થતી નથી. કેટલાક તેઓ અસર થાય છે ત્યારે તેઓ વધુ સારી રીતે વાહન લાગે છે. તે ખતરનાક ભ્રમ છે. ગાંજો રેઝિન તેઓ તેને પીવામાં પછી ઓછામાં ઓછા 24 કલાક માટે ડ્રાઇવિંગ અસર ચાલુ રહે છે.

સ્ટોકહોમ માં ફોરેન્સિક વિભાગ ખાતે અન્ના Fugelstad અને Jovan Rajs અચાનક મૃત્યુ પર એક અભ્યાસ કરવામાં આવ્યો છે. 
તેઓ સ્ટોકહોમ વિસ્તારમાં દવા મૃત્યુ રેકોર્ડ બિલ્ડ કામ કર્યું છે. તેઓ કેનાબીસ કેટલાક કિસ્સાઓમાં, પરંતુ શરીરના કોઈ અન્ય દવાઓ જોવા મળે છે.

દારૂ અને / અથવા ગોળીઓ કેટલાક કિસ્સાઓમાં મિશ્રણ. કેનાબીસ ધુમ્રપાન મૃત્યુ માટે કારણો અનિચ્છનીય હિંસક હતા!

24 કિસ્સાઓમાં 10, આત્મહત્યા કરી હતી. (53 એક સંપૂર્ણ 11 ટકા એક ઊંચાઇ પરથી કેનાબીસ પ્રભાવ જમ્પિંગ દ્વારા આત્મહત્યા તપાસ. આ કેનાબીસ ધુમ્રપાન બિન ધુમ્રપાન કરતાં ઊંચા સ્થળ પરથી જમ્પિંગ દ્વારા તેમના જીવન લઇ 19 ગણી વધુ હોય છે કે જે થાય છે.) માત્ર 24 એક મૃત્યુ પામ્યા હતા લાંબા ગાળાની દારૂનો દુરૂપયોગ સાથે સંકળાયેલ સિરહોસિસ માં "કુદરતી મૃત્યુ".

આત્મહત્યા અને ક્યારેક skrumplevern ઉપરાંત ટ્રાફિક અકસ્માતો, દારૂનું ઝેર અથવા હત્યા દ્વારા કેનાબીસ ધુમ્રપાન મૃત્યુ પામ્યા હતા.

તે દારૂ ઝેર માટે આવે છે, તે કેનાબીસ હોજરીનો ઉલટી પ્રતિક્રિયા અટકાવે છે કે બહાર તરફ પોઇન્ટ વર્થ હોઈ શકે છે. 
આ શરીર દારૂ ખતરનાક પ્રમાણમાં જાળવી રાખશે કે જોખમ વધારે છે.

સ્વીડનમાં, લાંબા સમય સુધી કેનાબીસ દુરુપયોગ તેમના ક્રૂરતા માટે માન્ય કરવામાં આવી છે કે આત્મહત્યા અને હત્યા કેસમાં કેટલાક સનસનીખેજ કિસ્સાઓમાં એક પરિબળ રહ્યું છે.

પણ અન્ય તૈયારીઓ મૃત્યુ સાથે સરખામણી માં કેનાબીસ મૃત્યુ હિંસા પ્રેરક કૃત્યો દ્વારા વર્ગીકૃત્ત્ત કરવામાં આવ્યો હતો જે દર્શાવે છે.

રાજ / Fugelstad પણ કેનાબીસ સાથે સંબંધિત છે કે ઘણા મૃત્યુ શોધી નથી, તો પછી તે ફક્ત તાજેતરનાં વર્ષોમાં લોહીમાં કેનાબીસ વિશ્લેષણ કરવા માટે શક્ય બની છે બહાર નિર્દેશ કરે છે. આ પદ્ધતિ પણ ખર્ચાળ છે અને નિયમિતપણે તેથી નથી. આ અભ્યાસ માટે એક સમજૂતી આંતરરાષ્ટ્રીય અનન્ય છે પણ છે. મારિજુઆના અને ભાંગ માં THC એકાગ્રતા આજકાલ તે પહેલાં કરતાં વધારે છે, કારણ કે કેનાબીસ હાનિકારક અસરો અંગે ઓલ્ડ સંશોધન તારણો વિશ્વસનીય નથી.

તમે કેનાબીસ, અન્ય દવાઓ કે દારૂ દુરુપયોગ કરવામાં આવે છે, અથવા તો તમે જે દુરુપયોગ કોઈને ખબર નથી? ભૂતપૂર્વ વ્યસની તે નિરર્થકતા એક અર્થમાં વગર સામાન્ય જીવન જીવી શકે છે કે જેથી તેના આંતરિક સાજો કરવાની જરૂર છે. અને તે મફત હોઈ શકે છે! ઈસુ મદદ કરવા માટે સક્ષમ છે અને તે લોકોના જીવનમાં કરે છે. ઈસુએ આ બધી સમજ પસાર કે શાંતિ આપે છે. તેમણે કહ્યું, "અંધકાર માં શાઇન્સ કે પ્રકાશ છે."

તેને જીવન હતું, અને તે જીવન લોકો માટે પ્રકાશ હતો. અને પ્રકાશ અંધકાર માં શાઇન્સ, અને અંધકાર દૂર નથી. જંકશન. 1: 4.5

દુરુપયોગ, વ્યસન અને વર્તણૂકની તીવ્ર ઇચ્છા અમારા પૂજા અનુભવ રાહત ઘણા મુલાકાતીઓને. ઈસુ મુક્ત અને અર્થ સાથે જીવન આપે છે. તમે દરેક રીતે તે સારી છે લાગે છે, પણ જો ઈસુ જરૂર છે. ઈશ્વરની ઇચ્છા તમામ પુરુષો બચાવી શકાય છે.

મદ્યપાન

 

મદ્યપાન દારૂ પરની પરાધીનતા તરીકે પણ ઓળખાય છે, તે અસમર્થ કરતી વ્યસની વિકૃતિ છે. તે મદ્યપાન કરતી વ્યક્તિના સ્વાસ્થ્ય અને સામાજિક આધાર પર નકારાત્મક અસર કરતી હોવા છતાં દારૂનું અનિવાર્ય અને અસંયમી સેવન જેવા લક્ષણો ધરાવે છે. અન્ય કેફી પદાર્થોના વ્યસનની સરખામણીમાં, મદ્યપાન સેવનને તબીબી વિજ્ઞાને સારવાર યોગ્ય રોગ તરીકે વ્યાખ્યાયિત કર્યો છે.‘મદ્યપાન સેવન’ પરિભાષા વિશાળ રીતે ઉપયોગમાં લેવાતી પરિભાષા છે, સૌપ્રથમ, 1849 માં મેગ્નસ હસ દ્વારા ઉપયોગમાં લેવાઇ હતી, પરંતુ 1980 ડિએસએમ III (DSM III) માં તબીબી વિજ્ઞાનમાં ‘દારૂ ગેરઉપયોગ’ અને ‘દારૂ પરાધીનતા’ તરીકે બદલાવવામાં આવી હતી.સમાન રીતે, 1979 માં નિષ્ણાત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (World Health Organisation) કમિટિએ “દારૂ પરાધીનતા લક્ષણસમૂહ” ના વર્ગને પસંદ કરી, ‘મદ્યપાન’ ના ઉપયોગને નૈદાનિક વાસ્તવિકતા તરીકે નાપસંદ કર્યો.19મી સદીમાં અને 20મી સદીની શરૂઆતમાં, મદ્યપાન નામ અપાયું તે પહેલાં મદ્યપાન પરાધીનતાને ડિપ્સોમેનીયા (dipsomania) કહેવાતી હતી.

મદ્યપાન સેવનના જૈવિક તાંત્રિક આધારો સંદિગ્ધ છે, જોકે, જોખમી કારણોમાં સામાજિક વાતાવરણ, મનોભાર,માનસિક સ્વાસ્થ્ય, જનીન તત્વોની પરિસ્થિતિ, વય, વંશીય સમૂહ અને જાતિનો સમાવેશ થાય છે. લાંબા-ગાળાનું મદ્યપાન મગજમાં સહનશીલતા અને શારીરિક પરાધીનતા જેવા શરીરવૈજ્ઞાનિક પરીવર્તનો સર્જે છે. આ પ્રકારના મસ્તિષ્ક રસાયણિક પરિવર્તનો મદ્યપાન કરનારની સેવન બંધ કરવાની અનિવાર્ય અણઆવડતને જાળવી રાખે છે અને દારૂ સેવનની અસાતત્યતા પરદારૂ છોડવાના લક્ષણસમૂહમાં પરિણમે છે.અતિશય દારૂના ગેરઉપયોગની એકત્રિત ઝેરી અસરોના કારણે દારૂ મગજ સહિત શરીરના લગભગ તમામ અવયવોને નુકસાન કરે છે, મદ્યપાનના જોખમોમાંથી વિસ્તૃત તબીબી અને મનોવૈજ્ઞાનિક વિકૃતિઓ ઉદ્દભવે છે. મદ્યપાન કરનાર અને તેમના જીવનના લોકો માટે મદ્યપાન સેવન સઘન સામાજિક પરિણામો ધરાવે છે.

મદ્યપાન સેવન એ સહનશીલતા, પીછેહઠ અને અતિશય દારૂના ઉપયોગની સતત હાજરી છે; વ્યકિતના સ્વાસ્થ્યને નુકશાનકારક હોવાની સંભાવના હોવા છતાં, દારૂ પીનાર વ્યક્તિના આ પ્રકારના અનિવાર્ય સેવન પર નિયંત્રણની નબળાઇ તે મદ્યપાન કરનાર વ્યક્તિ બનશે તેની શક્યતા સૂચવે છે. પ્રશ્નાવલિ-આધારીત પરીક્ષણ એ મદ્યપાન સહિત નુકસાનકારક પીવાની રીતો શોધવાની પદ્ધતિ છે.મદ્યપાન બિનઝેરીકરણ સેવન કરતી વ્યક્તિને દારૂ પીવાથી દૂર કરવા સામાન્ય રીતે દારૂ છોડવાના લક્ષણ સમૂહને સંચાલિત કરવા વિપરીત-સહનશીલતા માદક પદાર્થો જેવાં કે બેન્ઝોડિયાઝેપાઇન્સ આપવામાં આવે છે. પૂર્વ-તબીબી કાળજી, જેવી કે સમૂહ ઉપચાર, અથવા સ્વ-સહાય સમૂહો, સામાન્ય રીતે મદ્યપાન ત્યાગને જાળવી રાખવા માટે આવશ્યક છે. ઘણીવાર, મદ્યપાન કરનાર લોકો બેન્ઝોડીયાઝેપાઇન્સજેવી અન્ય દવાઓના વ્યસની હોય છે, જેના માટે વધારાની તબીબી સારવાર જરૂર છે. પુરૂષની સરખામણીમાં, મદ્યપાન કરનારી સ્ત્રી દારૂની નુકશાનકારક શારીરિક, મસ્તિષ્કીય અને માનસિક અસરો પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે અને સ્ત્રી માટે મદ્યપાન કરવાથી સામાજિક કલંક વધે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (World Health Organisation) ના અંદાઝ પ્રમાણે વિશ્વભરમાં 140 મિલીયન લોકો મદ્યપાન કરે છે.

દારૂ દુરૂપયોગના લાંબા ગાળાના લક્ષણો

A diagram showing the mostly bad effects of consuming a large amount of alcohol compared to the good effects of a small to moderate amount.
ઇથાનોલની કેટલી સંભવિત લાંબા-ગાળાની અસરો વ્યક્તિને થાય છે.વિશેષ, ગર્ભવતી સ્ત્રીઓમાં, દારૂ જીવલેણ લક્ષણો ઉત્પન્ન કરી શકે છે.

મદ્યપાન વધતી સહનશીલતા અને દારૂ પર શારીરિક પરાધીનતા, દારૂના ઉપયોગના કાળજીપૂર્વકના નિયંત્રણની વ્યક્તિની આવડતને અસર કરવાના લક્ષણો ધરાવે છે. આ લક્ષણો વિશે મદ્યપાન કરનારની પીવાનું છોડવાની ક્ષમતામાં અવરોધ ઊભો કરવામાં ભાગ ભજવે છે. મદ્યપાનની માનસિક સ્વાસ્થ્ય ઉપર નુકશાનકારક અસરો હોઇ શકે છે, જે મનોચિકિત્સક વિકૃતિઓ થવા માટે અને આત્મહત્યાના વધતા જોખમો માટેકારણભૂત બની શકે છે.

શારીરિક લક્ષણો

લાંબા સમયનો દારૂનો દુરૂપયોગ યકૃતની બિમારી, સ્વાદુપિંડનો સોજો, વાય, ચેતાવિકૃતિ, મદ્યજનિત વિસ્મૃતિ, હ્રદયરોગ, પોષણની ખામીઓ અને જાતિય નબળાઇ અને છેવટે જીવલેણ બની શકે છે. અન્ય શારીરિક અસરોમાં હ્રદય રક્તવાહિનીનો રોગ, કુશોષણ, મદ્યજનિત યકૃત રોગ અને કેન્સર ઉત્પન્ન કરતા વિશેષ જોખમોનો સમાવેશ થાય છે. અવિરત દારૂ સેવનથી કેન્દ્રીય ચેતાતંત્ર અને ગૌણ ચેતાતંત્રમાં નુકશાન થઇ શકે છે.

પુરૂષની સરખામણીએ સ્ત્રીમાં મદ્ય પરાધીનતા દીર્ધકાલીન જટિલતાઓનો ઝડપથી વિકાસ થાય છે. વધુમાં, મદ્યપાનને લીધે પુરૂષો કરતાં સ્ત્રી ઊંચો મૃત્યુ આંક ધરાવે છે. મગજ, હ્રદય અને યકૃત નુકશાન અને સ્તન કેન્સરનું વિશેષ જોખમ સહિત દીર્ઘકાલીન મુશ્કેલીઓનો ઉદાહરણોમાં સમાવેશ થાય છે. વધુમાં, લાંબા સમયના વધુ પડતા મદ્યપાનથી સ્ત્રીઓમાં પ્રજનનક્ષમતા પર નકારાત્મક અસર જોવા મળે છે. તેના પરિણામે પ્રજનનક્ષમતા વિકૃતિ જેમ કેઅંડવિમોચનમાં નિષ્ફળતા, અંડપિંડની સંખ્યામાં ઘટાડો, માસિક ક્રમની સમસ્યા અથવા અનિયમિતતા, અને વહેલી રજોનિવૃત્તિ જોવા મળે છે.

મનોવિકૃતિક લક્ષણો

દીર્ધકાલીન દારુના દુરૂપયોગથી વિસ્તૃત માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ થઇ શકે છે. ગંભીર જ્ઞાનાત્મક સમસ્યાઓ અસામાન્ય નથી; વિસ્મૃતિના કેસોમાંથી અંદાજે 10 ટકા કિસ્સા મદ્યપાન ઉપયોગ સાથે સંલગ્ન છે, જે તેના વિસ્મૃતિનું બીજું અગત્યનું કારણ બનાવે છે.વધારે પડતો મદ્ય ઉપયોગ મસ્તિષ્ક કાર્યમાં નુકશાન પહોંચાડે છે, અને લાંબા સમયે માનસિક સ્વાસ્થ્યને વધતા પ્રમાણમાં અસર થઇ શકે છે.મદ્યપાન કરનારાંઓમાં માનસિક સમસ્યાઓ સામાન્ય છે, જેમાં 25 ટકા જેટલા લોકો ગંભીર માનસિક વિક્ષેપતાથી પીડાય રહ્યાં છે. ચિંતા અને હતાશા વિકૃતિઓ ખૂબ પ્રચલિત મનોવિકૃતિ લક્ષણો છે. સામાન્ય રીતે મનોવિકૃતિના લક્ષણો દારૂ છોડવા દરમિયાન શરૂઆતમાં વધુ ખરાબ બને છે, પરંતુ અવિરત ત્યાગથી તેમાં પ્રાથમિક સુધારો અથવા અદ્રશ્ય થઇ જાય છે.મનોવિકૃતિ, વિટંબણા, અનેઆવયવિક મસ્તિષ્ક લક્ષણસમૂહ દારૂના દુરૂપયોગથી ઉદ્દભવી શકે જે માનસિક બિમારી જેવા ખોટા નિદાન તરફ દોરી જઇ શકે છે.દીર્ઘકાલીન દારૂ દુરૂપયોગના પ્રત્યક્ષ પરિણામ તરીકે ભય વિકૃતિ ઉત્પન્ન અથવા વધુ ખરાબ કરી શકે છે.

ગંભીર હતાશાજનક સમસ્યા અને મદ્યપાનની સહ-ઘટના સારી રીતે નોંધવામાં આવી છે. આ સહ ઘટનાઓ વચ્ચે, હતાશાજનક ઘટનાઓ વચ્ચે સામાન્ય ભેદ છે જે દારૂના ત્યાગ (“પદાર્થ-પ્રલોભન”) સાથે ઘટી જાય છે, અને જે હતાશાજનક ઘટનાઓ પ્રાથમિક છે અને ત્યાગ સાથે ઘટતી નથી (“સ્વતંત્ર” તબક્કાઓ). અન્ય કેફી પદાર્થોનો વિશેષ ઉપયોગ હતાશાના જોખમમાં વધારો કરે છે.

માનસિક વિકૃતિઓ જાતિ આધારીત અલગ હોય છે. મદ્ય-ઉપયોગની વિકૃતિ ધરાવતી સ્ત્રીઓ ઘણીવાર તીવ્ર હતાશા, ચિંતા, ભય વિકૃતિ, ખાઉધરાપણું, આઘાત-પૂર્વેની મનોભાર વિકૃતિ (PSTD), અથવા તીવ્ર વ્યક્તિત્વ વિકૃતિ જેવા મનોવિકૃત નિદાન એકસાથે ધરાવે છે. મદ્ય-ઉપયોગની વિકૃતિ ધરાવતા પુરૂષો મોટાભાગે અહંપ્રેમી અથવા અસામાજિક વ્યક્તિત્વ વિકૃતિ, દ્વિધ્રુવી વિકૃતિ, માનસિક બિમારી, આવેગ વિકૃતિ અથવા ધ્યાનની ખામી/અતિપ્રવૃત્તિ વિકૃતિની સહ-ઘટનાનું નિદાન ધરાવતા હોય છે. સામાન્ય વસતિમાં માનસિક વિકૃતિઓના અધિક ઉદાહરણો અને દારૂ પર વધુ પરાધીનતા તરફ દોરી જઇ શકે છે તેની સરખામણીમાં મદ્યપાન કરનારી સ્ત્રીઓ વધુ પ્રમાણમાં શારીરિક અથવા જાતિય હુમલો, શોષણ અને ઘરેલુ હિંસાનો ઇતિહાસ ધરાવતી હોય છે.

સામાજિક અસરો

મદ્યપાન દ્વારા ઉદ્દભવતી સામાજિક સમસ્યાઓ ગંભીર છે, તે મગજમાં થતા રોગવિજ્ઞાનલક્ષી ફેરફારો અને દારૂની ઝેરી અસરોથી ઉત્પન્ન થાય છે. મદ્યપાનનું વ્યસન બાળ અપરાધ, ઘરેલુ હિંસા,બળાત્કાર, ઘરફોડ ચોરી અને હુમલા સહિતના ગુનાહિત અપરાધો કરવાના વિશેષ જોખમ સાથે સંલગ્ન છે.મદ્યપાન રોજગાર ગુમાવવા સાથે સંલગ્ન છે,જે આર્થિક મુશ્કેલીઓ તરફ દોરી જઇ શકે છે. અયોગ્ય સમયે દારૂ પીવો, અને નબળી નિર્ણયશક્તિ દ્વારા થતી વર્તણૂક, દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવવું અથવા જાહેર સમસ્યા, અથવા હાનિકારક વર્તણૂક માટે જાહેર દંડ જેવા કાનુની પરિણામો તરફ દોરી જઇ શકે છે, અને આપરાધી સજા તરફ દોરી જાય છે. દારૂ પીતા સમયે વ્યક્તિની વર્તણૂક અને માનસિક ક્ષતિ, તેમની આસપાસના લોકો પર ગંભીર અસર કરી શકે છે અને કુટુંબ અને મિત્રોને તેનાથી દૂર કરી શકે છે. આ અલગતા લગ્ન સમસ્યા અને છૂટાછેડા તરફ દોરી જઇ શકે છે, અથવા ઘરેલુ હિંસામાં પરિણમી શકે છે. મદ્યપાન બાળક પ્રત્યેની ઉપેક્ષા તરફ પણ દોરી જઇ શકે છે, જે મદ્યપાન કરનારના બાળકોના લાગણીમય વિકાસને કાયમી નુકશાન કરે છે.

દારૂ ત્યાગ

મૂર્છા-શામક કાર્યપદ્ધતિ ધરાવતા સમાન પદાર્થોની જેમ, બાર્બીટ્યુરેટ્સ અને બેન્ઝોડિયાઝેપાઇન્સ, જો યોગ્ય રીતે ન આપવામાં આવે તો મદ્યપાન પરાધીનતામાંથી ત્યાગ જીવલેણ બની શકે છે.[૫૯][૬૨]દારૂની પ્રાથમિક અસર કેન્દ્રીય ચેતા તંત્રની હતાશા વધારો કરી, [[GABAA સંવેદક]]ના ઉદ્વીપનની વૃદ્ધિ છે. દારૂના વધારે પડતા વારંવારના ઉપયોગથી, આ સંવેદકો મોટી સંખ્યામાં અસંવેદનશીલ અને ધીમા પડતા જાય છે, જે સહનશીલતા અને શારીરિક પરાધીનતામાં પરિણમે છે. દારૂનો ઉપયોગ અચાનક બંધ કરવામાં આવે ત્યારે, વ્યક્તિનું ચેતાતંત્ર અનિયંત્રિત ચેતાપ્રવાહના મારાથી પીડાય છે. આચિંતા, જીવલેણ હુમલા, ચિતભ્રમ હુમલા, આભાસ, ધ્રુજારી અને સંભવિત હ્રદય નિષ્ફળતા લક્ષણોમાં પરિણમી શકે છે. અન્ય ચેતાવાહક વ્યવસ્થાઓ પણ સંકળાયેલ છે, ખાસ કરીને ડોપામાઇન અનેNMDA.

ગંભીર ત્યાગના લક્ષણો એકથી ત્રણ અઠવાડિયાં પછી શમવાનું વલણ ધરાવે છે. એક અથવા વધુ વર્ષ માટે દારૂ ત્યાગ સાથે ક્રમશ: સુધરવાથી ઓછા ગંભીર લક્ષણો (જેમ કે, અનિદ્રા અને ચિંતા,સંવેદનશૂન્યતા) ત્યાગ પશ્ચાત એક લક્ષણસમૂહના ભાગ તરીકે ચાલુ રહે છે.શરીર અને કેન્દ્રીય ચેતાતંત્ર દારૂની સહનશીલતા અને GABA કાર્યપદ્ધતિ પ્રત્યે સામાન્ય થવા લાગે ત્યારે મદ્યપાન ત્યાગના લક્ષણો શમવાની શરૂઆત થાય છે.

કારણો

આનુવંશિક અને વાતાવરણના કારણોનું જટિલ મિશ્રણ મદ્યપાનના વિકાસના જોખમને અસર કરે છે.દારૂની ચયાપચયની ક્રિયાને અસર કરતા જનીનો મદ્યપાનના જોખમને પણ અસર કરે છે, અને મદ્યપાનના પારિવારીક ઇતિહાસ દ્વારા તેનું સૂચન થઇ શકે છે. એક પ્રકાશિત લેખમાં જાણવા મળ્યું છે કે નાની વયે દારૂનો ઉપયોગ જનીનતત્વોની અભિવ્યક્તિને પ્રભાવિત કરે છે જે દારૂ પરાધીનતાના જોમખમાં વૃદ્ધિ કરે છે. મદ્યપાનની આનુવંશિક પ્રકૃતિ ધરાવતા વ્યક્તિઓ સરેરાશ કરતાં નાની વયે દારૂ પીવાનું શરૂ કરે છે. દારૂ પીવાની શરૂઆતની ઉંમર મદ્યપાનના વિકાસના વધતા જોખમ સાથે સંલગ્ન છે, અને મદ્યપાન કરનારાં લોકોમાંથી આશરે 40 ટકા લોકો તેમની કિશોરાવસ્થા અંતથી અતિશય પ્રમાણમાં દારૂ પીએ છે. બાલ્યાવસ્થાનો માનસિક આઘાત કેફી પદાર્થો પરની પરાધીનતામાં સામાન્ય વૃદ્ધિ સાથે સંકળાયેલ છે.મિત્રો અને કુટુંબના સાથનો અભાવ મદ્યપાન વિકાસના વધતા જોખમ સાથે સંકળાયેલ છે.

આનુવંશિક તફાવત

વિવિધ જાતિ સમૂહો વચ્ચે આનુવંશિક તફાવતો રહેલા છે જે મદ્યપાન પરાધીનતાના વિકાસના જોખમને પ્રભાવિત કરે છે. ઉદાહરણ તરીકે, આફ્રિકન, પૂર્વ એશિયન અને ઇન્ડો-જાતિય સમૂહોમાં દારૂની પાચનક્રિયામાં તફાવતો છે. આ આનુવંશિક કારણો, આંશિક રીતે, જાતિ સમૂહો વચ્ચે દારૂ પરાધીનતાના વિવિધ પ્રમાણોની સ્પષ્ટતા કરે છે. દારૂનું ડિહાડ્રોજનેઝ ADH1 B*3 જનીન વધુ ઝડપથી દારૂને પચાવે છે. ADH1 B*3 જનીન ફક્ત આફ્રિકન કુળ અને ચોક્કસ મૂળ અમેરિકન આદિવાસી જાતિઓમાં જોવા મળ્યું છે. આ જનીન સાથેના આફ્રિકન અને મૂળ અમેરિકન લોકો મદ્યપાનના વિકાસનું ઓછું જોખમ ધરાવે છે.જોકે મૂળ અમેરિકનો, સરેરાશ કરતાં મદ્યપાનનો વધુ ગંભીર દર ધરાવે છે; જે એક અસ્પષ્ટ પ્રશ્ન છે.અન્ય જોખમી ઘટકો જેવા કે સાંસ્કૃતિક વાતાવરણ અસરો જેમ કે માનસિક આઘાત કૌકેસીયનમાં મદ્યપાનના પ્રમાણોની સરખામણીમાં મૂળ અમેરિકનોમાં મદ્યપાનનું પ્રમાણ વધુ ઊંચુ હોવાની સ્પષ્ટતા કરે છે.

જુદા જુદા માદક દ્રવ્યો:

  • દારૂનું વ્યસન
  • કોકેનનું વ્યસન
  • કોડેનનું વ્યસન
  • ક્રેકનું વ્યસન
  • એક્સ્ટસીનું વ્યસન
  • હેરોઇનનું વ્યસન
  • LSD નું વ્યસન
  • ગાંજાનું વ્યસન
  • મેથનું વ્યસન
  • મોરફીનનું વ્યસન
  • ઓપિએટનું વ્યસન
  • અફીણનું વ્યસન
  • જુદા જુદા માદક દ્રવ્યોના પરિણામ
  • LSD નું વ્યસન
    અસર LSD ની અસર
    LSD ની અસર કેટલી માત્રામાં વાપર કર્યો છે, વપરાશ કરનારનું વ્યક્તિત્વ અને કેવા વાતાવરણમાં માદક પદાર્થોનો ઉપયોગ કર્યો છે તેનાપર આધારીત છે. થોડાક શારિરીક અસરોમાં કિકિ પહોડી થવી, શરીરનું તાપમાન વધવુ, હૃદયના ધબકારા તથા રક્તદાબ વધુ, પરસેવો, ઊઘ ન આવવી, થરથરી, અને મોઢામાં કોરડાશ પડવી.

    ઘણા LSD ના વાપર કરનારા ઓને મારામારીના વિચારો અને અનુભુતી, તથા ગાંડપણ અને મૃત્યુનો ડર લાગે છે. LSD ના પ્રભાવમાં થયેલી થોડીક ઘાતક ઘટનાઓ પણ નોધવામાં આવી છે લાંબો સમય LSD નો વાપર વધુ સમય સુધીમાં ચાલળાર માનસિક બિમારી psychoses જેવાકે સ્કિઝોફ્રેનિઆ અથવા ગંભીર ઉદાસીનતા તરફ જઈ શકે છે.

    LSD ના વ્યસનના લક્ષણો
    LSD ના વ્યસનીની કિકિ પહોડી થવી, શરીરનું તાપમાન વધવુ, હૃદયના ધભકારા અને રક્તદાબ વધવા, પરસેવો થવો, ઊંઘની સમસ્યા, થરથરી તથા મોઢામાં કોરડાશ તેનો સામાન્ય લક્ષણોમાં સમાવેશ છે.
દારૂનું વ્યસન
અતિ મંદિરાપાનના પરિણામ
દારૂ તણાવ અને સમન્વય ઓછુ કરે છે, અકુંશ ઓછુ કરે છે, એકાગ્રતા અને પ્રતિક્રિયાના સમયને નબળુ પાડે છે, અને સજાગતા ધીમી પાડે છે. મગજનો આગળનો ભાગ ચપટો થાય છે તેનું કારણ મગજનું કદ બધી બાજુથી નાનું થાય છે અને તેને લીધે પોલાણ વધે છે. જાળીદાર બનાવટ, કરોડરજ્જુ, નાનુ મગજ, લધુન્મસ્તિષ્ક વલ્કુટ, અને ઘણી મજ્જાતતુંને સંકેત આપતું તંત્ર, તથા કેંદ્રીય મજ્જાતંતુ તંત્ર પર બીજી અસરોનો ઉલ્લેખ નથી. દારૂ એ વિટામિન એ ની કમીનું કારણ બની છે. “Wernicke’s Encephalopathy” “Korsakoff’s Syndrome”. વ્યસનમુક્ત થતી વખતે જણાતા વિશિષ્ટ લક્ષણો ધૃજવું, ઊંઘવાની સમસ્યા ઉબકાવવા, આભાસ અને મુર્છાનો સમાવેશ છે.

લક્ષણો
દારૂનું વ્યસન મુખ્ય ૪ લક્ષણો દ્વારા ઓળખવામાં આવે છે
  • તીવ્ર ઇચ્છા: દારૂ પીવાની ઉગ્ર ઇચ્છા.
  • નિયંત્રણ ગુમાવવો: એકવાર પિધા પછી નિયંત્રણ કરવામાં અસમર્થ.
  • શારિરીક નિર્ભરતા: દારૂનો લાંબો સમય વધુ પડતો વપરાશ કર્યા પછી છોડતી વખતે જણાતા વિશિષ્ટ લક્ષણો જેવાકે ઊબકા, પરસેવો થવો, ધૃજવુ, અને કાળજી થવી.
  • સહનશક્તિ: મજા મેળવવા માટે દારૂનો વધુમાં વધુ માત્રમાં ઉપયોગ કરવો.

કોકેનનું વ્યસન

કોકેનથી પરિણામ
કોકેન એક એવું માદક દ્રવ્ય છે જે સીધુ મગજને પ્રભાવિત કરે છે. શરીર પર તેની અસર તુરંત થાય છે અને થોડીજ મિનિટોમાં તેની અસર લુપ્ત થાય છે. મોટે ભાગે કોકેનનો ઓછી માત્રામાં ઉપયોગ કરનાર ઉત્સાહી અને માનસિક રીતે સક્રિય અનુભવે છે. તે ભુખ અને ઊઘ ઓછી કરી શકે છે. વારંવાર કોકેનનો પ્રયોગ કરવાથી અસ્વસ્થ અને વહેમી બનાવે છે. તેના પરિણામ સ્વરૂપ પેરેનૉઇડ સાયકોસિસ (સમગ્ર વ્યક્તિત્વ પર અસર કરનાર માનસિક વ્યાધિ) થઈ શકે છે.

નિયમિત રૂપે કોકેન સુંઘવાથી ઇન્દ્રિયો પર અસર કરે છે અને લાંબો સમય ઉગ્ર રીતે નાક પર સોજો આવે છે. કોકેનની વૃત્તીને લીધે નિયમિત વાપર કરનારાઓ એ ભુખ અને વજન ઘટવાના અનુભવ કર્યા છે. હૃદયના તાલમેળમાં અવ્યવસ્થા, શ્વાસ બંદ પડવો, મોર્છા આવવી અને માથું દુખવું એ કોકેનના વ્યસનથી નિર્માણ થતા થોડા વૈદકીય પરિણામો.

એમબિયન (ઝોલ્પીડેમ શાંતપાડનાર) વ્યસનના લક્ષણો
સતત કોકેનની તીવ્ર ઇચ્છા થવી, આ લક્ષણ કોકેનના વ્યસનીમાં સૌથી વધુ જવા મળે છે. અસ્વસ્થતા, સહેજમાં ખિજવાય જવું, અને ચિંતા આ કોકેનના વ્યસનીમાં સામાન્ય છે. વ્યસન મુક્ત થતી વખતે નિરૂત્સાહ ના લક્ષણો ઘણા દર્દીઓમાં જોવામાં આવે છે.

ગાંજાનું વ્યસન
ગાંજાની અસર
ગાંજાની ફૂંક મા THC જલ્દીથી ફેફસા દ્વારા ફરતા લોહીમાં પસાર કરે છે જે શરીરના દરેક ભાગમાં પ્રસરે છે. તેમાં મગજનો પણ સમાવેશ છે. મગજમાં THC cannabinoid ગ્રહણ કરનાર મજ્જાતંતુ કોષમાં જોડાય છે. અને તેના કામકાજને પ્રભાવિત કરે છે. ગાંજાને કારણે સ્મરણ શક્તિ અને શીખવામાં સમસ્યા, વિકૃત ધારણા, સમન્વયમાં નુકશાન, અને હૃદયના ધભકારા વધે છે. ગાંજાનો લાંબા સમયના વપરાશને લીધે મગજમાં થોડા બદલાવ આવી શકે છે.

ગાંજો ફુકવાથી હૃદયપર હુમલો થવાનું જોખમ વધે છે, ત્યા સુધી કે જવલ્લે માદક પદાર્થનો વાપર કરવાને કારણે મોઢામાં તથા ગળામાં ભોકાય છે, અને ખુબજ ખાસી થાય છે, ગાંજો નિયમિત રૂપે ફુકવાને કારણે શ્વાસોશ્વાસની તકલીફ ઉભી થઈ શકે છે. ગાંજાની અંદર ધુમાડો અને કાર્સિનજીન, જેનાથી ફેફસામાં અને શ્વસન તંત્રના અન્ય અંગો ને કેંસર થવા માટે પ્રોત્સાહીત કરે છે. THC એ ચેપી રોગ સામે લડવાની રોગપ્રતિકારક શક્તિને નુક્શાન પહોંચાડે છે.

લક્ષણો ગાંજાના વ્યસનના
રાતી ચોળ આંખો, સ્મરણ શક્તિમાં નુકશાન આક્રમકતા, ચાલવામાં તકલીફ, ઉંઘ આવવી, હૃદયના ધભકાર વધવા મોઢુ અને ગળુ સુતાવવું, ભાસ થવા, અને પેરેનોઇયા એ ગાંજાના વ્યસનના સામાન્ય લક્ષણો છે.

અસ્વસ્થતા, કાળજી ભુખ ન લાગવી નશાથી દુર રહેતા ચિડચિડ કરવી, પેટમાં દુખવુ, ઉંઘના ન આવવી, વજન ઘટવું અને અસ્થિર હાથ એ ગાંજાના વ્યસન મુકત થતી વખતના મુખ્ય લક્ષણો.

કોડેનનું વ્યસન
કોડેન, અધિકૃત પણે વૈદ્યકીયસલાહ આપતી દવા સાથે જોડાયેલ, ઘેન, પીડાહારકને ઉધરસ માટે વપરાય છે. કુદરતી કોડેન અફીણનું એક ઘટક છે. અને opiates (ઘેન, પીડાહારક, ઉધરસ) દવાનું એક સભ્ય છે. તેમં છતા, દવાની દરજ્જાનું જે કોડેન આજે મળે છે તે મીથાલેટીન મૉરફીન માથી બને છે. ઉધરસ અને પીડાહારક દવામાં કોડેનની ઉપસ્થિતી ક્યારેક જોવામાં આવે છે. તે ગોળી સ્વરૂપે ઉપલબ્ધ હોય છે, કેપસ્યુલ અને પ્રવાહી મોટે ભાગે મુખ દ્વારા લેવામાં આવે છે. કોડેન ચામડીની નીચે લેવાય છે, સ્નાયુમાં તથા ગુદા દ્વારે પણ લેવાય છે આ માદક પદાર્થ શીરા દ્વારા લેતા ખુબજ આડ અસર થાય છે. તેના અને ક્રેક માદક દ્રવ્યના લક્ષણોમાં ખુબજ સામ્ય છે. નાકના પોલાણમાં સોજો અને રકત સ્ત્રાવ થાય છે તથા ચામડીનું પાતળુ પડ, નાક અને મોઢાની અંદરના અને બાહરના ભાગને આવરી લેનાર મ્યુકસ મેમ્બેરન્સને નુકશાન પહોંચાડે છે. ક્રેક ફુકનારાઓમાં પણ તે જોવા મળે છે.

મેથનું વ્યસન
મેથાએમફીટામાઇનની અસરો
પહેલીવાર એમફીટામાઇનનો વાપર કરનાર થોડા સમયમાં વધુ આંનદ મેળવવા અને પ્રવૃત્તીવધારવા માટે કરે છે, ભુખ ઘટાડે છે અને સુખદ ભાવના ૨૦ મિનિટ ટકે છે. બાર ક્લાક થોડા સમય માટે આડ અસર થાય છે. ક્રેકનો વાપર કરનાર સહીષ્ણુતા જલ્દી વિકસિત કરે છે. આંનદ મેળવવા વધુ માત્રાની જરૂર પડે છે. પેરેનોઇયા, ભાસ, વર્તનનું પુનરાવર્તન, અને ભ્રમ થાય છે જેમકે શરીર પર કીડા, મકોડા ફરી રહયા છે. આ તેની આડ અસર લાબાં સમયસુધી ચાલે છે. જુનો અને વધુ માત્રામાં વાપર કરનારનું વર્તન મોટે ભાગે હિંસક અને આક્રમક અને છે. ક્યારેક અત્યંત વહેમી અને બીજાને નુકશાન પહોચાડનારૂ વર્તન કરે છે. સતત મેથનો વાપર કરવાથી હૃદય બંદ પડી શકે છે, મગજમાં નુકશાન, અને હુમલો થઈ શકે છે. ભાસ અથવા ભ્રમ જેવી માનસિક બિમારીઓ આડ અસરના રૂપે નોધવામાં આવી છે. અત્યંત ગંભીર, માનસિક અને મનોવૈજ્ઞાનિક જેવા લક્ષણો હત્યા અથવા આત્મહત્યા તરફ પ્રેરી શકે છે એવું પણ નોધવામાં આવ્યુ છે.

લક્ષણો મેથના વ્યસનના
એમફેટામાઇનનું વ્યસન તીવ્રતાનું સ્તર નીચે તરફ લઈ જાય છે, મીજબાનીની પ્રક્રિયા તથા ઉંચો તીવ્રતાનો ટપ્પો વધુ અસર અને વધુ આંનદ મેળવવા વ્યસનની મિજબાની અને મજાની તીવ્રતા વધારવા મેથ ફુંકીને અથવા ઇન્જેક્શન દ્વારા લે છે. તેના પરિણામ સ્વરૂપ એમફીટામાઇનના વાપરથી ખુબ આંનદ અનુભવે છે. કૃત્રિમ રીતે આત્મવિશ્વાસ વધારવામાં આવે છે. આ ભાવના વ્યસનીને પોતાની શારિરીક ક્ષમતા કરતા વધુ સાહસિક કાર્ય કરવા માટે લલચાવે છે. કોઇ કિસ્સામાં, વાપર કરનાર ખાવાનું ટાળે છે તથા ઉંઘતા નથી.

ક્રેકનું વ્યસન
ક્રેક કોકેનની અસર
રકતવાહીનીઓ સંકુચિત થવી, શરીરનું તાપમાન વધવુ અને રક્તદાબ એ ક્રેકના ઉપયોગથી થતી મુખ્ય શારિરીક અસર. ક્રેક ફુકવાના કારણે શ્વાસોશ્વાસની ક્રિયામાં સમસ્યા અને ગંભીર છાતીમાં દુખાવા સાથે ફેફસામાં જખ્મ અને રક્તસ્ત્રાવ થઈ શકે છે. માનવીય યકૃતની વૃત્તી છે જે દારૂ અને કોકેનથી રાસાયણિક સમાસ બનાવે છે. જો તેને એકત્રિત વાપરવામાં આવે અને cocaethylene ઉત્પન્ન કરે તો તે પદાર્થ અચાનક મૃત્યુ માટે જોખ્મ વધારે છે.

ક્રેક સ્વંયસંચાલિત મજ્જાતંતુ રચના પર કામ કરે છે આ સંચાલન પધ્ધતીસહાનુભુતી પધ્ધતી વ્યવસ્થા જે થોડા મહત્ત્વના કામ જેવાકે હૃદય ધબકારા અને શ્વાસ લેવાના મહત્ત્વપુર્ણ કામને નિયંત્રિત કરે છે. ડોપામાઈન્ડ છુટુ કરવા માટે ચેતા સંકેત ક્રેક મગજમાં તૈયાર કરી શકે છે. જે મગજમાં રસાયણ છે જે આનંદની ભાવનાઓને છોડે છે.

લાંબા સમયની ક્રેકની અસરમાં ઉશ્કેરવાની ક્રિયા પણ સામેલ છે, મનની સ્થિતી બદલાવવી, ગુસ્સો આવવો ભણકારા હવા, અને અત્યંત વહેમી બનવું.

ક્રેક્ના વ્યસનના લક્ષણો
રકતદાબ અને શ્વશન દરમાં બદલ, ઉલ્ટી, ચિંતા અને નિદ્રાનાશ આ સર્વસાધારણ ક્રેકના ગેરવાપરના લક્ષણો છે. ચામડીનું પાતળુ પડ નાક અને મોઢાની અંદરના અને બાહરના ભાગને આવરી લે છે. અને શુસ્ક બનતું અટકાવવા ચિકણો પદાર્થ ઉત્પન્ન કરે છે તેના પર સોજો આવે છે અને લોહી બહે છે અને ક્રેક ફુકવાવાળા ઓના નાકના પોલાડને પણ નુકશાન પહોચાડે છે.
મોરફીનનું વ્યસન
મોરફીનની અસરો
મોરફીનનો નિયમિત વાપર ભ્ખ ઘટાડે છે, લૈંગિક પ્રવૃત્તીઘટે, કબજીયાત થાય, થયેલી ખાંસી રોકે, તે સ્ત્રી વ્યસન કરનારના માસિક સ્ત્રાવાના ચક્રમાં દખલ કરે છે. માતા વ્યસની હોય તો જન્મનાર બાળકોમાં આ પદાર્થનો પ્રભાવ પડે છે. તે અજન્મ્યા બાળ સુધી ઓર (placenta) દ્વારા પસાર થઈ પહોંચે છે. વ્યસની માતાનું બાળક સ્તનપાન દ્વારા માદક પદાર્થ ગળે છે અને માતાના દુધ દ્વારા વ્યસની બને છે. મોરફીનનો વધુ માત્રામાં પ્રયોગ કિકિ પહોળી કરે છે, આળસ, બેભાન, નાળીના ધબકારા, રક્તદાબ તથા ફેફસામાં પ્રવાહી ઘટાડે છે. તેનાથી વિચારશક્તિ ઘટે છે અથવા આસપાસની સ્થિતી વિશે ભાન રહેતું નથી.

મોરફીન વ્યસનના લક્ષણો
મોરફીનનો નિયમિત વાપર કરવાથી તેના પરિણામ સ્વરૂપે તેની શારિરીક તથા માનસિક નિર્ભરતા તૈયાર થાય છે. આ માદક દ્રવ્ય અચાનક બંદ કરતા, વ્યસનીનું શરીર withdrawal (વ્યસનમુક્ત થતાના) લક્ષણો જેવાકે ઉબકા, આંખમાંથી પાણી, બગાસા, થંડી અને પરસેવો થવો. તે ત્રણ દિવસ સુધી ટકે છે.
એક્સ્ટસીનું વ્યસન
અસર એક્સ્ટસીનું
એક્સ્ટસી વ્યસનીના મન અને શરીર પર અસર કરી શકે છે. હળવી ખુશમિજાજ મન:સ્થિતી અને ભાવના, કાળજી ઓછી કરે, સંવેદનશીલ, અને ઉચ્ચ ઉર્જા સ્તર પર આ માદક પદાર્થની સકારાત્મક અસર છે. તે ભુખ, તરસ અને ઊંઘની જરૂરતને દબાવે છે.

લાંબો સમય એક્સ્ટસી લીધા પછીની અસરમાં ઘભરાહટ, પેરેનોઇયા,(માનસિક બિમારી) અને ઉદાસિનતાનો સમાવેશ છે. એક્સ્ટસીનો વાપર seratonin ના માધ્યમે મગજના મજ્જાતંતુમાં ગંબીર નુકશાન પહોંચાડી શકે છે. ત્યા સુધી કે એક્સ્ટસીનો ઉપયોગ મનોરંજન માટે વાપરવામાં આવે તો તેને કારણે કાયમી નુકશાન પહોંચાડી શકે છે. જેવાકે નૈરાશ્ય કાળજી યાદદાસ્ત જવી અને ન્યુરો સાઇકોસિસ ડીસઑડર થવું.

એક્સ્ટસી વ્યસનના લક્ષણો
ઉબકા, થંડી લાગી પરસેવો થવો ભાસ થવા, શરીરનું તાપમાન વધુ, દાત સજ્જડ થવા થરથરી થવી, દેવડુ દેખાવુ અને સ્નાયુમાં તાણ આવવીને એક્સ્ટસીના વ્યસનના સામાન્ય લક્ષણો છે. ઊંઘની સમસ્યા, કાળજી અને ધુધળુ દેખાવુ તે પણ એક્સ્ટસીના વ્યસનમાં જોવામાં આવે છે.
ઓપિએટનું વ્યસન
ઓપિએટના વ્યસનની અસરો
ઓપિએટ વ્યસનની વિવિધ અસરો- શામક, ઇચ્છા નિરપેક્ષ, હેરફેર, તથા શ્વાસોશ્વાસને કરે છે. કટૂ ભાષા, ચામડી થંડી પડવી, અને ઉલ્ટીની સંભાવના રહે છે. મધ્ય મજ્જાતંતુ તંત્રમાં ગડબડ, ઓપિએટના વ્યસનનું કારણ ઓપિએટનો સતત વપરાશ.

ઓપિએટને વ્યસનના લક્ષણો
ઓપિએટ withdrawal (વ્યસન મુકત થતા) લક્ષણો, ઉશ્કેરાય જવું, કાળજી, ધ્રુજારી, સ્નાયુમાં દુ:ખાવો, અચાનક થંડી ગરમી લાગવી, ક્યારેક ઉબકા આવવા, ખુબજ અસહ્ય ઉલ્ટી અને જુલાબ. withdrawal ની ગતી અને માત્રાનો સીધો સંબંધ તીવ્ર પ્રતિક્રિયા પર છે. ઓપિએટસ, હેરોઇનની જેમ, તેની પ્રતિક્રિયા સ્વંયસ્ફુર્ત હોય છે. જો ઇન્જેક્શન તીવ્ર હોય તો પણ તેની અસર ટુકા સમય માટેની હોય છે.
હેરોઇનનું વ્યસન
હેરોઇનની અસર
માદક પદાર્થ શરીરમાં જતાજ, હેરોઇન મગજમાં જતા મોર્ફીનમાં બદલાય જાય છે. આ સમયે વ્યસની વારંવાર સુખકારક સંવેદના અનુભવે છે. અને તેની માત્રા પ્રમાણસર હોય તો તે ઝડપી અને તીવ્ર બને છે. જેમકે તે મગજમા ખુબજ ઝડપથી પ્રવેશ કરે છે, હેરોઇન સૌથી વધુ વ્યસન લગાડનાર પદાર્થ છે. ઉપયોગ કરનાર ચામડી ગરમ અને લાલ થવાનો અનુભવ કરે છે, મોઢુ કોરડવુ થવુ, ઊંબકા, ઉલ્ટી, અને ખુબજ ખજબાળ આવે છે. હેરોઇનનું વ્યસનજ સૌથી હાનિકારક છે. આ માદક દ્રવ્ય મગજમાં અને વ્યસન કરનારના વર્તનમાં બદલાવ લાવે છે. વારંવાર હેરોઇનના ઇન્જેક્શનના વપરાશથી શિરાઓ ધીમી પડે છે, રક્તવાહીનીમાં અને હૃદયના વૉલમાં જીવાણુનો ચેપ લાગે છે, પરૂ થવુ તથા પિત્તાશય અથવા મુત્રપિંડમાં બિમારીઓ થાય છે.

હેરોઇન વ્યસનના લક્ષણો
હેરોઇનની સતત તલબ થવી એ વ્યસનનું સૌથી દેખીતુ લક્ષણ છે. મોઢામાં કોરડાશ, ચામડી ગરમ અને લાલ થવી, ઉબકા, ઉલ્ટી અને ગંભીર રીતે ખજવાળ આવવી તે સામાન્ય લક્ષણો છે. વ્યસની એ હેરોઇન બંધ કરયા પછીના ૨૪ થી ૪૮ ક્લાકની વચ્ચે સુધારણા સમયે (withdrawal) આ લક્ષણો જોઇ શકાય છે. સામાન્ય withdrawal લક્ષણોમાં અસ્વસ્થતા સ્નાયુ અને હાડકામાં દુ:ખાવો, ઊંઘ ન આવવી, જુલાબ અને ઉલ્ટી સામેલ છે.
અફીણનું વ્યસન
અફીણની અસરો
એક વ્યક્તિ, જે પહેલીવાર માદક પદાર્થનો પ્રયોગ કરે છે તો તેને ઉબકા તથા ઉલ્ટી થાય છે. કીકી જીણી થાય, નાડી તથા શ્વાસોશ્વાસની ગતિ ધીમી થાય અને રક્તદાબ ઘટે છે. કેટલી માત્રામાં અફીણ લીધું છે તેના પર નિર્ભર કરે છે, આ સ્થિતી અર્ધ બેભાન દા.ત. કાલ્પનિક સ્થિતીમાં બદલાય જશે. વિવિધ પ્રકારની અસરો અફીણ દ્વારા અમલમાં આવે છે. તેની મર્યાદા વેદના શુન્યતાથી ઘેન લાવનાર દવા સુધીની. આ માદક પદાર્થનો મનનો કબ્જો ખોરાક અને પોતાની કાળજી કરવા દેતો નથી.

અફીણના વ્યસનના લક્ષણો
વ્યસનના પહેલા ત્રણ લક્ષણો તેમાં નિયમિત વપરાશ શારિરીક નિર્ભરતા વિકસિત કરે છે. આ બને છે જ્યારે શરીર પોતાના કામકાજ માટે માદક પદાર્થની ઉપસ્થિતી અનુકુળ કરે છે, જો માદક પદાર્થનો ઉપયોગ અચાનક બંધ કરવામાં આવે તો withdrawal (વ્યસનમુક્ત થતા) ના લક્ષણો જેવાકે સ્નાયુમાં દુખાવો, કમર દુ:ખવી, થરથરી, અસ્વસ્થતા, કાળજી, નાડીના ધબકારા વધવા, રડવું, નાકમાંથી પાણી જવું તથા રકતદાબ વધવુ. લક્ષણોની ગંભીરતા કેટલી માત્રામાં વાપર કર્યો છે તેનાપર નિર્ધારીત છે. સહિષ્ણૂતા પ્રત્યેક વ્યક્તિ દીઠ જુદી જુદી હોય છે. આ પરિસ્થિતીમાં વ્યસનીનું શરીર પહેલા જેવી માદક દ્રવ્યની અસર પ્રાપ્ત કરવા વધુ પ્રમાણમાં માદક દ્રવ્યના વપરાશની જરૂર પડે છે. છેવટે તે એક માનસિક નિર્ભરતા છે આ એક એવી પરિસ્થિતી છે કે જેમાં તેને લેવાનું બંદ કર્યા પછી પણ વ્યસનીને માદક દ્રવ્ય લેવાની ઇચ્છા થાય છે.
વ્યસન મુક્ત સમાજ :
આપણી પૃથ્વી પર જીવસુષ્ટિનો વસવાટ થયેલો છે. આ જીવનસૃષ્ટિમાં મનુષ્યજીવન, પ્રાણીજીવન અને વનસ્પતિજીવનનો સમાવેશ થયેલો જોવા મળે છે. આ ત્રણેય જીવસૃષ્ટિ એકબીજા પર આધારિત રહેલી છે. મનુષ્ય જીવનમાં માનવનો સમાવેશ થાય છે. માનવ એ સામાજિક પ્રાણી છે. સમાજમાં રહીને તે પોતાનું, કુટુંબનું, સમાજનું, ગામનું અને આ જ રીતે આગળ જતાં દેશનું ઘડતર કરે છે.

આજે આપણે જોઈએ છીએ કે આપણા સમાજમાં ઘણાં બધાં દુષણો ફેલાયેલાં છે. ઘણા બધાં કુરિવાજો, કુટેવો, ભ્રષ્ટાચાર વગેરે અનેક જગ્યાએ, અમુક રીતે ફેલાયેલાં જોવા મળે છે. આજનો માનવી સમયની સાથે તાલ મિલાવીને કાર્ય કરે છે. ઘણી વખત આવું કરવાં જતાં તે થાકી જાય છે અથવા તો કંટાળી જાય છે. તેના માથે જવાબદારી વધી ગઈ છે. પોતાના ઘર, કુટુંબ, પરિવારની ભરણ-પોષણ કરવાની, તેને સમાજમાં આગળ લાવવા માટે તે સતત મહેનત કર્યા કરે છે. આમ કરતાં તે ક્યારેક વ્યસનનો ભોગ બની જાય છે. દા.ત., એક માનવ દિવસભર મહેનત, મજૂરી, નોકરી કરીને સાંજે થાક ઉતારવા બીડી, સિગારેડ, તમાકુનું સેવન કરવા લાગે છે. કયારેક દારૂ પીવા લાગે છે. તેમ કરતાં તેને એમ લાગે છે કે તેના થાક ઊતરી જાય છે. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ એમ ધીમે ધીમે તે વ્યસની બની જાય છે. કોઈક મનુષ્ય કોઈક માનસિક તણાવથી પણ મુક્ત થવા વ્યસનનો આશરો લે છે.

આમ, મનુષ્ય એ જન્મથી જ વ્યસની નથી હોતો. તે સમય, સંજોગોને આધીન વ્યસનનો આશરો લે છે. અપવાદરૂપે કોઈક કુટુંબોમાં મોટા મનુષ્યોને તમાકુ, બીડી, સિગારેટ, દારૂનું વ્યસન કરતાં જોઈ નાનાં બાળકોને નાનપણથી જ તેનો વારસો મળે છે. મા-બાપ અભણ, નિરક્ષર હોવાથી તેને તેમ કરતો રોકી શકતાં નથી.

આપણે જાણીએ છીએ કે કોઈ પણ ચીજ (વસ્તુ)નું સેવન વારંવાર કર્યા વિના ચાલે નહી એવી સ્થિતિનું નિર્માણ થાય ત્યારે માણસ એ ચીજ વસ્તુનો વ્યસની થઈ ગયો છે એમ કહેવાય.

પશ્વિમના દેશોનું આંધળું અનુકરણ કરીને આપણે પણ દિનપ્રતિદિન વધારે ને વધારે વ્યસની બનતાં જઈએ છીએ. આપણા જીવનમાં સંઘર્ષ, દુઃખ, કલેશ આવે છે. તેનાથી દૂર જવા અને બચવા માનવ વ્યસનનો આશરો લે છે. વ્યસનના નશામાં ડૂબી જઈ ઘડીભર માણસ તેના દુઃખને ભૂલી જવા મથે છે. કેટલાક લોકો બે ઘડી આનંદ લૂંટવા પણ વ્યસનનો આશરો લે છે. હકીકતમાં વ્યસનથી નથી દુઃખ જતું તે નથી મળતું સુખ. વ્યસન તો વધારે દુઃખ આપનાર અને સુખ ઝૂંટવી લેનાર નશો છે. તેનાથી માણસ બરબાદ થાય છે. કદી પણ આબાદ થતો નથી, તેની પાછળ માણસ પૈસા વેડફે છે. તબિયત બગાડે છે, પુષ્કર દુઃખી થાય અને છેવટે મૃત્યુને વહેલું બોલાવે છે.

આમ, વ્યસન એ મનુષ્ય માટે કલંકરૂપ સાબિત થયું છે. આજકાલ નાનાં - નાનાં ફુલ જેવાં કોમળ ભૂલકાંઓ પણ તમાકૂ-ચનો, પાન-મસાલા, ગુટખાના બંધાણી બનવા માંડયાં છે. ફકત મોટાં શહેરોમાં જ નહિ પરંતુ નાના નાના ગામડાનાં બાળકો પણ ચોરી છૂપીથી આનો શિકાર બનવા લાગ્યાં છે અને શરમની વાત એ છે કે છોકરીઓ પણ હવે આ વ્યસનની શિકાર બનવા લીગી છે.

આપણે જાણીએ છીએ કે વ્યસન એટલે કે ઈશ્વરે ક્ષેલી તંદુરસ્તીને નાદુરસ્ત કરવાનો માર્ગ. ‘વ્યસન’ એ મનુષ્યના જીવન માટે ઝેરી રસાયણ છે. જેનું પરિણામ લાંબે ગાળે તો ખોટારૂપે જ આવે છે.

પશ્વિમના દેશોમાં વ્યકિતના શરીરના અસ્તિત્વ માટે ઠંડા વાતાવરણથી બચવા માટે દારૂનું સેવન જરૂરી બને છે. પરંતુ તે દારૂ ભારત જેવા દેશમાં અતિશય નુકસાનકર્તા સાબિતિ થાય છે. આજનું આ યુવાધનરૂપી રાક્ષસના સંકજામાં ઝડપાઈ જઈ જુવાન ડોસલા બની રહ્યું છે. મનુષ્યો ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવું હોય, સારું જીવવું હોય તો આવાં વ્યસનોથી દૂર રહેવું જ બહેતર છે. હવે તો સમાજમાં બેકારી પણ ઘણી વધીગઈ છે. જયાં જુઓ ત્યાં બેકારોનો રાફડો ફાટયો છે અને તેથી કરીને પણ બેકારો અંતે શિકાર થઈ જાય છે. આમ, એક મિત્રની ખરાબ સંગત બીજા મિત્રને પણ બગાડી શકે છે.

“નાનું કુટુંબ સુખી કુટુંબ” એ સુત્ર આપણે સૌ જાણીએ છીએ. છતાં આજે દેશની વસ્તી કૂદકે ને ભૂસકે વધી રહી છે. મોટો પરિવાર ધરાવતો માનવી કુટુંબનું ભરણપોષણ કરતાં કરતાં થાકી જાય છે. કંટાળી જાય છે અને વ્યસનનો આશરો લઈ હાશ અનુભવે છે.

વ્યસન ઘણાં પ્રકારનાં હોય છે. બીડી-ધૂમ્રાનનું વ્યસન, દારૂનું વ્યસન, ઠંડાપીણાનું વ્યસન આવા તો અનેક પ્રકારના ધણાં બધાં વ્યસનો આપણને જોવા મળે છે. કહેવાય છે ને કે “જેવી જેની દ્રષ્ટિ તેવી તેની સૃષ્ટિ”. દા.ત., એક લીમડાનું વૃક્ષ છે. પ્રથમ કઠિયારાની નજર પડે છે. તો તે તેને કાપીને વેચવાનો વિચાર કરે છે. એક સુથારને તે વૃક્ષમાંથી સારાં બારી-બારણા, ફર્નિચર બનાવવાનો વિચાર આવે છે. એક ચિત્રકાર તેને પોતાના રંગોથી સજાવવા માગે છે. લેખકને તે જોઈએ વૃક્ષના મહત્વ પર લેખ લખવાનો વિચાર આવે છે. આમ, દરેક વ્યકિત પોત પોતાના સ્થાને તે વૃક્ષ વિશે વિચારે છે. વ્યસનનું પણ કાંઈક આવું જ છે. આપણે જાણીએ છીએ કે પ્રભુએ આપણને આ મહામૂલો મનુષ્ય અવતાર આપ્યો છે અને તેમાંય સુખ, સંપત્તિ બક્ષી છે. મનુષ્ય સામાજિક સંબધોના રિતરિવાજોમાં ખોવાઈ ગયો છે. જેનાથી પર રહીને સુખમય જીવન, આનંદમય જીવન, આશામય જીવન, અમૃતમય જીવન, ઈશ્વરમય જીવન જીવવું હોય તો વ્યસનનું આગમન આપણા આંગણે કદી પણ થવા દેશો નહીં. વ્યસનને નિવારવા શિક્ષણ જરૂરી છે. કુદરતે બક્ષેલું આ જીવન ફકત જેમતેમ જીવવા માટે નથી. દરેક વ્યકિત તેને જીવે છે. પરંતુ જીવન કેવી રીતે જીવવું તે અગત્યનું છે. સારું જીવન જીવવા માટે નિર્વ્યસની બનવું જરૂરી છે. સારું જીવન જીવવા પ્રભુ આપણને નિર્વ્યસની બનાવે.

વ્યસન કરવાથી ઘણા બધા રોગો થાય છે. જેમ કે ઉધરસ, તાવ, શરદી, લ્યુપસ ઈરીથોમેટ્સ, વાળ ખરી પડવા, મોમાં ચાંદાં પડે, મોતીઓ આવવો, ચામડી પર કરચલી પડવી, શ્રવણશક્તિ ઘટવી, ફેફસાના રોગો, દાંતનો સડો, ચામડીનું કેન્સર, હાડકાં પોલાં થઈ જવાં, હૃદયરોગ, હોજરીમાં ચાંદા પડવાં, સ્ત્રીઓમાં ગર્ભાશય અને ગર્ભાશયના મુખનું કેન્સર, શુક્રાણુંઓની તરલીફ અને નપુંસકતા, લોહીની નળીઓનો રોગ વગેરે જેવા રોગો થાય છે. ભારતમાં દર વર્ષે અંદાજે ૧૧ કરોડથી પણ વધારે રૂપિયાની સિગારેટ પીવાય છે. તો તેની સામે થતી રોગોની બરાબાદી પાછળ પણ રોજ એટવા જ કરોડ રૂપિયા ખર્ચાય છે.

ધૂમ્રપાનથી સમયનો અને નાણાંનો વ્યય થાય છે. ભારતમાં દર વર્ષે ૧૧ લાખ ટન તમાકુવાળી પાનની પિચકારી મરાય છે. કેન્સર અને ક્ષયના દર્દીઓમાંથી ૮૦ ટકા વ્યસની હોય છે. ધૂમ્રપાનના કારણે દેશમાં દર વર્ષે લગભગ ૧૦ લાખ લોકો અકાળે મૃત્યુ પામે છે અને બીમારીઓ પાછળ દર વર્ષે ૭૦ કરોડ રૂપિયા ખર્ચાય છે અને હોસ્પિટલોના ૧૦,૦૦૦ પલંગનો ઉપયોગ થાય છે. ધૂમ્રપાનને કારણે માનવશ્રમ, કલાકોની જે હાનિ થાય છે તેની કિંમત લગભગ ૨૬૦ કરોડ રૂપિયા કરતાં વધારે ગણાય છે.

આપણા દેશમાં દર મહિને ૧૪૦ કરોડ એટલે કે વર્ષમાં ૧૬ અજબ ૮૦ કરોડ રૂપિયાની તમાકુ પીવાય છે. જો આટલું ધન બચાવી શકાય તો એનાથી બેરોજગારીની સમસ્યા ઉકેલી શકાય.

ઉપાયોઃ-
(૧) સારા મિત્રોના સોબત રાખવી.
(૨) ધ્યાન કરવું .
(૩) નિત્ય સેવા - પૂજાની ટેવ પાડવી.
(૪) સદવાચનની ટેવ પાડવી.
(૫) ધાર્મિક સ્થળો માં ચાલતી પ્રવૃત્તિમાં જોડાવવું.
(૬) આ વ્યસન છોડવું મારા માટે અશક્ય છે તેવો વિચાર મનમાંથી કાઢી નાખવો.
સ્ત્રોત:આરોગ્ય.કૉમ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate